Surat : રિવરફ્રન્ટ પ્રોજેક્ટ માટે વર્લ્ડ બેન્કની ટીમ સુરત આવીને ગઈ, પણ લોન ક્યારે મળશે હજી કંઈ નક્કી નથી

મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલે 26 નવેમ્બર 2021ના રોજ સુરત મહાનગર પાલિકાના રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે તાપી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડને સ્પેશિયલ પર્પઝ વ્હીકલ (SPV) તરીકે બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો

Surat : રિવરફ્રન્ટ પ્રોજેક્ટ માટે વર્લ્ડ બેન્કની ટીમ સુરત આવીને ગઈ, પણ લોન ક્યારે મળશે હજી કંઈ નક્કી નથી
World Bank Team in Surat (File Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 20, 2022 | 2:14 PM

સુરત મહાનગરપાલિકાનો (SMC) મહત્વાકાંક્ષી તાપી રિવરફ્રન્ટ (Riverfront )પ્રોજેક્ટ ચાર વર્ષમાં પણ સાકાર થઈ શક્યો નથી. 3904 કરોડના આ પ્રોજેક્ટ માટે વિશ્વ બેંક (World Bank ) પાસેથી હજી સુધી લોન ઉપલબ્ધ થઇ નથી. વિશ્વ બેંકની ટીમ અત્યારસુધી બે વખત સુરત આવી ચુકી છે, તેમ છતાં હજી પણ તે લોન આપવાની ખાતરી આપી રહી છે. વર્લ્ડ બેંક પાસેથી આ પ્રોજેક્ટ માટે1991 કરોડ રૂપિયાની લોનની જરૂર છે, પરંતુ તે ક્યારે મળશે તે અંગે કોઈને ખબર નથી. એડિશનલ સીટી ઈજનેર આશિષ દુબેના કહેવા પ્રમાણે જ્યારે લોન મળશે ત્યારે જ પ્રોજેક્ટ શરૂ થશે. આ વખતે વિશ્વ બેંકની ટીમ 9 થી 14 મે દરમિયાન સુરતમાં આવી હતી.

આમ તો વિશ્વ બેંક પાસેથી લોન લેવાની વાત છેલ્લા  8 મહિનાથી ચાલી રહી છે, પરંતુ તે હજુ પણ આ લોન અંગે અસમંજસની સ્થિતિમાં છે. મહાનગરપાલિકામાં પદાધિકારીઓ અને કમિશનર દ્વારા વર્લ્ડ બેંકની ટીમ સમક્ષ પ્રોજેક્ટનું પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું. જેમાં તાપી રિવરફ્રન્ટની રચના અને પ્રોજેક્ટને લગતી કામગીરી વિશે માહિતી આપવામાં આવી હતી. આ મીટીંગમાં પણ વર્લ્ડ બેંકની ટીમ દ્વારા પ્રોજેક્ટમાં સંપૂર્ણ સહકાર આપવાની વાત કરી હતી, પરંતુ તેના માટે લોન ક્યારે આપવામાં આવશે તે જણાવ્યું ન હતું.

રિવરફ્રન્ટ પ્રોજેક્ટની વિગતો

આખો પ્રોજેક્ટ રૂ. 3904 કરોડનો છે, જેમાં વિશ્વ બેન્ક પાસેથી રૂ. 1991 કરોડની લોન લેવાની છે. રિવરફ્રન્ટ પ્રોજેક્ટ 33 કિમીના વિસ્તારમાં સાકાર કરવામાં આવનાર છે. જેના પ્રથમ તબક્કામાં ONGC બ્રિજથી વિયર કમ કોઝવે સુધી 10 કિમીનું કામ કરવામાં આવશે જયારે બીજા તબક્કામાં વિયર વર્ક કોઝવેથી બ્રિજ સુધી 23 કિમીનું કામ કરવામાં આવશે, 33 કિમીમાં તાપી નદીની બંને કાંઠે રિવરફ્રન્ટ બનાવવામાં આવશે. તાપી રિવરફ્રન્ટ યોજનાને આગળ વધારવા માટે સ્પેશિયલ પર્પઝ વ્હીકલ કંપની (SVP)ની રચના પણ કરવામાં આવી છે. 24 ડિસેમ્બર 2018ના રોજ હાલના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મહેસૂલ મંત્રી કૌશિક પટેલની સામે કહ્યું હતું કે જો અમદાવાદમાં રિવરફ્રન્ટ બની શકે છે તો સુરતમાં કેમ નહીં, આટલા વર્ષો બાદ અનેક બેઠકો પછી પણ હજુ સુધી કંઈ થયું નથી.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે તાપી નદી પર પરંપરાગત બેરેજના બાંધકામ માટે ફરીથી ટેન્ડરો મંગાવવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટમાં વિશાળ પાણીનું સરોવર બનાવવામાં આવશે. આ સાથે 33 કિમી વિસ્તારમાં પાણી વિસ્તારમાં રિવરફ્રન્ટ વિકસાવવામાં આવશે. ફેઝ-1માં 1236 કરોડ તેમજ ફેઝ-2માં રૂ.2668 કરોડ ખર્ચવામાં આવશે. આમ પ્રોજેક્ટનો કુલ અંદાજિત ખર્ચ રૂ.3904 કરોડ જેટલો થવા જાય છે. મહાનગરપાલિકાની આ દરખાસ્તને રાજ્ય સરકારે પણ ક્યારની લીલી ઝંડી આપી દીધી છે.

નોંધનીય છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 26 નવેમ્બર 2021ના રોજ સુરત મહાનગર પાલિકાના રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે તાપી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડને સ્પેશિયલ પર્પઝ વ્હીકલ (SPV) તરીકે બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમણે મ્યુનિસિપલ કમિશનરને એસપીવીના અધ્યક્ષ બનાવવાનો નિર્ણય કર્યો છે. રિવરફ્રન્ટથી પાણી અને જમીનની વ્યવસ્થા કરવાની પણ યોજના નક્કી કરવામાં આવી  છે.સરોવરની બંને બાજુએ રૂંઢ-ભાઠા થી સિંગણપોર સુધીનો વોક-વે તૈયાર કરવામાં આવશે. સાથે જ લોકોના મનોરંજન, પર્યટન અને વાહનવ્યવહાર માટેની સુવિધાઓ પણ તબક્કાવાર વિકસાવવામાં આવશે. નદીના કિનારે હરિયાળી અને મનોરંજનના સાધનો પણ વિકસાવવામાં આવશે. જેમાં બોટીંગ અને વોટર ગેમ્સની પણ સુવિધા હશે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">