AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

South Gujarat: માવઠાથી દ.ગુજરાતમાં કેરી સહિતના 65 ટકા બાગાયતી પાકને 500 કરોડનું નુકશાન, કેરીના ભાવો વધે તેવી સંભાવના

દક્ષિણ ગુજરાતના 5 જિલ્લાઓમાં આંબાઓ ઉપર કેરીના (Mango) પાકને વ્યાપક નુકસાન થતા ચાલુ સિઝનમાં હાફૂસ, કેસર, લંગડો, બદામ કેરીના ભાવો વધશે. અત્યારે વલસાડી હાફુસનો ભાવ 10 કિલોની પેટીનો 2200 રૂપિયા ચાલી રહ્યો છે.

South Gujarat: માવઠાથી દ.ગુજરાતમાં કેરી સહિતના 65 ટકા બાગાયતી પાકને 500 કરોડનું નુકશાન, કેરીના ભાવો વધે તેવી સંભાવના
Mango farms (File Image )
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 23, 2022 | 10:45 AM
Share

સતત આખું વર્ષ વાદળ છાયું વાતાવરણ(Atmosphere) અને કમોસમી વરસાદનો (Rain ) માર પડતા દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં 70,000 હેક્ટર જમીનમાં કેરી(Mango) સહિત બાગાયતી પાકોની ખેતી કરતાં ખેડૂતોનો 65 ટકા પાક ખરાબ થતા ઓલપાડ ચોર્યાસી તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ જયેશ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખી 5 જિલ્લામાં તાત્કાલિક નુકસાનીનો સર્વે કરાવવા રજુઆત કરવામાં આવી છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા કૃષિકારોની આવક બમણી કરવા જે પ્રયાસો કરવામાં આવ્યા એને લીધે જ અન્ય પાકોની સરખામણીમાં માળખાકીય સુવિધાના પરિણામે ખેડૂતોને વિશ્વાસ ઉભો થતા ડાંગ, વલસાડ, નવસારી, સુરત અને તાપી જિલ્લાના બાગાયતી પાક કરતા ખેડૂતો આ ક્ષેત્રમાં વધુ પ્રગતિ કરી શક્યા છે.

કેરીનો વધુ પાક ઉતરે તે માટે સમયે સમયે માવજત, ખાતર, પાણી, દવા છંટકાવ ખેડૂતો દ્વારા કરવામાં આવ્યો છે. પરંતુ આખુ વર્ષ વાદળ છાયું વાતાવરણ અને થોડા થોડા સમયે કમોસમી વરસાદ પડવાથી મોડું ફ્લાવરિંગ તેમજ મોર નહીં બેસતા આ વર્ષે કેરીનો પાક માંડ 35 ટકા જેટલો જ થયો છે અને તેની ગુણવત્તા પણ નબળી જ હશે. ત્યારે બાગાયતી કેરીના પાક પર નિર્ભર ખેડૂત પરિવારની હાલત ખૂબ જ કફોડી થઈ છે.

જયેશ દેલાડે વધુમાં જણાવ્યું હતું કે કમોસમી વરસાદ અને પ્રતિકુળ વાતાવરણના પરિણામે દક્ષિણ ગુજરાતના કેરીના પાકને અંદાજીત 500 કરોડનું નુકશાન થવા જઈ રહ્યું છે જે એ સામાન્ય કૃષિ પરિવાર માટે ખૂબ જ અસહ્ય છે. ગુજરાત સરકાર એક પ્રજા વત્સલ, પ્રજાલક્ષ વિકાસ દ્વારા લઈને કાર્ય કર રહી છે, ત્યારે દક્ષિણ ગુજરાતન કેરી પકવતા ખેડૂતોના ખેતરોન બાગાયત વિભાગે યુદ્ધના ધોરણે સર્વે કરવો જોઈએ.

આફૂસ,કેસર,લંગડો,બદામ કેરીના ભાવો વધશે

કેરીના હોલસેલના વેપારીઓએ જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાતના 5 જિલ્લાઓમાં આંબાઓ ઉપર કેરીના પાકને વ્યાપક નુકસાન થતા ચાલુ સિઝનમાં હાફૂસ, કેસર, લંગડો, બદામ કેરીના ભાવો વધશે. અત્યારે વલસાડી હાફુસનો ભાવ 10 કિલોની પેટીનો 2200 રૂપિયા ચાલી રહ્યો છે. તાલાલાની કેસર અને રત્નાગીરીની હાફુસનો ભાવ કિલોનો 300 રૂપિયા ચાલી રહ્યો છે. જે ગયા વર્ષ કરતા બમણો ભાવ છે. બદામ કરી ગયા વર્ષે 50 રૂપિયે કિલો હતી એ 120 રૂપિયે કિલો વેચાઈ રહી છે. શોર્ટ સપ્લાયની વિગતો બહાર આવ્યા પછી આ ભાવો હજી વધશે એમ વેપારીઓ જણાવી રહ્યાં છે.

આ પણ વાંચો :

Diamond Industry: કોરોનાકાળમાં પણ તેજીમાં રહેલા સુરત હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ

Corona Free Surat: 766 દિવસ પછી સુરતની હોસ્પિટલો એકદમ ખાલીખમ, એક્ટિવ કેસોની સંખ્યા શૂન્ય

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Follow Us
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
g clip-path="url(#clip0_868_265)">