AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : સ્વચ્છતા માટે એવોર્ડ મેળવનાર સુરત શહેરની આ સોસાયટીના લોકોએ કેમ ફેંક્યો જાહેરમાં કચરો ?

ચાર ચાર દિવસથી કચરા ગાડી ન આવતાં લોકોના ઘરમાં કચરો ભેગો થયો હતો. પાલિકા તંત્ર કે ચુંટાયેલા પ્રતિનિધિમાથી પણ કોઇ સાંભળતું ન હોવાથી પાલિકાની આંખ ખોલવા માટે જાહેર રસ્તા પર કચરો નાંખવામા આવ્યો છે.

Surat : સ્વચ્છતા માટે એવોર્ડ મેળવનાર સુરત શહેરની આ સોસાયટીના લોકોએ કેમ ફેંક્યો જાહેરમાં કચરો ?
Garbage on Road
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 13, 2021 | 9:34 AM
Share

સુરત મનપાના વરાછા(Varachha ) ઝોનમાં પુણા વિસ્તારની કેટલીક સોસાયટીમાં ડોર ટુ ડોર ગાર્બેજ(Door to Door ) કલેક્શનની નબળી કામગીરીનો સ્થાનિકોએ રવિવારે અનોખો વિરોધ કર્યો હતો . છેલ્લા ચાર દિવસથી કચરા ગાડી ન આવતાં કેટલીક સોસાયટીના રહીશોએ જાહેર રોડ પર કચરાના ઢગ કર્યા હતા . લોકોની ફરિયાદ બાદ પણ કચરા ગાડી નહીં મોકલતાં લોકોએ રસ્તા પર કચરો ફેંકીને પોતાનો ગુસ્સો અને વિરોધ વ્યક્ત કર્યા હતો .

સુરત મનપાના વરાછા ઝોનમાં પુણા વિસ્તારમા શાંતિનીકેતન સોસાયટી આવેલી છે. આ સોસાયટી ઉપરાંત અન્ય કેટલીક સોસાયટીમાં છેલ્લા ચારેક દિવસથી ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની ગાડી આવતી નથી . આ અંગે સોસાયટીના રહીશોની ફરિયાદ બાદ પણ ગાડી નહીં આવતાં વિફરેલા લોકોએ પાલિકાની આંખ ખોલવા માટે ઘર ઘરનો કચરો ભેગો કરીને જાહેર રસ્તા પર નાખ્યો હતો .

સોસાયટીના લોકો આક્રોશ કરતાં જણાવ્યું હતું કે , ચાર ચાર દિવસથી કચરા ગાડી ન આવતાં લોકોના ઘરમાં કચરો ભેગો થયો હતો . પાલિકા તંત્ર કે ચુંટાયેલા પ્રતિનિધિમાથી પણ કોઇ સાંભળતું ન હોવાથી પાલિકાની આંખ ખોલવા માટે જાહેર રસ્તા પર કચરો નાંખવામા આવ્યો છે . હજી પણ પાલિકા તંત્ર કચરા ગાડી નિયમિત નહી કરે તો આગામી દિવસોમાં લોકો દ્વારા આક્રમક વિરોધ કરવામા આવશે . લોકોનો આવો વિરોધ જોઇને પાલિકા તંત્ર દોડતું થયું છે .

અન્ય એક સ્થાનિકનું કહેવું છે કે સ્વચ્છતા ના નામે સુરત શહેર અનેક એવોર્ડ મેળવે છે. પણ પોશ વિસ્તારોને બાદ કરતા શહેરના ઘણા વિસ્તારોની હાલત એવી છે જ્યાં સ્વચ્છતા માટે કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. અમારા વિસ્તારની જ વાત કરી લો, અમારી સોસાયટીમાં છેલ્લા ચાર દિવસથી કચરા ગાડી આવી નથી. કોર્પોરેશનની ઝોન ઓફિસમાં અસંખ્ય વાર રજૂઆતો કરી છે, પણ કોઈ સાંભળવા આવ્યું નથી. કોર્પોરેટરોના ફોન બંધ આવે છે.

જેથી લોકોએ આખરે કંટાળીને રસ્તો જાહેરમાં ફેંકવાની ફરજ પડી છે. જો આવું ને આવું રહેશે તો અમે આગામી દિવસોમાં સોસાયટીનો બધો કચરો ભેગો કરીને કોર્પોરેશનની કચેરી નહીં તો મેયરના ઘરની બહાર ફેંકવા જઈશું. સ્વચ્છતાના નામે જયારે આટલા એવોર્ડ મહાનગરપાલિકાને મળતા હોય તો કોર્પોરેશને દરેક વિસ્તારોમાં સરખું ધ્યાન આપવાની પણ જરુર છે.

આ પણ વાંચો : અમદાવાદના સરખેજમાં લેન્ડ ગ્રેબિંગ કેસમાં આરોપીની ધરપકડ, સરખેજ રોજા કમિટીએ કરી હતી ફરિયાદ

આ પણ વાંચો :  કચ્છના બેન્ટોનાઇટ ઉદ્યોગ પર સંકટના વાદળો, નીતિ બદલવા ગુજરાતના સીએમને પત્ર લખ્યો

Follow Us
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">