સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા ખાતે યોજાયેલા BJPના સંમેલનમાં નગરપાલિકાના કોંગ્રેસના 4 સદસ્યો, તાલુકા પંચાયતના 2 સદસ્યો, સરપંચો સહીત અંદાજે 300થી વધુ કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. પ્રદેશ BJP આગેવાન આઈ.કે. જાડેજા, ધારાસભ્ય પરસોતમભાઈ સાસરીયા સહિતનાઓએ ભાજપનો ખેસ પહેરાવી સ્વાગત કર્યું.
ઉલ્લેખનીય છે કે આજે ગુજરાતમાં ચૂંટણીપંચ દ્વારા રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત કરી છે. ગુજરાતમાં મહાનગરપાલિકાની 21 ફેબ્રુઆરી અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણી 28 ફેબ્રુઆરીના રોજ યોજાશે. ગુજરાતમાં 6 મહાનગરપાલિકા, 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયતો અને 232 તાલુકા પંચાયતઓની ચૂંટણી યોજાશે.
આ પણ વાંચો: Medical ક્ષેત્રમાં નોકરીની છે ખાસ તકો, જાણો કેટલી જગ્યા પડી ખાલી અને કેટલો પગાર, વાંચો અમારી આ પોસ્ટ