SURAT : CORONA વાયરસના કેસો વધતા સુરતમાં લોકડાઉન લાગશે કે આંશિક લોકડાઉન?

SURAT CORONA UPDATE : આજે 7 જાન્યુઆરીએ બપોર સુધીમાં જ સુરત શહેરમાં 569 નાગરિકોનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.

SURAT : CORONA વાયરસના કેસો વધતા સુરતમાં લોકડાઉન લાગશે કે આંશિક લોકડાઉન?
There is no possibility of lockdown or partial lockdown in Surat
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Jan 07, 2022 | 4:48 PM

CORONA અંગે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) જિલ્લા કલેકટરે અને સુરત મહાનગરપાલિકા (SMC)ના અધિકારીઓ સાથે બેઠક કરી હતી.

SURAT : સુરત શહેરમાં કોરોના (CORONA) વાયરસના કેસોમાં ભારે ઉછાળો આવતા વહીવટીતંત્ર એકશન મોડમાં આવી ચૂકયુ છે. આજે રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) જિલ્લા કલેકટરે અને સુરત મહાનગરપાલિકા (SMC)ના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. બાદમાં સુરત શહેરના મંત્રી પ્રભારી કનુભાઈ દેસાઈએ સુરત જિલ્લા કલેકટર અને સુરત પાલિકા કમિશનર અને સુરતના તમામ ધરસભ્યો સાથે બેઠક કરી હતી અને અનેક સૂચનાઓ આપવામાં આવી હતી.મંત્રી દ્વારા એ પણ નિવેદન આપવામાં આવ્યું કે હાલમાં સરકાર દ્વારા કોઈ લોકડાઉન (lockdown) કે આંશિક લોકડાઉન નહી કરવામાં આવે.

સુરત જિલ્લા કલેકટર કચેરી ખાતે આ બેઠકમાં પ્રભારી મંત્રીએ સુરત શહેર જિલ્લામાં કોરોનાની પરિસ્થિતિ, ઓક્સિજનની ઉપલબ્ધતા, જરૂરી બેડની ઉપલબ્ધતા, રેપીડ ટેસ્ટ, વેક્સીનેશન અંગેની કામગીરી અને આગોતરી તૈયારીઓ અંગેની કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરી હતી.સાથે બેઠકમાં તમામ માહિતી પણ આપવામાં આવી હતી.

તેમણે કહ્યું કે કોરોના વાયરસની પ્રથમ અને બીજી લહેરમાં સુરત શહેર જિલ્લામાં સારી કામગીરી કરવામાં આવી હતી. કોરોનાના નવા વેરીએન્ટ ઓમિક્રોન (OMICRON) સામે લડવા આપણને કોઇપણ બાબતમાં ચૂક કરવી પાલવે તેમ નથી. કોરોનાની સંભવિત ત્રીજી લહેર આવે તે માટેની પૂર્વ તૈયારી જ કોરોનાને નાથવાં માટેનો ઉપાય છે.

અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો

જિલ્લામાં કોરોનાના બેડની સ્થિતિ, ઓક્સીજનની ઉપલબ્ધતા,જરૂરી દવાનો જથ્થો વગેરેની સમીક્ષા કરી આકસ્મિક સંજોગોમાં પુરતી તૈયારીઓ રાખવાં માટેની સૂચનાઓ ઉપસ્થિત અધિકારીઓને આપી હતી.

જ્યારે અંદરની માહિતીની વાત કરવામાં આવે તો સુરત શહેરના એક જ ધારાસભ્યએ મિટિંગમાં પ્રભારીને કહ્યું હતું કે જે મેળાવડા થાય છે તે થવા ન જોઈએ એટલે કે સુરતમાં જે સ્થિતિ છે તે ખરાબ છે, નહીં તો હજુ પણ કેસો વધી શકે છે જ્યારે આ બાબતે સુરત મહાનગરપાલિકા દ્વારા હવે કોઈ નક્કર નિર્ણય લેવામાં આવી શકે છે.

સુરતમાં આજે બપોર સુધીમાં 569 કેસ કોરોના મહામારીના ત્રીજા તબક્કાની સંભવિત લહેર પર અંકુશ મેળવવા માટે રાજય સરકાર દ્વારા હવે આકરા નિર્ણયોની પ્રબળ શક્યતા વચ્ચે આજે 7 જાન્યુઆરીએ બપોર સુધીમાં જ સુરત શહેરમાં 569 નાગરિકોનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.ગુરૂવારે રેકોર્ડબ્રેક 1,105 કેસો બાદ આજે બપોર સુધીમાં 550થી વધુ કેસો નોંધાતા તંત્ર પણ સાબદું થઈ ગયું છે. આ સિવાય સિવિલ હોસ્પિટલમાં આજે કોરોનાગ્રસ્ત વધુ એક મહિલાનું મૃત્યુ થયું છે.

આ પણ વાંચો : આરોગ્ય કર્મચારીઓએ PPE કિટ પહેરવાની જરૂર નથી, N95 માસ્ક અને ફેસ શિલ્ડ પૂરતા છે: AIIMS ડિરેક્ટર રણદીપ ગુલેરિયા

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">