Surat : પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવે ત્યાં સુધી તલાટીઓ લડી લેવાના મૂડમાં, હડતાળ યથાવત રાખવાનું આહ્વાન

અગાઉ પણ આ મુદ્દે તલાટીઓ હડતાલ (Strike )પર ઉતર્યા હતા ત્યારે સરકાર દ્વારા પ્રશ્નોના નિરાકરણ કરવાની ખાતરી આપવામાં આવી હતી પરંતુ આજદિન સુધી તલાટીઓના પ્રશ્નોનું નિરાકરણ થયું નથી.

Surat : પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવે ત્યાં સુધી તલાટીઓ લડી લેવાના મૂડમાં, હડતાળ યથાવત રાખવાનું આહ્વાન
The strike is determined to continue until the outstanding issues are resolved.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 05, 2022 | 9:45 AM

માંગરોળ (Mangrol ) તાલુકાના બણભા ડુંગર ખાતે માંગરોળ માંડવી(Mandvi ) અને ઉમરપાડા (Umarpada )સહિત ત્રણ તાલુકાના હડતાલ પર ઉતરેલા તલાટીઓની યોજાયેલી મીટીંગ માં રાજ્ય સરકાર જ્યાં સુધી તલાટીઓના પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં કરે ત્યાં સુધી હડતાળ યથાવત રાખવાનો મક્કમ નિર્ણય કરવામાં આવ્યો હતો. તલાટીઓના પડતર પ્રશ્નોનું રાજ્ય સરકારે નિરાકરણ નહીં કરતા તારીખ 2 ઓગસ્ટ થી ગુજરાત રાજ્ય તલાટી મહામંડળના આદેશથી સમગ્ર રાજ્યના તલાટીઓ હડતાળ પર ઉતર્યા છે. હડતાલ ના ત્રીજા દિવસે પણ તલાટીઓએ ગ્રામ પંચાયતમાં વહીવટી કામનો બહિષ્કાર કરી હડતાળ યથાવત રાખી હતી.

સુરત જિલ્લા તલાટી મંડળના પ્રમુખ વિજય પટેલ, મહામંત્રી અશોક વણકર, ઉમરપાડા તાલુકા તલાટી મંડળના પ્રમુખ યજુવેન્દ્ર વસાવા, માંગરોળ તલાટી મંડળના પ્રમુખ જીગ્નેશ વસાવા, માંડવી તલાટી મંડળના પ્રમુખ પ્રવીણ ઠાકરડા વગેરે હોદ્દેદારોની ઉપસ્થિતિમાં ત્રણ તાલુકાના તલાટીઓની મીટીંગ હડતાલના અનુસંધાનમાં યોજવામાં આવી હતી. સુરત જિલ્લા તલાટી મંડળના પ્રમુખ વિજય પટેલે જણાવ્યું કે તલાટીઓ ખૂબ જ જવાબદારી પૂર્વક પોતાની ફરજ નિભાવે છે તેમ છતાં રાજ્ય સરકાર દ્વારા વારંવાર ની માગો પછી પણ તલાટીઓના પડતર પ્રશ્નોનું નિરાકરણ થતું નથી.

અગાઉ પણ આ મુદ્દે તલાટીઓ હડતાલ પર ઉતર્યા હતા ત્યારે સરકાર દ્વારા પ્રશ્નોના નિરાકરણ કરવાની ખાતરી આપવામાં આવી હતી પરંતુ આજદિન સુધી તલાટીઓના પ્રશ્નોનું નિરાકરણ થયું નથી. ગુજરાત રાજ્ય તલાટી મહામંડળ દ્વારા જેટલી પડતર માગણીઓ સરકાર સમક્ષ મૂકવામાં આવી છે. આ તમામ માગણીઓ સરકાર પૂરી નહીં કરે ત્યાં સુધી ગાંધી ચીંધ્યા માર્ગે તલાટીઓની હડતાળ ચાલુ રહેશે તેવો મક્કમ નિર્ધાર તેમણે વ્યક્ત કર્યો હતો. આ સમયે ત્રણેય તાલુકાના તલાટી મંડળો દ્વારા હડતાલને સંપૂર્ણ સમર્થન જાહેર કરાયું હતું.

ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo

આજે પણ તલાટીઓ દ્વારા હડતાલ યથાવત રાખવાનો નિર્ણય કરવામાં આવે છે. આજે પણ એક મિટિંગ કરીને આગામી રણનીતિ નક્કી કરીને કેવી રીતે આ મુદ્દે લડત આપવી તે અંગેની રૂપરેખા નક્કી કરવામાં આવશે તેવું સૂત્રોએ જણાવ્યું છે.

Input Credit Suresh Patel (Olpad )

Latest News Updates

જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
આદિવાસી વિસ્તારમાં વધુ મતદાન એ જાગૃતિ દર્શાવે છે : સી આર પાટીલ
આદિવાસી વિસ્તારમાં વધુ મતદાન એ જાગૃતિ દર્શાવે છે : સી આર પાટીલ
સત્યની લડાઈમાં સહકાર આપવા બદલ આભાર - ગેનીબેન
સત્યની લડાઈમાં સહકાર આપવા બદલ આભાર - ગેનીબેન
આ વર્ષે ભૂજ-અમદાવાદમાં અત્યાર સુધીની સૌથી વધુ ગરમી નોંધાઈ
આ વર્ષે ભૂજ-અમદાવાદમાં અત્યાર સુધીની સૌથી વધુ ગરમી નોંધાઈ
રુપાલાએ કહ્યુ, હું ફરી વાર માતૃ શક્તિની પણ માફી માગુ છુ, જુઓ Video
રુપાલાએ કહ્યુ, હું ફરી વાર માતૃ શક્તિની પણ માફી માગુ છુ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">