AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : દર 10 વર્ષે બમણો વસ્તીવધારો છતાં શું છે સુરત કોર્પોરેશનની સફળતાનું મોટું રહસ્ય ?

આગામી20-30 વર્ષના વિઝનને હંમેશા ધ્યાને રાખી કરવામાં આવતું પ્લાનિંગ જ મનપાની સફળતાનું મુખ્ય કારણ છે . આવકના નવા સ્ત્રોત ઊભા કરાયા છે . સાથે જ પીપીપી ધોરણે માળખું ઊભું કરી રેવન્યૂ ખર્ચ ઘટાડવાના પ્રયાસ કરાયા છે . શહેરમાં અગાઉ 20 ટકાથી વધુ લોકો ઝૂંપડપટ્ટીઓમાં રહેતા હતા . આજે 5.5 ટકા વસતિ સ્લમ પોકેટમાં રહે છે .

Surat : દર 10 વર્ષે બમણો વસ્તીવધારો છતાં શું છે સુરત કોર્પોરેશનની સફળતાનું મોટું રહસ્ય ?
What is the big secret of Surat Corporation's success despite double population growth every 10 years?(File Image )
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 18, 2022 | 8:55 AM
Share

Surat સ્થાયી સમિતિ અને મનપાની (SMC) સામાન્ય સભામાં લેવાતાં નિર્ણયોના અમલીકરણ માટેના મુખ્ય સારથી એવાં મનપા કમિશનરની ભૂમિકા શહેરના ડેવલપમેન્ટમાં (Development )સૌથી ચાવીરૂપ હોય છે . ટીમ સુરતનો શહેરના હિતમાં અને પ્રજા પ્રત્યે ચૂંટાયેલી પાખની કટિબદ્ધતા સાબિત કરવા કઇ રીતે ઉપયોગ કરવો ? તેના સારથી મનપા કમિશનર હોય છે .

દર 10 વર્ષમાં સુરતમાં વસતિ બમણી થાય છે છતાંય શહેરમાં ક્યારેય પાણી , ડ્રેનેજ , રસ્તા , લાઇટ જેવી પ્રાથમિક સુવિધા , માળખાકીય સુવિધામાં ઉણપ આવી નથી તેનો શ્રેય આગામી 20-30 વર્ષનું વિઝન લઇને ચાલતાં વહિવટીતંત્રને જ આભારી છે . મનપા કમિશનરે સ્પષ્ટ કર્યુછે  કે , આયોજનબદ્ધ ભાવિ પ્લાનિંગ મનપાની સફળતાનું મોટું રહસ્ય છે .

મનપા કમિશનર બંછાનિધિ પાનીએ સભાગૃહમાં જણાવ્યું કે , સુરતમાં દર એક દાયકામાં જે દરે વસતિ વધે છે . તેટલી ઝડપે કદાચ ભારતના કોઇ જ શહેરમાં વસતિ વધતી નથી . આમ છતાં , માળખાકીય સુવિધામાં કોઇ તકલીફ તંત્રને પડી નથી . આગામી 2050 સુધીની સંભવિત વસતિને ધ્યાને રાખી ડ્રેનેજ , પાણીનું નેટવર્ક તૈયાર કરવામાં આવી રહ્યું છે .

આગામી20-30 વર્ષના વિઝનને હંમેશા ધ્યાને રાખી કરવામાં આવતું પ્લાનિંગ જ મનપાની સફળતાનું મુખ્ય કારણ છે . આવકના નવા સ્ત્રોત ઊભા કરાયા છે . સાથે જ પીપીપી ધોરણે માળખું ઊભું કરી રેવન્યૂ ખર્ચ ઘટાડવાના પ્રયાસ કરાયા છે . શહેરમાં અગાઉ 20 ટકાથી વધુ લોકો ઝૂંપડપટ્ટીઓમાં રહેતા હતા . આજે 5.5 ટકા વસતિ સ્લમ પોકેટમાં રહે છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ એક વર્ષમાં મનપાએ 20 હજારથી વધુ આવાસો બનાવ્યા છે . શહેરમાં માસ ટ્રાન્સપોર્ટેશનનું માળખું ખૂબ જ સુદૃઢ છે . ટૂંક સમયમાં મેટ્રો શરુ થવાથી શહેરમાં એકમાત્ર સીસ્ટમથી મલ્ટિ મોડેલ ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરી શકાશે . નવા વિસ્તારોના સમતોલ વિકાસ માટે 40 નવી ટી . પી . સ્કીમોનું આયોજન કરવામાં આવશે અને આ વિસ્તારોમાં મનપાને 40 ટકા લેખે પ્રાથમિક સુવિધા , ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટો માટે 2 કરોડ ચો . મીટર જમીન ઉપલબ્ધ થઇ રહેશે . છે

લ્લાં ત્રણ વર્ષથી સુરત સ્માર્ટ સિટીમાં દેશમાં પ્રથમ આવે છે , પરંતુ ગૃહમાં બેઠેલા સૌ નગરસેવકોના સહકારથી હવે મનપાને સ્વચ્છતા સર્વેક્ષણમાં દેશમાં પ્રથમ ક્રમે લાવવાની નેમ છે . સૌ નગરસેવકોને સુરતને દેશનું સૌથી સ્વચ્છ શહેર બનાવવાના મિશનમાં સહભાગી બનવાની અપીલ મનપા કમિશનરે કરી હતી .

આ પણ વાંચો :

Surat Airport : સુરત એરપોર્ટ વિસ્તરણને લઈને એરપોર્ટ એડવાઇઝરી કમિટીની બેઠક મળી, પેરેલલ રન વે બનાવવાના કામમાં ઓએનજીસીની પાઇપલાઇનનો અવરોધ

હાથ ટ્રાન્સપ્લાન્ટ પછી મળ્યું નવું જીવન, મહિલાએ કહ્યું- હું મારા બાળકોની સંભાળ લઈ સારી રીતે તેનો ઉછેર કરી શકીશ

Follow Us
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણનું મોટું નિવેદન, જુઓ Video
વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણનું મોટું નિવેદન, જુઓ Video
ગુજરાતના આદિવાસી પટ્ટામાં ભારે ગરમી વચ્ચે ઊંચુ મતદાન
ગુજરાતના આદિવાસી પટ્ટામાં ભારે ગરમી વચ્ચે ઊંચુ મતદાન
ચૂંટણીઓ ક્યારેય ધર્મ આધારિત ન હોઈ શકે... હર્ષ સંઘવીએ આવું કેમ કહ્યું?
ચૂંટણીઓ ક્યારેય ધર્મ આધારિત ન હોઈ શકે... હર્ષ સંઘવીએ આવું કેમ કહ્યું?
અમરેલીમાં ચૂંટણી સમયે ભાજપ અને AAP કાર્યકરો વચ્ચે ઘર્ષણ, જુઓ Video
અમરેલીમાં ચૂંટણી સમયે ભાજપ અને AAP કાર્યકરો વચ્ચે ઘર્ષણ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">