AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવે ત્યાં સુધી તલાટીઓ લડી લેવાના મૂડમાં, હડતાળ યથાવત રાખવાનું આહ્વાન

અગાઉ પણ આ મુદ્દે તલાટીઓ હડતાલ (Strike )પર ઉતર્યા હતા ત્યારે સરકાર દ્વારા પ્રશ્નોના નિરાકરણ કરવાની ખાતરી આપવામાં આવી હતી પરંતુ આજદિન સુધી તલાટીઓના પ્રશ્નોનું નિરાકરણ થયું નથી.

Surat : પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવે ત્યાં સુધી તલાટીઓ લડી લેવાના મૂડમાં, હડતાળ યથાવત રાખવાનું આહ્વાન
The strike is determined to continue until the outstanding issues are resolved.
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 05, 2022 | 9:45 AM
Share

માંગરોળ (Mangrol ) તાલુકાના બણભા ડુંગર ખાતે માંગરોળ માંડવી(Mandvi ) અને ઉમરપાડા (Umarpada )સહિત ત્રણ તાલુકાના હડતાલ પર ઉતરેલા તલાટીઓની યોજાયેલી મીટીંગ માં રાજ્ય સરકાર જ્યાં સુધી તલાટીઓના પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં કરે ત્યાં સુધી હડતાળ યથાવત રાખવાનો મક્કમ નિર્ણય કરવામાં આવ્યો હતો. તલાટીઓના પડતર પ્રશ્નોનું રાજ્ય સરકારે નિરાકરણ નહીં કરતા તારીખ 2 ઓગસ્ટ થી ગુજરાત રાજ્ય તલાટી મહામંડળના આદેશથી સમગ્ર રાજ્યના તલાટીઓ હડતાળ પર ઉતર્યા છે. હડતાલ ના ત્રીજા દિવસે પણ તલાટીઓએ ગ્રામ પંચાયતમાં વહીવટી કામનો બહિષ્કાર કરી હડતાળ યથાવત રાખી હતી.

સુરત જિલ્લા તલાટી મંડળના પ્રમુખ વિજય પટેલ, મહામંત્રી અશોક વણકર, ઉમરપાડા તાલુકા તલાટી મંડળના પ્રમુખ યજુવેન્દ્ર વસાવા, માંગરોળ તલાટી મંડળના પ્રમુખ જીગ્નેશ વસાવા, માંડવી તલાટી મંડળના પ્રમુખ પ્રવીણ ઠાકરડા વગેરે હોદ્દેદારોની ઉપસ્થિતિમાં ત્રણ તાલુકાના તલાટીઓની મીટીંગ હડતાલના અનુસંધાનમાં યોજવામાં આવી હતી. સુરત જિલ્લા તલાટી મંડળના પ્રમુખ વિજય પટેલે જણાવ્યું કે તલાટીઓ ખૂબ જ જવાબદારી પૂર્વક પોતાની ફરજ નિભાવે છે તેમ છતાં રાજ્ય સરકાર દ્વારા વારંવાર ની માગો પછી પણ તલાટીઓના પડતર પ્રશ્નોનું નિરાકરણ થતું નથી.

અગાઉ પણ આ મુદ્દે તલાટીઓ હડતાલ પર ઉતર્યા હતા ત્યારે સરકાર દ્વારા પ્રશ્નોના નિરાકરણ કરવાની ખાતરી આપવામાં આવી હતી પરંતુ આજદિન સુધી તલાટીઓના પ્રશ્નોનું નિરાકરણ થયું નથી. ગુજરાત રાજ્ય તલાટી મહામંડળ દ્વારા જેટલી પડતર માગણીઓ સરકાર સમક્ષ મૂકવામાં આવી છે. આ તમામ માગણીઓ સરકાર પૂરી નહીં કરે ત્યાં સુધી ગાંધી ચીંધ્યા માર્ગે તલાટીઓની હડતાળ ચાલુ રહેશે તેવો મક્કમ નિર્ધાર તેમણે વ્યક્ત કર્યો હતો. આ સમયે ત્રણેય તાલુકાના તલાટી મંડળો દ્વારા હડતાલને સંપૂર્ણ સમર્થન જાહેર કરાયું હતું.

આજે પણ તલાટીઓ દ્વારા હડતાલ યથાવત રાખવાનો નિર્ણય કરવામાં આવે છે. આજે પણ એક મિટિંગ કરીને આગામી રણનીતિ નક્કી કરીને કેવી રીતે આ મુદ્દે લડત આપવી તે અંગેની રૂપરેખા નક્કી કરવામાં આવશે તેવું સૂત્રોએ જણાવ્યું છે.

Input Credit Suresh Patel (Olpad )

Follow Us
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર"
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
g clip-path="url(#clip0_868_265)">