સુરતની સ્થાનિક એનજીઓ(NGO) , GPCB અને પાંડેસરા ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ વચ્ચે પાંડેસરા(Pandesara ) ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં નવનિર્મિત ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની ઓફિસ પાસે વિશાળ શહેરી જંગલ બનાવવા માટે એક એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. જેની સાથે પ્રથમ તબક્કાનું વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. આ પહેલી જ વખત છે જયારે કોઈ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં અર્બન ફોરેસ્ટ તૈયાર કરવામાં આવ્યું હોય. આ જંગલને કારણે અહીંના તાપમાનમાં પાંચ ડિગ્રી નો ઘટાડો થશે.
પાંડેસરા ખાતે શહેરી જંગલનું નિર્માણ સુરતમાં ગ્રીનમેન તરીકે જાણીતા બનેલા વિરલ દેસાઈ દ્વારા તેમના ‘સત્યાગ્રહ અગેઈન્સ્ટ પોલ્યુશન’ ચળવળના ભાગરૂપે જાપાનીઝ મિયાવાકી પેટર્નમાં કરવામાં આવશે, જેનું GPCB તેમજ PIL દ્વારા દેખરેખ રાખવામાં આવશે. આ શહેરી જંગલમાં એક જ ખિસ્સામાં પાંચસોથી વધુ દેશી વૃક્ષો વાવીને નજીકના ભવિષ્યમાં ઓક્સિજન પાર્ક બનાવવામાં આવશે. ઉપરાંત, નજીકના ભવિષ્યમાં આ શહેરી જંગલ દ્વારા આબોહવાની ક્રિયા તેમજ જૈવ વિવિધતાને પણ ટેકો મળશે. ઓક્સીજનનું પ્રમાણ વધે તેવા વૃક્ષો અહીં વાવવામાં આવશે.
આ અંગે ગ્રીનમેન વિરલ દેસાઈએ જણાવ્યું હતું કે, “અમારા સત્યાગ્રહ અગેઈન્સ્ટ પોલ્યુશન મુવમેન્ટ હેઠળ બનાવવામાં આવી રહેલા આ અર્બન ફોરેસ્ટની માત્ર ઔદ્યોગિક વિસ્તાર જ નહીં પરંતુ પાંડેસરાની આસપાસ રહેતા હજારો લોકોના સ્વાસ્થ્ય પર પણ સકારાત્મક અસર પડશે.
જીપીસીબીના પ્રાદેશિક અધિકારી જીજ્ઞાસા ઓઝાએ જણાવ્યું હતું કે, “અમારો વિભાગ હંમેશા પ્રદૂષણ સામે લડવા માટે પ્રતિબદ્ધ છે.” જ્યારે કોઈપણ એનજીઓ ‘પ્રદૂષણ સામે સત્યાગ્રહ’નો વિચાર લઈને આવે છે, ત્યારે અમે તેની સાથે જોડાયેલા હોવાનો આનંદ અનુભવીએ છીએ. મને ખાતરી છે કે નજીકના ભવિષ્યમાં આ શહેરી જંગલ એક મોડેલ તરીકે ઓળખાશે.’
નોંધનીય છે કે આ શહેરી જંગલને ‘અમૃત વન’ નામ આપવામાં આવ્યું છે, જે ‘આઝાદીના અમૃત ઉત્સવ’ને સમર્પિત છે. સાઉથ ગુજરાત પ્રોસેસર્સ એસોસિએશનના પ્રમુખના જણાવ્યા પ્રમાણે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર એવો છે કે જ્યાં સૌથી વધારે પ્રદુષણ હોય છે. પણ આવા અર્બન ફોરેસ્ટ તૈયાર કરવાથી અહીં વાતાવરણમાં થોડો ઘણો પણ ફર્ક આવે એ પણ ઘણું છે. આ પ્રોજેક્ટની સફળતા બાદ હવે તેને પાંડેસરા અને સચિન જીઆઇડીસી સુધી પણ લઇ જવાનો પ્રયત્ન કરવામાં આવશે તેવું તેઓએ ઉમર્યું હતું.