AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diamond Industry: કોરોનાકાળમાં પણ તેજીમાં રહેલા સુરત હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ

Diamond Workers: અમરેલી, ભાવનગરના કારખાનામાં કામ કરતા રત્નકલાકારોને(Workers ) મંદીના સમયમાં ખાસ આર્થિક પેકેજ આપવામાં આવે તેવી પ્રબળ માગ ઉઠી છે. સરકારથી લઈને ઉદ્યોગપતિઓના સંગઠનને પણ રજૂઆત કરી દેવામાં આવી છે.

Diamond Industry: કોરોનાકાળમાં પણ તેજીમાં રહેલા સુરત હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ
Diamond workers (File Image )
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 23, 2022 | 9:39 AM
Share

કોરોનાકાળમાં (Corona) પણ ભારે તેજીમાં રહેલા સુરતના હીરાઉદ્યોગમાં(Diamond ) હાલ મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. યુક્રેન(Ukraine) પર રશિયાના હુમલા બાદ સમગ્ર વિશ્વમાં મોંઘવારી વધી ગઈ છે, યુકેન પર રશિયાના હુમલા બાદ ભારતમાં સૌથી વધુ અસર હીરા ઉદ્યોગને થઈ છે અને ભારતમાં હીરા ઉદ્યોગનું સૌથી મોટું કેન્દ્ર સુરત છે, હાલ હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ પ્રવર્તી રહ્યો છે. નાના મોટા અનેક કારખાનેદારોએ રફ ડાયમંડના શોર્ટ સપ્લાયને કારણે કામકાજ ઓછું કરી દીધું છે, નાના કારખાનેદારોએ તો રત્નકલાકારોને બે સપ્તાહનું ઉનાળુ વેકેશન આપવાની જાહેરાત કરી દીધી છે.

યુકેન પર રશિયાના હુમલા બાદ 50થી વધુ દિવસો વીતી ગયા છે અને નાના મોટા કારખાનેદારોએ તેના કારણે કામ ઓછું કરવા માંડ્યું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે રશિયાથી અનેક કારખાનાઓમાં સપ્લાય થતા કાચા હીરાના ઉનાળુ વેકેશનની જાહેરાત જથ્થા પર પ્રતિબંધ લાગી ગયો છે . હીરા ઉદ્યોગકારોને રશિયાની સૌથી મોટી ડાયમંડ માઈનિંગ કંપની કાચા હીરાનો માલ સપ્લાય કરવા માટે તૈયાર છે, પરંતુ, તમામ રશિયન બેંકોને ઈન્ટરનેશનલ પેમેન્ટ સિસ્ટમથી બાકાત કરી દેવામાં આવી હોઈ, સ્થાનિક હીરાના વેપારીઓ, ઉદ્યોગપતિઓ કાચા માલની ખરીદી પહેલા મોકલવું પડતું પેમેન્ટ કરી શક્તા નથી.

સ્થાનિક હીરા ઉદ્યોગના આગેવાનો કહે છે કે છેલ્લા એક મહિનાથી હીરા બજારમાં કાચા હીરાના જથ્થાની કમી વર્તાય રહી છે અને તેના કારણે જ હીરા ઉદ્યોગમાં હાલ મંદી પ્રવર્તી રહી છે. કોરોનાકાળના બે વર્ષ દરમિયાન હીરા ઉદ્યોગ આગ ઝરતી તેજીમાં જોવા મળી રહ્યો હતો, હવે બે વર્ષની તેજી બાદ મંદીનો માહોલ સર્જાતા અનેક કારખાનેદારોએ કામ ઘટાડી નાંખ્યું છે અને કામદારોને પણ ઉનાળુ વેકેશન આપવાનું શરૂ કરી દીધું છે.

હાલમાં કાચા હીરાનો સપ્લાય નથી

જીજેઈપીસીના ચેરમેન અને સ્થાનિક ઉદ્યોગપતિ દિનેશ નાવડિયાએ કહ્યું કે યુક્રેન રશિયા વચ્ચે યુદ્ધની સ્થિતિને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા હીરાનો સપ્લાય ખોટકાયો છે. ભારતમાં અને સુરતમાં પણ ઉદ્યોગપતિઓ, વેપારીઓને કાચા હીરાનો જથ્થો પર્યાપ્ત માત્રામાં નથી મળી રહ્યો. આથી હાલમાં સ્થાનિક હીરા બજારમાં પાંખા કામકાજ જોવા મળી રહ્યા છે. તેમણે ઉમેર્યું કે સામાન્ય સંજોગોમાં પણ એપ્રિલ, મે અને જૂનનો સમયગાળો સ્લેકસીઝનનો જ હોય છે. આ વખતે રફ ડાયમંડના શોર્ટ સપ્લાયને લીધે પરિસ્થિતિ વધુ વિકટ બની છે.

સૌરાષ્ટ્રના રત્નકલાકારો માટે પેકેજની માગનો રેલો સુરત પહોંચશે

હાલ હીરા ઉદ્યોગમાં પાંખા કામકાજને કારણે ભાવનગર, અમરેલી ખાતેના હીરાના કારખાનામાં કામકાજ નહીંવત્ થઈ ગયા છે. અમરેલી, ભાવનગરના કારખાનામાં કામ કરતા રત્નકલાકારોને મંદીના સમયમાં ખાસ આર્થિક પેકેજ આપવામાં આવે તેવી પ્રબળ માગ ઉઠી છે. સરકારથી લઈને ઉદ્યોગપતિઓના સંગઠનને પણ રજૂઆત કરી દેવામાં આવી છે. હવે રત્નકલાકારો માટે પેકેજની માગણી સુરતના હીરા ઉદ્યોગમાંથી પણ ઉઠે તેવા એંધાણ મળી રહ્યા છે.

આ પણ વાંચોઃ Surat: હિન્દુ તરફી પોસ્ટ મુકવા બદલ બંજરંગ દળના કાર્યકરો પર વિધર્મીઓનો હુમલો, 3 ઘાયલ

આ પણ વાંચોઃ Surat : પુણા વિસ્તારમાં તૈયાર થયેલા લેક ગાર્ડનના ઉદ્ઘાટન માટે મુહૂર્તની જોવાતી રાહ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Follow Us
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
g clip-path="url(#clip0_868_265)">