AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: ગ્રીષ્મા હત્યાકાંડ બાદ સુરતની તમામ યુવતીઓમાં ભયનો માહોલ, શરૂ કરાયા સેલ્ફ ડિફેન્સ ક્લાસ

ઘણા સમયથી દુર્ગાવાહિની દ્વારા ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરીને યુવતીઓ અને શારીરિક રીતે સજ્જ થવા માટે તાલીમ આપવામાં આવે છે

Surat: ગ્રીષ્મા હત્યાકાંડ બાદ સુરતની તમામ યુવતીઓમાં ભયનો માહોલ, શરૂ કરાયા સેલ્ફ ડિફેન્સ ક્લાસ
દુર્ગાવાહિની સંગઠન દ્વારા ચલાવવામાં આવતું તાલીમ કેન્દ્ર
Baldev Suthar
| Edited By: | Updated on: Feb 21, 2022 | 10:01 PM
Share

Surat: શહેરમાં વિદ્યાર્થીનીઓ પર દુષ્કર્મ અને છેડતીની બનાવો સામે આવી ચુક્યા છે (Crime against Women). ત્યારે હાલમાં જ પાસોદરામાં ગ્રીષ્મા વેકરીયાની હત્યાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પણ પડ્યા છે (Grishma Murder Case) . જેથી આવી ઘટના ફરી ન બને તે માટે વિદ્યાર્થીઓના વાલીઓ કરતા હવે પોલીસ એલર્ટ થઈ છે. સુરત ખાતે હિન્દુ સંગઠન દુર્ગાવાહિની (Durgavahini) એ સક્રિય રીતે કામ કરવાની શરૂઆત કરી છે. જેમાં કોલેજમાં સ્કૂલમાં ભણતી યુવતીઓને શારીરિક અને માનસિક રીતે તૈયાર કરવાની શરૂઆત કરવામાં આવી છે.

ગ્રીષ્મા હત્યાકાંડ બાદ સુરતની તમામ યુવતીઓમાં ભયનો માહોલ સર્જાયો છે. જ્યારે પણ કોઇ યુવતીની છેડતી થતી હોય, હત્યા થતી હોય કે દુષ્કર્મની ઘટના સામે આવે છે ત્યારે તેમની સુરક્ષાને લઈને સમાજમાં ચિંતાનું મોજું ફરી વળતું હોય છે. દરેક વ્યક્તિ સાથે કોઈ સુરક્ષા આપવા માટે સાથે રહે તે શક્ય નથી. તેથી સ્વયંભૂ પોતાની રીતે પોતાની સુરક્ષા કરી શકે તેવી વ્યવસ્થા કરવી ખૂબ જ જરૂરી છે.

દરેક કઠિન પરિસ્થિતિમાં યુવતી પોતાની જાતની સુરક્ષા કરવામાં સક્ષમ બને તે પ્રકારની વ્યવસ્થા ઉભી કરવી એ આજે મોટો પડકાર બન્યો છે. હિન્દુ સંગઠન અંતર્ગત કામ કરતી દુર્ગાવાહિનીનું લક્ષ્ય સમાજની તમામ યુવતીઓને શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ બનાવવાનું છે.

ઘણા સમયથી દુર્ગાવાહિની દ્વારા ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરીને યુવતીઓ અને શારીરિક રીતે સજ્જ થવા માટે તાલીમ આપવામાં આવે છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં દુર્ગાવાહિની દ્વારા યુવતીઓને રાયફલ ચલાવવાની ટ્રેનિંગ આપવામાં આવી હતી. એટલું જ નહીં પરંતુ યુવતીઓને કરાટે અને દંડ વડે પોતાની રક્ષા કરવા માટેની પણ તાલીમ આપવામાં આવી.

દુર્ગાવાહિની સંગઠન દ્વારા ચલાવવામાં આવેલી તાલીમ લેનાર ઋત્વીએ જણાવ્યું કે હું, પાંડેસરાની સ્કૂલમાં ધોરણ 12માં અભ્યાસ કરું છું. અત્યારે જે રીતે સમાજમાં સતત ચર્ચાસ્પદ બનાવો બની રહ્યા છે અને યુવતીઓ વિદ્યાર્થિનીઓ પોતાને અસુરક્ષિત અનુભવી રહી છે, ત્યારે પોતાની જ સુરક્ષા પોતે કરવી પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે.

પરિવારના લોકોને પણ અમારી સુરક્ષાને લઇને ચિંતા થાય છે ત્યારે દુર્ગાવાહિની દ્વારા જે કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે તેમાં નિયમિત રીતે જાવ છું અને શારીરિક અને માનસિક રીતે તૈયાર થવાનો પ્રયાસ કરી રહ્યો છું. આ પ્રકારની શિબિરમાં અમને દંડ કેવી રીતે ચલાવવા તેમજ તેમાંના કેટલાક મહત્વના દાવ શીખવવામાં આવે છે કે જે કોઈપણ સ્થિતિમાં પોતાનું રક્ષણ કરી શકો.

આ તાલીમ કોઈને નુકસાન કરવા માટે નથી પરંતુ કોઈક તમને નુકશાન કરવામાં આવે ત્યારે તેની સામે કેવી રીતે લડવું તેના માટેની છે. હું અંગત રીતે હું માનું છું કે દરેક માતા-પિતાએ પણ પોતાના બાળકોને આવી તાલીમ આપવી જરૂરી છે.

આ પણ વાંચો: Surat: સાયબર ક્રાઇમ પોલીસની નકલી વેબસાઈટ બનાવનાર ઝડપાયો, નકલી પોલીસ બની લોકો સાથે કરતા હતા ઠગાઈ

આ પણ વાંચો: Surat : ચેન્નાઇ સુપર કિંગ્સની ટિમ સુરતના લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરતી દેખાય તો નવાઈ નહીં

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">