Surat: ઉનાળો શરુ થતા જ ઓલપાડ તાલુકાના કેટલાક ગામોમાં પાણીની સમસ્યા, ખેડૂતો ચિંતામાં મુકાયા

હાલમાં કરમલા ગામ પાસેની નહેરમાં ઓછું પાણી હોવાને કારણે ખેડૂતોએ મોઘું ડીઝલ વાપરી મશીનો દ્વારા સિંચાઇ કરવાનો વારો આવ્યો છે. જો સમયસર પૂરતા પ્રમાણમાં સિંચાઇ વિભાગ દ્વારા નહેરમાં પૂરતું પાણી આપવામાં આવશે નહીં, તો કાંઠા વિસ્તારનાં ગામડાઓના ખેડૂતોના ડાંગળના ઉભા પાકને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન જશે.

Surat: ઉનાળો શરુ થતા જ ઓલપાડ તાલુકાના કેટલાક ગામોમાં પાણીની સમસ્યા, ખેડૂતો ચિંતામાં મુકાયા
Farmers Faces Irrigation Water Problem in Olpad area
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Apr 04, 2022 | 1:36 PM

સુરત (Surat)માં પણ ઉનાળાની (Summer) શરુઆત સાથે જ પાણીની સમસ્યા (Water crisis) ઊભી થવા લાગી છે. સુરત ઓલપાડના કરમલા ગામની નહેરમાં પાણી ઓછું આવવાના કારણે 400 હેક્ટર જમીનમાં વાવેતર કરેલી શેરડી અને ઉનાળુ ડાંગર પાકને નુકસાન થવાની ભીતી ખેડૂતોએ વ્યક્ત કરી છે. થોડા દિવસ માટે વીજળીને લઈ જે સમસ્યા સર્જાઈ હતી, હજુ તો તે માંડ હલ થઈ હતી ત્યાં હવે ખેડૂતોના માથે નવી આફત આવી પડી છે. ત્યારે હવે ખેડૂતોની મહેનત પાણીની સમસ્યાના કારણે માથે પડે તેવી સ્થિતિ ઊભી થઇ છે.

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કરમલા ગામ અને આજુબાજુના ગામોમાં હાલ ડાંગર અને શેરડીના પાકનું વાવેતર કરાયું છે. હાલમાં દક્ષિણ ગુજરાતનો મોટો ડેમ એટલે કે ઉકાઈ ડેમમાં પુરતુ પાણી હોવા છતાં નહેરોમાં ઓછું પાણી છોડવામાં આવે છે. જેના કારણે અહીં શેરડી, ડાંગરનો પાક સુકાઈ જવાનો ભય ખેડુતોને સતાવી રહ્યો છે. જોકે હાલ આ ખેડૂતોને કરમલા એ- 1 માઇનોર અને એ-2 માઈનોરમાંથી પાણી આપવામાં આવે છે. જો કે તે શેરડી સહિતના પાક માટે પુરતુ થતુ નથી.

શું તમે જાણો છો દાંત પર કેટલી મિનીટ સુધી બ્રશ કરવું જોઈએ ?
ઉનાળામાં પાણીની પ્લાસ્ટિકની ટાંકીના પાણીને રાખો બરફ જેવુ, અપનાવો આ ટીપ્સ
Kesar Mango : ભારતની કેરી સૌથી વધારે ખવાઈ છે આ દેશમાં
Blood Pressure: આ વિટામિનની ઉણપને કારણે બ્લડપ્રેશર વધે છે! જાણો ક્યાં વિટામિનની ઉણપથી વધે છે બ્લડપ્રેશર!
આજનું રાશિફળ તારીખ : 11-05-2024
ભારતનું આ ગામ કે જ્યાં ભૂતોની થાય છે પૂજા ! જાણો શું છે કારણ

આ અંગે ખેડૂત આગેવાન દર્શન નાયકે પાકને નુક્સાન થવાની શક્યતા દર્શાવી જણાવ્યું હતું કે, ઉકાઈ ડેમમાં પાણીનો પૂરતો જથ્થો હોવા છતાં પણ ખેડૂતોને સિંચાઇ માટે પૂરતું પાણી આપવામાં આવી રહ્યું નથી. જેથી હાલમાં કરમાલા અને આજુબાજુના ગામોમાં 400 હેક્ટર વાવેતર શેરડી અને ઉનાળુ ડાંગર ના પાકને લાખો રૂપિયાનું નુકસાન થવાની સંભાવના છે. ખેડૂત આગેવાન દર્શન નાયકે જ્યારે વીજળીની સામસ્યા ગુજરાતમાં સર્જાઇ હતી ત્યારે પણ ખેડૂતોના ખેતરોની મુલાકાત કરી હતી. તથા ખેડૂતોની વેદના સાંભળી હતી. હવે દર્શન નાયકે ખેડૂતોના સિંચાઈના પાણીના પ્રશ્નને લઇને પણ સિંચાઇ વિભાગમાં યોગ્ય જગ્યાએ રજુઆત કરવાની ખાતરી આપી

