AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરતમાં આમ આદમી પાર્ટીમાં બાર સાંધે તેર તૂટે જેવો ઘાટ, રજુઆત કરવા જતા વચ્ચેથી પણ 8 કોર્પોરેટરો ગાયબ !

વિપક્ષી નેતા ધર્મેશ ભંડેરીએ રજૂઆત વેળા ગેરહાજર રહેલા કોર્પોરેટરો પાસે ખુલાસો માંગ્યો હતો . જેમાં વોર્ડ નં . 4 કાપોદ્રા - હીરાબાગના કોર્પોરેટર ઘનશ્યામ મકવાણાએ મોટરસાઇકલમાં પંક્ચર પડ્યું હોવાનો બોડો ખુલાસો કર્યો હતો . થોડા દિવસો અગાઉ કોર્પોરેટર ઘનશ્યામ મકવાણાએ ભાજપ તરફથી ફોન આવ્યો હોવાનો દાવો કર્યો હતો . હવે ગણતરીના દિવસોમાં જ તેમનો સૂર બદલાયો છે .

સુરતમાં આમ આદમી પાર્ટીમાં બાર સાંધે તેર તૂટે જેવો ઘાટ, રજુઆત કરવા જતા વચ્ચેથી પણ 8 કોર્પોરેટરો ગાયબ !
Thus many arguments in the Aadmi Party about the disappearance of corporators(File Image )
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 10, 2022 | 10:04 AM
Share

આમ આદમી પાર્ટીમાં (AAP) બાર સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ થઇ ચૂકી છે . બુધવારે આપનું ઝાડુ છોડી ભગવો ધારણ કરનારા પાંચેય કોર્પોરેટરોનું(Councilor ) સભ્યપદ રદ કરવા પાલિકામાં(SMC)  થયેલી રજૂઆત વખતે વધુ આઠ કોર્પોરેટરો ગાયબ જણાયા હતા . કેટલાકે સામાજિક તો કેટલાકે પારિવારિક કામ હોવાનો વિપક્ષી નેતા સમક્ષ ખુલાસો કર્યો હતો .

આમ આદમી પાર્ટીના દંડક ભાવના સોલંકી , જયોતિકા લાઠિયા , મનીષા કુકડિયા , ઋતા દુધાગરા અને વિપુલ મોવલિયાએ ગયા અઠવાડિયે આપ સાથે છેડો ફાડ્યો હતો . આપ દ્વારા તેમને ગદ્દાર ઘોષિત કરાયા છે . હવે તેમનું સભ્યપદ રદ થાય તે માટે આપના કોર્પોરેટરો સુરત મહાનગરપાલિકાના કમિશનર બંછાનીધી પાનીને લેખિત રજૂઆત કરવા આપના નગરસેવકો એકઠા થયા હતા .

ઘનશ્યામ મકવાણાની બાઇકમાં પંક્ચર પડ્યું .. ! વિપક્ષી નેતા ધર્મેશ ભંડેરીએ રજૂઆત વેળા ગેરહાજર રહેલા કોર્પોરેટરો પાસે ખુલાસો માંગ્યો હતો . જેમાં વોર્ડ નં . 4 કાપોદ્રા – હીરાબાગના કોર્પોરેટર ઘનશ્યામ મકવાણાએ મોટરસાઇકલમાં પંક્ચર પડ્યું હોવાનો બોડો ખુલાસો કર્યો હતો . થોડા દિવસો અગાઉ કોર્પોરેટર ઘનશ્યામ મકવાણાએ ભાજપ તરફથી ફોન આવ્યો હોવાનો દાવો કર્યો હતો . હવે ગણતરીના દિવસોમાં જ તેમનો સૂર બદલાયો છે . એકાએક બાઇકમાં પંકચર પડ્યું હોવાથી ગેરહાજર હોવાનું જણાવતા આમ આદમી પાર્ટીના કાર્યકરોના ગળે વાત ઊતરી ન હતી . આ સાથે અનેક અટકળો તેજ બની હતી .

ડેપ્યુટી કમિશનરને પાંચેય પક્ષપલટું કોર્પોરેટરો વિરુદ્ધ રજૂઆત કરવામાં આવી હતી . તમામ પાંચેય કોર્પોરેટરોના સભ્યપદ રદ થાય તે માટે આપના બાકી રહેલા 22 કોર્પોરેટરોને પાલિકા કચેરીએ હાજર રહેવા કહેવાયું હતું . 22 પૈકી 14 નગરસેવક જ પાલિકામાં હાજર રહ્યા હતા . આઠ કોર્પોરેટરો એક યા બીજા કારણોસર હાજર નહીં રહી શક્યા હોવાનું જાણવા મળ્યું હતું .

આ પૈકી કેટલાકે પારિવારિક પ્રસંગમાં તો કેટલાકે સામાજિક પ્રસંગમાં  હાજરી આપવી અનિવાર્ય હોય ગેરહાજર રહ્યા હોવાનો ખુલાસો કર્યો  હતો . એકસાથે આઠ કોર્પોરેટરોની  ગેરહાજરી વચ્ચે ફરી એક વખત આપના કોર્પોરેટરોની રાજકીય ગુલાંટીને નવી હવા મળી હતી . ઉલ્લેખનીય છે કે આગામી સપ્તાહે પાલિકામાં બજેટની બોર્ડ મળી રહી છે જેમાં પાટલીબદલું આપના પાંચ કોર્પોરેટરો ભાજપની પંગતમાં સામેલ થશે , આ સાથે સૌ પ્રથમવાર આપના કોર્પોરેટરોનો સામનો કરશે .

આ પણ વાંચો :

Surat : કોરોના છતાં સુરતમાંથી નિકાસ 4 વર્ષમાં 7 હજાર કરોડથી વધીને 18 હજાર કરોડ થઇ, અમેરિકા, યુરોપના દેશોમાં કાપડ હીરાની માગ સૌથી વધારે

લતાજીને રંગોથી શ્રદ્ધાંજલિ: સુરતના રંગોળી આર્ટિસ્ટ દ્વારા 19 કલાકની મહેનતની બાદ તૈયાર કરાયું આ આર્ટ

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">