Surat : શાળા કોલેજો બંધ રહેવાથી આ વખતે સુરતમાં ધ્વજ ઉત્પાદન પર પણ અસર, ફક્ત 15 ટકા જ થયો વેપાર

ત્રિરંગાનું ઉત્પાદન કરનારા વેપારીઓએ જણાવ્યું કે ઓર્ડર મુજબ ધ્વજનું ઉત્પાદન થાય છે. કોરોનાના કારણે શાળા-કોલેજોમાં 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીના કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી રહી નથી.

Surat : શાળા કોલેજો બંધ રહેવાથી આ વખતે સુરતમાં ધ્વજ ઉત્પાદન પર પણ અસર, ફક્ત 15 ટકા જ થયો વેપાર
Flag Production in Surat (File Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 26, 2022 | 2:27 PM

સુરત શહેરમાં ત્રિરંગાનું (Flag ) મોટા પાયે ઉત્પાદન થાય છે. તેને દેશના વિવિધ રાજ્યોમાં (States ) મોકલવામાં આવે છે. પરંતુ આ વર્ષે કોરોનાને (Corona ) કારણે શાળા-કોલેજો બંધ રહેવાના કારણે ધ્વજ વ્યવસાયને પણ અસર થઈ છે. ત્રીજી લહેરને કારણે આ વખતે ફક્ત 15% ત્રિરંગાનો વેપાર થયો છે. સુરતમાં બનતા ટેક્સટાઈલ ઉત્પાદનોની વિશ્વભરમાં માંગ છે, તેવી જ રીતે 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીએ શહેરમાં બનેલા ત્રિરંગા ધ્વજને દેશના વિવિધ રાજ્યોમાં મોકલવામાં આવે છે.

કોરોના પહેલા સુરતથી અલગ-અલગ રાજ્યોમાં 10 લાખ ધ્વજ મોકલવામાં આવ્યા હતા, પરંતુ આ વર્ષે દોઢ લાખ ત્રિરંગાનો ઓર્ડર પણ ભારે મુશ્કેલી સાથે મળ્યો છે. તેવામાં શાળા-કોલેજો બંધ અને જાહેર કાર્યક્રમો પર પ્રતિબંધને કારણે ધંધાને અસર થઈ રહી છે.

ઓર્ડર મુજબ કરવામાં આવે છે ઉત્પાદન

ત્રિરંગાનું ઉત્પાદન કરનારા વેપારીઓએ જણાવ્યું કે ઓર્ડર મુજબ ધ્વજનું ઉત્પાદન થાય છે. કોરોનાના કારણે શાળા-કોલેજોમાં 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીના કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી રહી નથી. જેના કારણે ત્રિરંગાના ઉત્પાદન પર અસર પડી છે. આ વર્ષે ભાગ્યે જ 10 થી 15% ઓર્ડર મળ્યા છે. જો આ સ્થિતિ ચાલુ રહેશે તો આગામી દિવસોમાં તિરંગાનો ધંધો બંધ થવાના આરે આવી જશે.

સુરતમાં રેશમી ત્રિરંગો બનાવવામાં આવે છે

સ્કૂલ કોલેજ ઉપરાંત લોકો પોતાના ઘર, ઓફિસમાં પણ તિરંગો ફરકાવે છે. 26 જાન્યુઆરી 2002ના રોજ ભારતીય ફ્લેગ કોડમાં સુધારો કરીને ઘરો, ઓફિસો, કારખાનાઓમાં ત્રિરંગો ફરકાવવાની છૂટ આપવામાં આવી છે. ત્રિરંગો હંમેશા ખાદી, સુતરાઉ કે રેશમી કાપડનો બનેલો હોય છે. પરંતુ સુરત સિલ્કનું સૌથી મોટું ઉત્પાદક છે. અહીં બનેલા ધ્વજ સસ્તા છે. આ જ કારણ છે કે દેશભરમાં તેની માંગ છે.

આવતા વર્ષે સારા બિઝનેસની આશા 

આમ, આ વખતે કોરોના તેમજ શાળા કોલેજો બંધ રહેવાંની અસર શહેરના ધ્વજના બિઝનેસ પર પડી છે. જોકે વેપારીઓને આશા છે કે હાલ હવે ત્રીજી લહેર ઓસરી ગઈ છે, જેથી આવનારું વર્ષ દેશ માટે અને તેમના વેપાર બંને માટે સારું અને ફળદાયી બની રહેશે

આ પણ વાંચો :Surat : શહેરમાં ત્રીજી લહેર પર આંશિક કાબુ, વિદ્યાર્થીઓમાં પણ સંક્રમણ ઘટતાં તંત્રને મોટી રાહત

આ પણ વાંચો : Surat: કોવિડ પોર્ટલ પર ડેટા નહીં મુકતી સેન્ટ્રલ ઝોનની 40 બેંકને પાલિકાની નોટિસ

Latest News Updates

વર્લ્ડ કપને લઈ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચાલી રહી છે અંતિમ તૈયારીઓ
વર્લ્ડ કપને લઈ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચાલી રહી છે અંતિમ તૈયારીઓ
ખંભાતમાં ગણેશ વિસર્જન દરમિયાન વીજ કરંટ લાગતા 2 લોકોના મોત
ખંભાતમાં ગણેશ વિસર્જન દરમિયાન વીજ કરંટ લાગતા 2 લોકોના મોત
પાલનપુરના ભાગળ ગામની મહિલાઓએ ગ્રામ પંચાયતનો ઘેરાવો કર્યો
પાલનપુરના ભાગળ ગામની મહિલાઓએ ગ્રામ પંચાયતનો ઘેરાવો કર્યો
નર્મદાના પૂર મુદ્દે ભાજપ સાંસદનું ચોંકાવનારૂ નિવેદન, જુઓ Video
નર્મદાના પૂર મુદ્દે ભાજપ સાંસદનું ચોંકાવનારૂ નિવેદન, જુઓ Video
ઓખા નજીક શંકાસ્પદ બોટ ઝડપાઈ, 4ની અટકાયત
ઓખા નજીક શંકાસ્પદ બોટ ઝડપાઈ, 4ની અટકાયત
અંબાજી પગપાળા જતા વ્યક્તિને હાર્ટ એટેક આવતા ટ્રાફિક પોલીસ બની દેવદૂત
અંબાજી પગપાળા જતા વ્યક્તિને હાર્ટ એટેક આવતા ટ્રાફિક પોલીસ બની દેવદૂત
પોલીસની લોખંડી સુરક્ષા વચ્ચે વિધ્નહર્તાનું કૃત્રિમ તળાવમાં થશે વિસર્જન
પોલીસની લોખંડી સુરક્ષા વચ્ચે વિધ્નહર્તાનું કૃત્રિમ તળાવમાં થશે વિસર્જન
Bhavanagar : વરતેજ પોલીસની હદમાં જ દારુનો કારોબાર ધમધમી રહ્યો છે !
Bhavanagar : વરતેજ પોલીસની હદમાં જ દારુનો કારોબાર ધમધમી રહ્યો છે !
Ahmedabad : નાગાલેન્ડની યુવતીને ઢોર માર મારનાર સ્પા સંચાલક ભૂગર્ભમાં !
Ahmedabad : નાગાલેન્ડની યુવતીને ઢોર માર મારનાર સ્પા સંચાલક ભૂગર્ભમાં !
Surat : ATMમાં નાણાં ચોરતી ગેંગ સકંજામાં
Surat : ATMમાં નાણાં ચોરતી ગેંગ સકંજામાં