AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: તંત્ર દ્વારા આખો કોટ વિસ્તાર ખોદી નંખાતાં સુરતીઓને ભારે હાલાકી, કોર્પોરેશન રોડ પર જ કાચબા ગતિથી કામ ચાલતા રહીશો મુશ્કેલીમાં

સુરતના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં સુરત મહાનગરપાલિકાના પાણી અને ગટરના કામો તો ચાલી જ રહ્યા છે. સાથે સાથે મેટ્રોની કામગીરીને લઈને પણ સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં ઘણા ખોદકામ કરવામાં આવ્યા છે.

Surat: તંત્ર દ્વારા આખો કોટ વિસ્તાર ખોદી નંખાતાં સુરતીઓને ભારે હાલાકી, કોર્પોરેશન રોડ પર જ કાચબા ગતિથી કામ ચાલતા રહીશો મુશ્કેલીમાં
ફોટો - તંત્ર દ્વારા ચાલતી કામગીરી
Parul Mahadik
| Edited By: | Updated on: May 27, 2022 | 2:53 PM
Share

Surat: સુરતના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં સુરત મહાનગરપાલિકાના (Surat Municipal Corporation) પાણી અને ગટરના કામો તો ચાલી જ રહ્યા છે. સાથે સાથે મેટ્રોની કામગીરીને લઈને પણ સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં ઘણા ખોદકામ કરવામાં આવ્યા છે. જેના કારણે આ ઝોનની પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા ખોદકામ કરાયા બાદ યોગ્ય રસ્તાના યોગ્ય લેવલ કામ કરાતા નથી. જેથી વાહનચાલકો પણ પરેશાન થઈ રહ્યા છે. જેથી સુરત કોર્પોરેશન દ્વારા આ વિસ્તારમાં ખોદકામની કામગીરી સમયસર પુરી કરી વ્યવસ્થિત રોડ સરફેસિંગનું કામ કરવા સ્થાનિકો દ્વારા મનપા કમિશનરને રજુઆત કરી છે.

રજુઆતમાં તેમણે જણાવ્યું છે કે, સુરત કોર્પોરેશન દ્વારા સેન્ટ્રલ ઝોનમાં ગટર અને પાણીના કામોને લઈ છેલ્લાં 3 વર્ષમાં અનેક વખત ખોદકામ કરવામાં આવ્યું ત્યારબાદ રોડ સરફેસિંગની કામગીરી કરવામાં આવી નથી. મેટ્રોની પણ કોઈપણ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા વિના આડેધડ કામગીરી કરાઈ રહી છે. જેના લીધે કોટ વિસ્તારમાં અરાજકતાની સ્થિતિ સર્જાઈ છે. માર્ચ 2020 બાદ કોરોનાને પગલે શહેરીજનોના ધંધા ઠપ્પ પડી ગયા હતા.

હવે જ્યારે કોરોના કાબુમાં આવ્યા બાદ ચોમાસાની સિઝન આવી રહી છે. જો આ કામગીરી સમયસર પુરી કરી વ્યવસ્થિત રોડ સરફેસિંગનું કામ નહીં કરાશે તો શહેર ડેન્ગ્યુ અને મેલેરીયામાં સપડાશે. હાલમાં ખોદકામને કારણે વાહનો પસાર થતા અસહ્ય માટી ઉડે છે. જેના કારણે અકસ્માતનું જોખમ વધે છે. તંત્રને વારંવાર રોડ ઉપર પાણીનો છંટકાવ તેમજ બ્રસિંગ કરવા રજૂઆત કરવામાં આવી હતી. જેથી ધૂળ ઉડતી બંધ થાય તેમ છતાં આજ સુધી કોઈ કામગીરી કરવામાં આવી નથી. જેથી સેન્ટ્રલ ઝોન દ્વારા મનપામાં વારંવાર ફરીયાદ કરવામાં આવી રહી છે કે યોગ્ય કામગીરી કરવામાં આવે.

એક તરફ ચોમાસું માથે છે ત્યારે પ્રિ-મોન્સૂન એક્ટિવિટી ની શરૂઆત થઈ ગઈ છે. બીજી તરફ કોર્પોરેશન દ્વારા પ્રિમોન્સુન કામગીરી માટે મિટિંગ બોલાવીને તમામ ગામોને 31 મે પહેલા સેફ સ્ટેજ પર લાવવા અધિકારીઓને સુચના આપવામાં આવી છે. પરંતુ જે હિસાબે શહેરના રસ્તા પર ખોદકામ અને મેટ્રોની કામગીરી ચાલી રહી છે તે જોતાં એવું લાગતું નથી કે આ કામ 31 મે સુધીમાં પૂર્ણ થાય. એટલે એટલે એ વાત તો નક્કી છે કે આ ચોમાસામાં પણ શહેરીજનોને રસ્તા પર થયેલા ખોદકામ અને મેટ્રો કામગીરીને કારણે પારાવાર હેરાન થવાનો વારો આવશે.

Follow Us
માંગરોળના MLA  સામે ખેડૂતો અને AAP કાર્યકરોને અપશબ્દો બોલવાનો આરોપ
માંગરોળના MLA  સામે ખેડૂતો અને AAP કાર્યકરોને અપશબ્દો બોલવાનો આરોપ
હવે રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં સ્પાઈન સર્જરીનો થયો પ્રારંભ- Video
હવે રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં સ્પાઈન સર્જરીનો થયો પ્રારંભ- Video
રાજકોટ RMC VRS કૌભાંડ: સફાઈ કર્મચારીઓના બોગસ ફિટનેસ સર્ટિફિકેટનો આરોપ
રાજકોટ RMC VRS કૌભાંડ: સફાઈ કર્મચારીઓના બોગસ ફિટનેસ સર્ટિફિકેટનો આરોપ
પૂર વચ્ચે ઝાડ પર ફસાયેલા 25-30 વાનરોનું દિલધડક રેસ્ક્યૂ
પૂર વચ્ચે ઝાડ પર ફસાયેલા 25-30 વાનરોનું દિલધડક રેસ્ક્યૂ
15 કિલોમીટરનો માર્ગ લોકો માટે જીવલેણ બન્યો
15 કિલોમીટરનો માર્ગ લોકો માટે જીવલેણ બન્યો
અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રસ્તાઓ પર સિંહોના આંટાફેરા
અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રસ્તાઓ પર સિંહોના આંટાફેરા
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
g clip-path="url(#clip0_868_265)">