ના, આ કોઈ જંગલ નહીં, આ તો સુરતનું ગાર્ડન છે! મેઇન્ટેનન્સના અભાવે જાણો કેવી થઈ છે હાલત

સુરતના અનેક ગાર્ડનમાં યોગ્ય મેઇન્ટેનન્સ ન થયું હોવાની ફરિયાદો સામે આવી રહી છે. જેના કારણે બાગ બગીચા ફરવા કે બેસવા લાયક નથી રહ્યા.

ના, આ કોઈ જંગલ નહીં, આ તો સુરતનું ગાર્ડન છે! મેઇન્ટેનન્સના અભાવે જાણો કેવી થઈ છે હાલત
સુરતના બગીચા
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Jul 03, 2021 | 12:57 PM

કોરોના અને લોકડાઉન બાદ હવે અનલોકના અંતિમ તબક્કામાં સરકારે શહેરના બાગ બગીચા ખોલવાની મંજૂરી આપી દીધી છે. લગભગ બે અઠવાડિયા જેટલો સમય થવા આવ્યો છે છતાં સુરતના બાગ બગીચા ગાર્ડન ઓછા પણ જંગલ વધારે દેખાઈ રહ્યા છે.

સુરતના પાલ વિસ્તારમાં આવેલ પાલ લેક ગાર્ડનની વાત હોય કે જહાંગીરપુરા ખાતે આવેલા બોટાનીકલ ગાર્ડનની વાત. આ ગાર્ડન જેવા બીજા અનેક ગાર્ડનમાં યોગ્ય મેઇન્ટેનન્સ ન થયું હોવાની ફરિયાદો સામે આવી રહી છે.

બોટાનીકલ ગાર્ડનમાં બનાવવામાં આવેલા તળાવમાં વનસ્પતિઓ ઊગી નીકળી છે. ગાર્ડનમાં ચાલતી ટોય ટ્રેન પણ બંધ હાલતમાં છે. વૃક્ષોનું ટ્રીમિંગ ન થઈ શકતા ગાર્ડન જંગલમાં ફેરવાઈ ગયા છે.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

લોકો અહીં આવે તો છે પણ યોગ્ય જાળવણી ન થઈ હોવાની ફરિયાદ કરી રહ્યા છે. પાલ વિસ્તારમાં રહેતા એક સ્થાનિકે જણાવ્યું હતું કે હાલ વેકેશનનો સમય ચાલી રહ્યો છે અને સાંજ પડ્યે બાળકોને ફરવા લઈ આવીએ છીએ. પણ ગાર્ડનમાં કોઈ સુવિધા નથી. રમતગમતના સાધનો પણ કાટ ખાઈ ગયા છે. લેક ગાર્ડનમાં તળાવની જગ્યાએ વનસ્પતિ ઊગી નીકળી છે.

અન્ય એક સ્થાનિકે ઉમેર્યું હતું કે ગાર્ડન બનાવવા ખાતર બનાવી દેવામાં આવ્યા છે. પણ તેનું મેઇન્ટેનન્સ કરવાની જવાબદારી પણ મહાનગરપાલિકાના ગાર્ડન વિભાગની છે. જેથી તવરીતે તેનો નિકાલ આવે તે પણ જરૂરી છે.

નોંધનીય છે કે કોરોનાકાળ અને લોકડાઉનના પ્રતિબંધોને કારણે શહેરના બાગ બગીચા પણ શહેરીજનો માટે બંધ રાખવામાં આવ્યા હતા. અને અનલોકના તબક્કામાં હવે જ્યારે ગાર્ડન ખોલી દેવાની પરવાનગી આપવામાં આવી છે ત્યારે ગાર્ડન વિભાગ પાસે બાગ બગીચાને મેઇન્ટેઇન કરવાની ફુરસદ મળી નથી.

સુરતના ગાર્ડનોમાં વૃક્ષોના ટ્રીમિંગ, લેક ગાર્ડનોમાં પાણીની સમસ્યા, રમતગમતના સાધનો કટાઈ જવા જેવી અનેક ફરિયાદો લોકો દ્વારા સામે લાવવામાં આવી છે. જોવાનું એ રહેશે કે મનપા તંત્ર આ ફરિયાદોનો ઉકેલ ક્યારે લાવે છે.

આ પણ વાંચો: Surat: આગામી સમયમાં સ્થાનિકોને દૂષિત પાણી પીવાનો વારો આવશે? જાણો કેમ પાલિકાની ચિંતા વધી

આ પણ વાંચો: Surat: તક્ષશિલા દુર્ઘટનાના 25 મહિના બાદ પણ વાલીઓમાં ભભૂકી રહી છે ન્યાય માટેની આગ, કરી આ માંગ

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">