થાઇલેન્ડની યુવતીની મોતની મીસ્ટ્રી, પોલીસે એસઆઇટીની કરી રચના, 4 થાઇલેન્ડની યુવતીની દૂભાષીયાની મદદથી પુછપરછ હાથ ધરાઈ

|

Sep 18, 2020 | 9:02 PM

થાઇલેન્ડની યુવતીની હત્યા કે અકસ્માત મોતની મીસ્ટ્રી ઉકેલવા માટે આજે પોલીસના ઉચ્ચ અધિકારીઓએ એફએસએલ, નવી સિવિલ હોસ્પિટલના મેડિકલ ફોરેન્સિક એક્ષ્પર્ટ, ડીજીવીસીએલના અધિકારીઓની મદદથી ચારથી પાંચ કલાક સુધી ઘટના સ્થળની તપાસ કરવામાં આવી હતી. મોતની મીસ્ટ્રી ઉકેલવા પો. કમિશનર અજયકુમાર તોમરે ડીસીપી વિધી ચૌધરીના નેતૃત્વમાં એસઆઇટીની રચના કરવામાં આવી છે. મગદલ્લા ગામના ગુરખા સ્ટ્રીટમાં નગીન પટેલના […]

થાઇલેન્ડની યુવતીની મોતની મીસ્ટ્રી, પોલીસે એસઆઇટીની કરી રચના, 4 થાઇલેન્ડની યુવતીની દૂભાષીયાની મદદથી પુછપરછ હાથ ધરાઈ
https://tv9gujarati.in/thailand-ni-yuvt…puchparach-karai/

Follow us on

થાઇલેન્ડની યુવતીની હત્યા કે અકસ્માત મોતની મીસ્ટ્રી ઉકેલવા માટે આજે પોલીસના ઉચ્ચ અધિકારીઓએ એફએસએલ, નવી સિવિલ હોસ્પિટલના મેડિકલ ફોરેન્સિક એક્ષ્પર્ટ, ડીજીવીસીએલના અધિકારીઓની મદદથી ચારથી પાંચ કલાક સુધી ઘટના સ્થળની તપાસ કરવામાં આવી હતી. મોતની મીસ્ટ્રી ઉકેલવા પો. કમિશનર અજયકુમાર તોમરે ડીસીપી વિધી ચૌધરીના નેતૃત્વમાં એસઆઇટીની રચના કરવામાં આવી છે.


મગદલ્લા ગામના ગુરખા સ્ટ્રીટમાં નગીન પટેલના મકાનમાં ભાડાની રૂમમાં રહેતી થાઇલેન્ડની યુવતી વનીદા બુર્સોનની રૂમમાંથી સળગીને ભડથું થયેલી હાલતમાં લાશ મળી આવવાની ઘટનામાં હત્યા કે અકસ્માત મોતની મીસ્ટ્રી ઉકેલવા માટે પોલીસે કવાયત હાથ ધરી છે. આજે દિવસ દરમ્યાન ઉમરા પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.એલ. સાળુંકે વનીદાની રૂમ પાર્ટનર રૂહીવા મીંગટીકા ઉપરાંત આડા સહિત 4 થાઇલેન્ડની યુવતીની દૂભાષીયાની મદદથી પુછપરછ હાથ ધરી હતી. બીજી તરફ અધિક પો. કમિશનર એચ.આર. મુલીયાણા, ડીસીપી વિધી ચૌધરી સહિતના પોલીસ અધિકારીઓએ વનીદાની જયાંથી સળગીને ભડથું થયેલી લાશ મળી હતી તે રૂમમાં એફએસએલના ડેપ્યુટી ડાયરેક્ટર બી.પી. પટેલ અને આસીસટન્ટ ડાયરેક્ટર સહિત ટીમ, નવી સિવિલ હોસ્પિટલના મેડીકલ ફોરેન્સિક એક્ષ્પર્ટની ટીમ અને ડીજીવીસીએલ (દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમીટેડ) ના એન્જિનીયરોને સાથે રાખી 4થી 5 કલાક સુધી તપાસ કરવામાં આવી હતી તમામનો અભિપ્રાય માંગવામાં આવ્યો છે.


ડીજીવીસીએલના એન્જિનીયરોએ હાથ ધરેલી તપાસમાં સ્વીચ બોર્ડના પ્લગમાંથી મલ્ટી એક્ષ્ટેનશન બોર્ડનો પ્લગ નાંખવામાં આવ્યો હતો. જેમાં મોબાઇલ ચાર્જર ઉપરાંત ટેબલ ફેનનો પ્લગ પણ હતો. જેથી શોર્ટ સર્કીટથી આગ લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

થાઇલેન્ડની યુવતીની હત્યા કે અકસ્માત મોતની મીસ્ટ્રી ઉકેલવા પો. કમિશનર અજયકુમાર તોમરે ડીસીપી વિધી ચૌધરીના નેતૃત્વમાં એસઆઇટીની રચના કરવામાં આવી છે. જેમાં ઉમરા પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.એલ. સાળુંકે, ક્રાઇમ બ્રાંચના સબ ઇન્સ્પેકટર સી.આર. દેસાઇ અને ખટોદરા પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેકટર એ.કે. કુવડીયાની નિમણુંક કરવામાં આવી છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 9:26 am, Tue, 8 September 20

Next Article