AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : DGVCLના પ્રતાપે ઉધના ઇન્દીરાનગરના રહીશો અંધારામાં રહેવા મજબુર

સ્ટ્રીટ લાઈટો પણ બંધ કરી દેવામાં આવી છે. આ અંગે જયારે અધિકારીઓ સાથે વાત કરતા તેઓએ ઉપરથી દબાણ છે તેવા જવાબો આપવામાં આવ્યા હતા. વીજ કનેક્શન કાપી લેતા રહીશો અંધારામાં રહેવા મજબૂર બન્યા છે.વધુમાં તેમને આક્ષેપ કર્યા હતા હતા કે જગ્યાની મેટર કોર્ટમાં ચાલી રહી છે

Surat : DGVCLના પ્રતાપે ઉધના ઇન્દીરાનગરના રહીશો અંધારામાં રહેવા મજબુર
ડીજીવીસીએલ વિરુદ્ધ કલેક્ટરને આવેદનપત્ર
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 24, 2022 | 7:19 AM
Share

સુરતના ઉધના(Udhna ) ખાતે આવેલ ઈન્દીરાનગરના રહીશો છેલ્લા કેટલાક દિવસોથી અંધારામાં રહેવા માટે મજબુર બન્યા છે. સ્થાનિક ડીજીવીસીએલના(DGVCL) અધિકારીઓ દ્વારા એક સાથે 50 જેટલા ઝૂપડાંના વીજ કનેક્શન કાપવાની સાથે સ્ટ્રીટ લાઈટો (Street Light ) પણ બંધ કરી દેવામાં આવ્યા છે. ડીજીવીસીએલના અધિકારીઓના આ અમાનવીય વ્યવહારના લીધે અંધારામાં રહેવા મજબુર બનેલા રહીશોએ કલેક્ટરને આવેદનપત્ર આપી પોતાની વ્યવસ્થા સંભળાવી હતી.

ઉધનાના ઇન્દીરાનગરમાં રહેતા રહીશોએ કલેકટરને આવેદનપત્ર આપી રજુઆત કરી હતી કે તેઓ અહીંયા છેલ્લા ઘણા વર્ષોથી રહે છે. 100 કરતા વધારે ઝૂપડામાં લાઈટ મીટરો આવેલા છે. તેઓ છેલ્લા 30 કરતા પણ વધુ વર્ષોથી નિયમિતપણે બિલ ભરતા હોવા છતાં ડીજીવીસીએલના અધિકારીઓ દ્વારા કનેક્શન કટ કરી મીટરો કાઢી લઇ ગયા છે.

સ્ટ્રીટ લાઈટો પણ બંધ કરી દેવામાં આવી છે. આ અંગે જયારે અધિકારીઓ સાથે વાત કરતા તેઓએ ઉપરથી દબાણ છે તેવા જવાબો આપવામાં આવ્યા હતા. વીજ કનેક્શન કાપી લેતા રહીશો અંધારામાં રહેવા મજબૂર બન્યા છે.વધુમાં તેમને આક્ષેપ કર્યા હતા હતા કે જગ્યાની મેટર કોર્ટમાં ચાલી રહી છે. બિલ્ડરના ઈશારે કામ કરતા ડીજીવીસીએલના અધિકારીઓ દ્વારા વીજ કનેકશન કાપી નાખવામાં આવ્યું છે તે અંગે તપાસ કરી મિટરો પાછા લગાવવામાં આવે તેવી રજુઆત કરી હતી.

સ્થાનિકોએ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ડીજીવીસીએલ ના અધિકારીઓને જયારે આ મામલે પૂછવામાં આવે છે ત્યારે તેમના દ્વારા કોઈપણ સંતોષકારક જવાબ આપવામાં આવતો નથી. પાવર કટ હોવાના કારણે દિવસે તો કોઈ વાંધો નથી આવતો પણ રાત્રે લોકોને ખુબ તકલીફ પડે છે. જેથી આ બાબતે ઝડપી કોઈ નિરાકરણ લાવવામાં આવે તેવી માંગણી પણ સ્થાનિકો દ્વારા કરવામાં આવી હતી.

કલેક્ટરને આપવામાં આવેલા આવેદનપત્રમાં  ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના સહમંત્રી આશિષ રાય,વોર્ડ નંબર-4 ના ઉપ-પ્રમુખ સંતોષ શુકલા,યુથ કોંગ્રેસના ઉપ-પ્રમુખ આમિર ખાન તેમજ 100 થી વધુ સ્થાનિકો અને રહીશો હાજર રહ્યા હતા.

આ પણ વાંચો :

શું તમે ફિટ રહેવા માટે ઈંડાની સફેદી ખાઓ છો તો ચેતી જજો, આવી શકે છે આ સમસ્યાઓ

કડવા લીમડાના ગેરફાયદા, જાણો કઈ રીતે તેનો વધુ પડતો ઉપયોગ બની શકે છે ખતરનાક

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">