હાલમાં કરમલા ગામ પાસેની નહેરમાં ઓછું પાણી હોવાને કારણે ખેડૂતોએ મોઘું ડીઝલ વાપરી મશીનો દ્વારા સિંચાઇ કરવાનો વારો આવ્યો છે. જો સમયસર પૂરતા પ્રમાણમાં સિંચાઇ વિભાગ દ્વારા નહેરમાં પૂરતું પાણી આપવામાં આવશે નહીં, તો કાંઠા વિસ્તારનાં ગામડાઓના ખેડૂતોના ડાંગળના ઉભા પાકને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન જશે. ખેડૂતોને આ વર્ષે ઉત્પાદન ઓછુ થવાની ભીતિ સતાવી રહી છે. નવાઇની વાત તો એ છે કે સુરતના ઓલપાડના જ ધારાસભ્ય જે કૃષિ પ્રધાનનું પદ સંભાળે છે. આમ છતા ગામમાં જ અંધારા જેવી સ્થિતિ છે. તેમના જ વિસ્તારના ખેડૂતો સમય સર પાણી છોડવાની માગ કરી રહ્યા છે.

આ પણ વાંચો-

Surat : યુક્રેનથી સુરત પરત ફરેલા વિદ્યાર્થીઓ ઓનલાઈન અભ્યાસ લઈ રહ્યા છે, સાયરન વાગે એટલે શિક્ષકો કલાસ અધૂરા મૂકી બંકરમાં જતા રહે છે

આ પણ વાંચો-

નેશનલ હાઇવે ઓથોરિટીના જનરલ મેનેજર સહિત 9 અધિકારીઓ સામે સીબીઆઈની કાર્યવાહી, 22 સ્થળોએ દરોડા

આ સ્ટોરીમાં છેલ્લે વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો- 

Latest News Updates

ઈફ્કો વિવાદ મુદ્દે જયેશ રાદડિયાનો પલટવાર, વિરોધ કરનારાઓ જુએ ભૂતકાળ
ઈફ્કો વિવાદ મુદ્દે જયેશ રાદડિયાનો પલટવાર, વિરોધ કરનારાઓ જુએ ભૂતકાળ
બનાસકાંઠા: એરોમા સર્કલની ખોરંભે ચડેલી કામગીરી શરૂ, TV9 ના અહેવાલની અસર
બનાસકાંઠા: એરોમા સર્કલની ખોરંભે ચડેલી કામગીરી શરૂ, TV9 ના અહેવાલની અસર
મહેસાણાઃ કાળજાળ ગરમીથી રાહત મેળવવા લોકો વોટર પાર્કનો લઈ રહ્યા છે સહારો
મહેસાણાઃ કાળજાળ ગરમીથી રાહત મેળવવા લોકો વોટર પાર્કનો લઈ રહ્યા છે સહારો
હવામાન વિભાગની આગામી 5 દિવસ માટે અગાહી, સામાન્ય વરસાદની શક્યતા
હવામાન વિભાગની આગામી 5 દિવસ માટે અગાહી, સામાન્ય વરસાદની શક્યતા
ગુજરાતમાં આગામી 3 દિવસ ગાજવીજ સાથે વરસાદની અંબાલાલે કરી આગાહી-VIDEO
ગુજરાતમાં આગામી 3 દિવસ ગાજવીજ સાથે વરસાદની અંબાલાલે કરી આગાહી-VIDEO
અરવલ્લીઃ રુ. 500 અને 1000 ની રદ થયેલી ચલણી નોટો સાથે યુવક ઝડપાયો
અરવલ્લીઃ રુ. 500 અને 1000 ની રદ થયેલી ચલણી નોટો સાથે યુવક ઝડપાયો
Rajkot : જેતપુરના જૂનાગઢ રોડ પર ગેરેજમાં લાગી ભીષણ આગ
Rajkot : જેતપુરના જૂનાગઢ રોડ પર ગેરેજમાં લાગી ભીષણ આગ
જો મોદી જીતશે તો યોગીને હટાવી..અમિત શાહને PM બનાવશે : કેજરીવાલ
જો મોદી જીતશે તો યોગીને હટાવી..અમિત શાહને PM બનાવશે : કેજરીવાલ
રાદડિયા એ કહ્યું-ફોર્મ ભર્યા બાદ મેન્ડેટ ઈસ્યૂ થયો, જુઓ-video
રાદડિયા એ કહ્યું-ફોર્મ ભર્યા બાદ મેન્ડેટ ઈસ્યૂ થયો, જુઓ-video
નિલેશ કુંભાણીએ કોંગ્રેસ પર લગાવ્યા આરોપ
નિલેશ કુંભાણીએ કોંગ્રેસ પર લગાવ્યા આરોપ
g clip-path="url(#clip0_868_265)">