AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : મહાનગરપાલિકાનું નવું ભવન બનશે આઇકોનીક, સરકારની લીલી ઝંડીની રાહ

સુરત કોર્પોરેશનની નવી બનનારી બિલ્ડીંગ ભૂકંપ પ્રૂફ અને સાયક્લોન પ્રૂફ હશે. જેની ડીઝાઈન માટેના કેટલાક ટેકનીકલ સૂચનોની સાથે કમિટીએ પ્રોજેક્ટને યોગ્ય ઠેરવી દીધો છે. આગામી 8 જુલાઈએ થનાર અંતિમ બેઠક બાદ આ પ્રોજેકટ ટેન્ડર પ્રક્રિયા માટે આગળ વધી શકશે.

Surat : મહાનગરપાલિકાનું નવું ભવન બનશે આઇકોનીક, સરકારની લીલી ઝંડીની રાહ
Surat The new building of the corporation will become iconic
Parul Mahadik
| Edited By: | Updated on: Jul 02, 2022 | 10:48 AM
Share

સુરત (Surat) મહાનગરપાલિકા (corporation) ના નવા વહીવટી ભવનને સરકાર (government) ની લીલી ઝંડી મળવાની તૈયારી છે. રાજ્ય સરકારની ટોલ બિલ્ડીંગ ટેકનીકલ કમિટી સમક્ષ મનપાએ તમામ પ્રશ્નોના સંકલિત જવાબો રજુ કરી દીધા હતા. હવે આગામી 8 જુલાઈએ થનાર ફાઈનલ મીટીંગ બાદ મનપા અત્યાધુનિક ગ્રીન બિલ્ડીંગની ટેન્ડર પ્રક્રિયામાં આગળ વધશે. દુબઈના બુર્જ ખલીફા સહીતની વિશ્વની 10 પ્રસિદ્ધ બિલ્ડીંગોની કન્સલ્ટન્સી કરનાર જે એજન્સી હતી તે જ એજન્સી મનપાના વહીવટી ભવનની કન્સલ્ટન્સી કરશે એવું નક્કી છે. ગાંધીનગર ખાતેની ટોલ બિલ્ડીંગ ટેકનીકલ કમિટીની મીટીંગમાં સુરત મહાનગરપાલિકાના કમિશ્નર બંછાનીધી પાની, સીટી ઈજનેર આશિષ દુબે તથા શહેર વિકાસ અધિકારી ધર્મેશ મિસ્ત્રી આ બેઠકમાં હાજર રહ્યા હતા.

સુરત કોર્પોરેશનની નવી બનનારી બિલ્ડીંગ ભૂકંપ પ્રૂફ અને સાયક્લોન પ્રૂફ હશે. જેની ડીઝાઈન માટેના કેટલાક ટેકનીકલ સૂચનોની સાથે કમિટીએ પ્રોજેક્ટને યોગ્ય ઠેરવી દીધો છે. આગામી 8 જુલાઈએ થનાર અંતિમ બેઠક બાદ આ પ્રોજેકટ ટેન્ડર પ્રક્રિયા માટે આગળ વધી શકશે.

બુર્જ ખલીફાની કન્સલ્ટન્સી કરનાર એજન્સી કરી શકે છે કન્સલ્ટન્સી

સુરત કોર્પોરેશનનું આ નવું વહીવટી ભવન બનાવવા માટે દુબઇની બુર્જ ખલીફા ની કન્સલ્ટન્સી કરનારી એજન્સી કન્સલ્ટન્સી કરશે તેવું નક્કી કરવામાં આવ્યું છે. આખા રાજ્યમાં આ બિલ્ડીંગ આઇકોનિક બની રહેશે. આ એજન્સી અમેરિકામાં હેડકવાર્ટર ધરાવે છે. આ એજન્સી એ જ છે જેણે બુર્જ ખલીફા સહીત વર્લ્ડની ટોપટેન જાણીતી ઇમારતોની કન્સલ્ટન્સી કરી છે. કમિશ્નર બંછાનિધિ પાની દ્વારા આ પ્રોજેક્ટને પ્રાથમિકતા આપવામાં આવી છે, જેથી ઝડપથી ટેન્ડર પ્રક્રિયા સુધી આ પ્રોજેક્ટ લઇ જવામાં આવ્યો છે. ત્યારે ફક્ત રાજ્ય જ નહીં પણ દેશની આઇકોનિક બિલ્ડીંગમાં આ પ્રોજેકટ ગણના પામે તે રીતે આ વહીવટી ભવન બનાવવા માટે આયોજન કરવામાં આવ્યું છે.

અંદાજે 900 કરોડના ખર્ચે તૈયાર થશે નવું વહીવટી ભવન

આ બિલ્ડીંગની ઊંચાઈ 109 મીટરની આસપાસ રાખવામાં આવનાર છે, જેમાં 28 માળની સાથે બે ટાવરનો સમાવેશ કરવામાં આવશે. કમિટીની મંજુરી મળ્યા બાદ તરત જ ટેન્ડર ઇસ્યુ કરવાની તૈયારી સુરત મનપાએ કરી રાખી છે તેવું મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું. રિંગરોડ ખાતે આવેલી જૂની સબજેલવાળી જમીન પર સાકાર થનારા પ્રોજેક્ટમાં રાજ્ય તથા કેન્દ્ર સરકારની વિવિધ નાની મોટી કચેરીઓને પણ સમાવી લેવાનું આયોજન છે. તેથી અહીં જે બે ટાવરની ઇમારતોનો પ્રોજેક્ટ છે તે ડિઝાઇનને ટોલ બિલ્ડિંગ પોલિસીનો લાભ પણ મળી શકે છે. જેથી હવે આ પ્રોજેક્ટનું બાંધકામ 10.10 લાખ સ્ક્વેર ફૂટથી વધીને 23.50 લાખ સ્ક્વેર ફૂટ જેટલું થવાનું છે.

Follow Us
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
g clip-path="url(#clip0_868_265)">