Surat : યુવાઓના સર્વાંગી વિકાસ માટે સુરતમાં “સરદારધામ” બનાવવાની વિચારણા

આર્થિક રીતે નબળા યુવક-યુવતીઓને સારું ઉચ્ચ શિક્ષણ અને તાલીમ મળી રહે તે માટે સુરતમાં સરદારધામ બનાવવાનો વિચાર ચાલી રહ્યો છે. આગામી દિવસોમાં આ વિચારને અમલીકૃત કરવામાં આવશે.

Surat : યુવાઓના સર્વાંગી વિકાસ માટે સુરતમાં સરદારધામ બનાવવાની વિચારણા
Surat: Consideration to build "Sardardham" in Surat for all round development of youth
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 09, 2021 | 12:03 AM

સુરત 21મી સદી જ્ઞાન વિજ્ઞાન(Science ) અને આધુનિકતાની સદી છે. તેવામાં શેરના પાટીદાર યુવાવર્ગ દ્વારા યુવાઓના સર્વાંગી વિકાસ માટે સરદારધામ ભવનનું(Sardar Dham ) નિર્માણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મિશન 2026 અંતર્ગત સુરતમાં અંદાજે  200 કરોડના ખર્ચે સરદારધામનું નિર્માણ કરવાની તૈયારી કરાઈ રહી છે. સરદારધામના પહેલા ચરણમાં એક હજાર દીકરીઓ અને એક હજાર દીકરાઓ માટે આવાસ ભોજન અને શિક્ષણની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની યોજના છે.

આ ક્ષમતા વધારીને 10 હજાર કરવાનો પણ લક્ષ્ય છે. સરદારધામમાં આર્થિક રીતે નબળા પરિવારોની દીકરીઓને ઉચ્ચ શિક્ષણ માટે બધી જ સુવિધાઓ મફત આપવાની પણ તૈયારી કરવામાં આવી રહી છે. તેની સાથે જ આર્થિક રીતે નબળા દીકરાઓના ખર્ચ પણ સંસ્થાના દાતાઓના સહયોગથી ઉઠાવવામાં આવશે.

સરદારધામ બનાવવા માટે જમીન શોધવા કમિટી બની :

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

સરદારધામના પદાધિકારીઓએ જણાવ્યું છે કે સુરતમાં આ સરદારધામ ક્યાં બનશે તેના માટે એક કમિટી બનાવવામાં આવી છે. જે આગામી દિવસોમાં અલગ અલગ વિસ્તારમાં જમીનના વિકલ્પો શોધશે. તે બાદ યોગ્ય જગ્યા પર સરદારધામનું નિર્માણ કરવામાં આવશે. સુરતના યુવાનોને આ વિચાર અમદાવાદમાં 200 કરોડના ખર્ચે બનીને તૈયાર થયેલ સરદારધામ ભવનની મુલાકાત લીધા પછી આવ્યો છે. સરદારધામમાં દીકરીઓને લાભ માટે એક રૂપિયાના ટોકન પર પ્રવેશ આપવામાં આવશે. જયારે સક્ષમ દીકરીઓની પાસેથી મામૂલી રકમ લઈને પ્રવેશ આપવામાં આવશે.

પહેલા તબક્કામાં બે હજાર બાળકોને આપવામાં આવશે સુવિધા : સરદારધામના પ્રમુખ ગગજીભાઈ સુતરિયાએ જણાવ્યું છે કે સુરતમાં પાટીદાર સમાજની વસ્તી 18 લાખ નજીક છે. જેના પ્રમાણે સુરતમાં ઓછામાં ઓછા 10 હજારની ક્ષમતા ધરાવતા ભવનની જરૂરિયાત છે. પરંતુ પહેલા તબક્કામાં સરદારધામમાં એક હજાર દીકરીઓ અને 1 હજાર દીકરાઓ માટે રહેવા, ખાવા પીવા અને શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવશે. સમાજના બાળકો સિવિલ સર્વિસ, એન્જીનીયરીંગ અને મેડિકલ સહિત અન્ય ક્ષેત્રોમાં કેરિયર બનાવી શકે તે માટે ભાર આપવામાં આવશે. અહીં મોટાભાગની સુવિધાઓ નિઃશુલ્ક આપવાનો પ્રયત્ન કરવામાં આવશે.

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">