Surat : DGVCLના પ્રતાપે ઉધના ઇન્દીરાનગરના રહીશો અંધારામાં રહેવા મજબુર

સ્ટ્રીટ લાઈટો પણ બંધ કરી દેવામાં આવી છે. આ અંગે જયારે અધિકારીઓ સાથે વાત કરતા તેઓએ ઉપરથી દબાણ છે તેવા જવાબો આપવામાં આવ્યા હતા. વીજ કનેક્શન કાપી લેતા રહીશો અંધારામાં રહેવા મજબૂર બન્યા છે.વધુમાં તેમને આક્ષેપ કર્યા હતા હતા કે જગ્યાની મેટર કોર્ટમાં ચાલી રહી છે

Surat : DGVCLના પ્રતાપે ઉધના ઇન્દીરાનગરના રહીશો અંધારામાં રહેવા મજબુર
ડીજીવીસીએલ વિરુદ્ધ કલેક્ટરને આવેદનપત્ર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 24, 2022 | 7:19 AM

સુરતના ઉધના(Udhna ) ખાતે આવેલ ઈન્દીરાનગરના રહીશો છેલ્લા કેટલાક દિવસોથી અંધારામાં રહેવા માટે મજબુર બન્યા છે. સ્થાનિક ડીજીવીસીએલના(DGVCL) અધિકારીઓ દ્વારા એક સાથે 50 જેટલા ઝૂપડાંના વીજ કનેક્શન કાપવાની સાથે સ્ટ્રીટ લાઈટો (Street Light ) પણ બંધ કરી દેવામાં આવ્યા છે. ડીજીવીસીએલના અધિકારીઓના આ અમાનવીય વ્યવહારના લીધે અંધારામાં રહેવા મજબુર બનેલા રહીશોએ કલેક્ટરને આવેદનપત્ર આપી પોતાની વ્યવસ્થા સંભળાવી હતી.

ઉધનાના ઇન્દીરાનગરમાં રહેતા રહીશોએ કલેકટરને આવેદનપત્ર આપી રજુઆત કરી હતી કે તેઓ અહીંયા છેલ્લા ઘણા વર્ષોથી રહે છે. 100 કરતા વધારે ઝૂપડામાં લાઈટ મીટરો આવેલા છે. તેઓ છેલ્લા 30 કરતા પણ વધુ વર્ષોથી નિયમિતપણે બિલ ભરતા હોવા છતાં ડીજીવીસીએલના અધિકારીઓ દ્વારા કનેક્શન કટ કરી મીટરો કાઢી લઇ ગયા છે.

સ્ટ્રીટ લાઈટો પણ બંધ કરી દેવામાં આવી છે. આ અંગે જયારે અધિકારીઓ સાથે વાત કરતા તેઓએ ઉપરથી દબાણ છે તેવા જવાબો આપવામાં આવ્યા હતા. વીજ કનેક્શન કાપી લેતા રહીશો અંધારામાં રહેવા મજબૂર બન્યા છે.વધુમાં તેમને આક્ષેપ કર્યા હતા હતા કે જગ્યાની મેટર કોર્ટમાં ચાલી રહી છે. બિલ્ડરના ઈશારે કામ કરતા ડીજીવીસીએલના અધિકારીઓ દ્વારા વીજ કનેકશન કાપી નાખવામાં આવ્યું છે તે અંગે તપાસ કરી મિટરો પાછા લગાવવામાં આવે તેવી રજુઆત કરી હતી.

સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?
દિવાળી પર ગૃહિણીઓ આ કાર્યો દ્વારા કમાઈ શકો છો હજારો રુપિયા

સ્થાનિકોએ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ડીજીવીસીએલ ના અધિકારીઓને જયારે આ મામલે પૂછવામાં આવે છે ત્યારે તેમના દ્વારા કોઈપણ સંતોષકારક જવાબ આપવામાં આવતો નથી. પાવર કટ હોવાના કારણે દિવસે તો કોઈ વાંધો નથી આવતો પણ રાત્રે લોકોને ખુબ તકલીફ પડે છે. જેથી આ બાબતે ઝડપી કોઈ નિરાકરણ લાવવામાં આવે તેવી માંગણી પણ સ્થાનિકો દ્વારા કરવામાં આવી હતી.

કલેક્ટરને આપવામાં આવેલા આવેદનપત્રમાં  ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના સહમંત્રી આશિષ રાય,વોર્ડ નંબર-4 ના ઉપ-પ્રમુખ સંતોષ શુકલા,યુથ કોંગ્રેસના ઉપ-પ્રમુખ આમિર ખાન તેમજ 100 થી વધુ સ્થાનિકો અને રહીશો હાજર રહ્યા હતા.

આ પણ વાંચો :

શું તમે ફિટ રહેવા માટે ઈંડાની સફેદી ખાઓ છો તો ચેતી જજો, આવી શકે છે આ સમસ્યાઓ

કડવા લીમડાના ગેરફાયદા, જાણો કઈ રીતે તેનો વધુ પડતો ઉપયોગ બની શકે છે ખતરનાક

ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
g clip-path="url(#clip0_868_265)">