AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : નેશનલ એજ્યુકેશન પોલીસીનો અમલ કરનાર VNSGU પહેલી યુનિવર્સીટી બની

વીર નર્મદ યુનિવર્સીટી નેશનલ એજ્યુકેશન પોલીસીનો અમલ કરી શકી છે, તેનું કારણ યુનિવર્સીટીના અધ્યાપકો, આચાર્યો, વિવિધ અધિકાર મંડળના સભ્યો, સેનેટ, સિન્ડિકેટ, યુનિવર્સટીના અધિકારીઓ અને કર્મચારીઓ વગેરેએ મહેનત કરી તેનું પરિણામ છે.

Surat : નેશનલ એજ્યુકેશન પોલીસીનો અમલ કરનાર VNSGU પહેલી યુનિવર્સીટી બની
Surat -VNSGU
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 22, 2021 | 5:40 PM
Share

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે મળેલી રાજ્યની 32 સ્ટેટ યુનિવર્સીટીઓના કુલપતિઓની બેઠકમાં દક્ષિણ ગુજરાતની વીર નર્મદ યુનિવર્સીટીની (VNSGU) એ બાબતે તમામે નોંધ લીધી કે નેશનલ એજ્યુકેશન પોલીસીના (National Education Policy) અમલ માટેની તમામ પૂર્વ તૈયારીઓ જેમાં જે તે અધિકાર મંડળોમાં ઠરાવો કરાવવાથી લઈને તેનો અમલ કરવા બાબતની તમામ પ્રોસિજર પૂર્ણ કરનાર રાજ્યની જો કોઈ યુનિવર્સીટી હોય તો એ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી છે.

રાજ્ય સરકારે એન.ઈ.પી.ના અમલ માટે જે કામગીરી સોંપી છે, તે પૈકી 80 ટકા કામગીરી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીએ પૂર્ણ કરી લીધી છે. ગુજરાતમાં ચાલુ વર્ષથી નેશનલ એજ્યુકેશન પોલીસીનો અમલ જોરશોરથી શરૂ થઇ શકે તે માટે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, શિક્ષણમંત્રી જીતુ વાઘાણી અને શિક્ષણ રાજ્યમંત્રી ડો. ડીંડોરની ઉપસ્થિતિમાં રાજ્યની 32 સરકારી યુનિવર્સીટીઓના કુલપતિઓની એક મિટિંગ ગાંધીનગર ખાતે યોજવામાં આવી હતી.

જેનો ઉદ્દેશ્ય યુનિવર્સીટીઓને નેશનલ એજ્યુકેશન પોલીસીના અમલ માટે શોર્ટ ટર્મ, મીડીયમ ટર્મ અને લોન્ગ ટર્મમાં કયા કયા કામો કરવા તે અંગેની જાણકારી આપવાનો અને યુનિવર્સીટીઓએ કરેલી કામગીરીનો રિપોર્ટ લેવાનો હતો.

આખા રાજ્યમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી એક માત્ર એવી યુનિવર્સીટી છે, જેણે નેશનલ એજ્યુકેશન પોલીસીના અમલ માટે એડવાન્સમાં તમામ કામગીરીઓ પૂર્ણ કરી દીધી છે. વીર નર્મદ યુનિવર્સીટીએ એન.ઈ.પી.ના અમલીકરણ માટે સર્વોચ્ચ અધિકાર મંડળ ખાસ સેનેટની સાધારણ સભા પણ યોજી હતી અને તેમાં ઠરાવો પાસ કાર્ય હતા. જેની ફલશ્રુતિ રૂપે સરકારે જે કામગીરી સોંપી છે, તેનો અમલ વીર નર્મદ યુનિવર્સીટીએ એડવાન્સમાં કરાવી દીધો છે તેની સૌએ નોંધ લીધી છે.

દરેકના સહયોગથી જ નેશનલ એજ્યુકેશન પોલીસીનો અમલ શક્ય : કુલપતિ વીએનએસજીયુના કુલપતિ ડો. કિશોર સિંહ ચાવડાએ જણાવ્યું હતું કે વીર નર્મદ યુનિવર્સીટી નેશનલ એજ્યુકેશન પોલીસીનો અમલ કરી શકી છે, તેનું કારણ યુનિવર્સીટીના અધ્યાપકો, આચાર્યો, વિવિધ અધિકાર મંડળનના સભ્યો, સેનેટ, સિન્ડિકેટ, યુનિવર્સટીના અધિકારીઓ અને કર્મચારીઓ વગેરેએ મહેનત કરી તેનું પરિણામ છે. જેમણે તમામ ઠરાવોના ડ્રાફટિંગથી લઈને તેમાં સુધારા વધારા કરીને આખરે સેનેટની ખાસ સભામાં પસાર કરાવ્યા ત્યાર યુનિવર્સીટીને આ શ્રેય મળી શક્યો છે.

યુનિવર્સીટીએ આ કામગીરી શરૂ પણ કરી દીધી –ડિગ્રી કોર્સમાં મળતી લેવલ એક્ઝિટ પોલિસી –દરેક અભ્યાસક્રમમાં ટ્રાન્સફર પોલિસી –કોઈ પણ અભ્યાસક્ર્મમાં મલ્ટીલેવલ એન્ટ્રી –4 વર્ષમાં ઓનર્સ ગ્રેજ્યુએશન કોર્સનો અમલ –એકેડેમિક બેન્ક ઓફ ક્રેડિટનો અમલ –ઓન ડિમાન્ડ એક્ઝિટ પોલિસી

આ પણ વાંચો : સુરતમાં રફ હીરાની હરાજી થશે, રશિયાની વિશ્વની ટોચની કંપની અલરોઝાએ દર્શાવી તૈયારી

આ પણ વાંચો : Karwa Chauth : સુરતમાં કરવાચોથ માટે મોર્ડન વહુઓ માટે રેડીમેડ સરગીની થાળીઓ ઉપલબ્ધ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">