Surat : DGVCLના પ્રતાપે ઉધના ઇન્દીરાનગરના રહીશો અંધારામાં રહેવા મજબુર

સ્ટ્રીટ લાઈટો પણ બંધ કરી દેવામાં આવી છે. આ અંગે જયારે અધિકારીઓ સાથે વાત કરતા તેઓએ ઉપરથી દબાણ છે તેવા જવાબો આપવામાં આવ્યા હતા. વીજ કનેક્શન કાપી લેતા રહીશો અંધારામાં રહેવા મજબૂર બન્યા છે.વધુમાં તેમને આક્ષેપ કર્યા હતા હતા કે જગ્યાની મેટર કોર્ટમાં ચાલી રહી છે

Surat : DGVCLના પ્રતાપે ઉધના ઇન્દીરાનગરના રહીશો અંધારામાં રહેવા મજબુર
ડીજીવીસીએલ વિરુદ્ધ કલેક્ટરને આવેદનપત્ર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 24, 2022 | 7:19 AM

સુરતના ઉધના(Udhna ) ખાતે આવેલ ઈન્દીરાનગરના રહીશો છેલ્લા કેટલાક દિવસોથી અંધારામાં રહેવા માટે મજબુર બન્યા છે. સ્થાનિક ડીજીવીસીએલના(DGVCL) અધિકારીઓ દ્વારા એક સાથે 50 જેટલા ઝૂપડાંના વીજ કનેક્શન કાપવાની સાથે સ્ટ્રીટ લાઈટો (Street Light ) પણ બંધ કરી દેવામાં આવ્યા છે. ડીજીવીસીએલના અધિકારીઓના આ અમાનવીય વ્યવહારના લીધે અંધારામાં રહેવા મજબુર બનેલા રહીશોએ કલેક્ટરને આવેદનપત્ર આપી પોતાની વ્યવસ્થા સંભળાવી હતી.

ઉધનાના ઇન્દીરાનગરમાં રહેતા રહીશોએ કલેકટરને આવેદનપત્ર આપી રજુઆત કરી હતી કે તેઓ અહીંયા છેલ્લા ઘણા વર્ષોથી રહે છે. 100 કરતા વધારે ઝૂપડામાં લાઈટ મીટરો આવેલા છે. તેઓ છેલ્લા 30 કરતા પણ વધુ વર્ષોથી નિયમિતપણે બિલ ભરતા હોવા છતાં ડીજીવીસીએલના અધિકારીઓ દ્વારા કનેક્શન કટ કરી મીટરો કાઢી લઇ ગયા છે.

સ્ટ્રીટ લાઈટો પણ બંધ કરી દેવામાં આવી છે. આ અંગે જયારે અધિકારીઓ સાથે વાત કરતા તેઓએ ઉપરથી દબાણ છે તેવા જવાબો આપવામાં આવ્યા હતા. વીજ કનેક્શન કાપી લેતા રહીશો અંધારામાં રહેવા મજબૂર બન્યા છે.વધુમાં તેમને આક્ષેપ કર્યા હતા હતા કે જગ્યાની મેટર કોર્ટમાં ચાલી રહી છે. બિલ્ડરના ઈશારે કામ કરતા ડીજીવીસીએલના અધિકારીઓ દ્વારા વીજ કનેકશન કાપી નાખવામાં આવ્યું છે તે અંગે તપાસ કરી મિટરો પાછા લગાવવામાં આવે તેવી રજુઆત કરી હતી.

આજનું રાશિફળ તારીખ : 14-01-2025
Bajra No Rotlo : શું ડાયાબિટીસના દર્દીઓ બાજરાનો રોટલો ખાઈ શકે છે?
7 ફેબ્રુઆરીએ ભારત vs પાકિસ્તાન, નેટફ્લિક્સ તરફથી મોટી જાહેરાત
ગૌતમ ગંભીર કોને ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બનાવવા માંગે છે?
ભારતથી કેનેડા જવું હોય તો ભાડું કેટલું થાય ?
SBI ની હર ઘર લખપતિ યોજના, આ રીતે તમને મળશે 1 લાખ રૂપિયા

સ્થાનિકોએ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ડીજીવીસીએલ ના અધિકારીઓને જયારે આ મામલે પૂછવામાં આવે છે ત્યારે તેમના દ્વારા કોઈપણ સંતોષકારક જવાબ આપવામાં આવતો નથી. પાવર કટ હોવાના કારણે દિવસે તો કોઈ વાંધો નથી આવતો પણ રાત્રે લોકોને ખુબ તકલીફ પડે છે. જેથી આ બાબતે ઝડપી કોઈ નિરાકરણ લાવવામાં આવે તેવી માંગણી પણ સ્થાનિકો દ્વારા કરવામાં આવી હતી.

કલેક્ટરને આપવામાં આવેલા આવેદનપત્રમાં  ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના સહમંત્રી આશિષ રાય,વોર્ડ નંબર-4 ના ઉપ-પ્રમુખ સંતોષ શુકલા,યુથ કોંગ્રેસના ઉપ-પ્રમુખ આમિર ખાન તેમજ 100 થી વધુ સ્થાનિકો અને રહીશો હાજર રહ્યા હતા.

આ પણ વાંચો :

શું તમે ફિટ રહેવા માટે ઈંડાની સફેદી ખાઓ છો તો ચેતી જજો, આવી શકે છે આ સમસ્યાઓ

કડવા લીમડાના ગેરફાયદા, જાણો કઈ રીતે તેનો વધુ પડતો ઉપયોગ બની શકે છે ખતરનાક

ભારતના આકાશમાં ભાજપની હવા - વિજય રૂપાણી
ભારતના આકાશમાં ભાજપની હવા - વિજય રૂપાણી
આ 4 રાશિના જાતકોને આજે નાણાકીય લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે નાણાકીય લાભના સંકેત
હવામાન વિભાગ અને પરેશ ગોસ્વામીએ પવનને લઈને કરી મોટી આગાહી
હવામાન વિભાગ અને પરેશ ગોસ્વામીએ પવનને લઈને કરી મોટી આગાહી
"કૌશિક વેકરીયાના કહેવાથી પાયલ ગોટીનું કઢાયુ સરઘસ"- કોંગ્રેસ
શામળાજી, અંબાજી અને સંતરામ મંદિરે દેશવિદેશથી ઉમટ્યા શ્રદ્ધાળુઓ
શામળાજી, અંબાજી અને સંતરામ મંદિરે દેશવિદેશથી ઉમટ્યા શ્રદ્ધાળુઓ
કાંકરેજ મૂળ બનાસકાંઠા જિલ્લામાં જ રહેશે ! સરકારે શરૂ કરી ફેર વિચારણા
કાંકરેજ મૂળ બનાસકાંઠા જિલ્લામાં જ રહેશે ! સરકારે શરૂ કરી ફેર વિચારણા
ગુજરાતમાં મેગા ડિમોલિશન: દ્વારકા, જામનગર, અમદાવાદમાં હટાવાયા દબાણો
ગુજરાતમાં મેગા ડિમોલિશન: દ્વારકા, જામનગર, અમદાવાદમાં હટાવાયા દબાણો
અમરેલી લેટરકાંડમાં ધરણા કરે તે પહેલા જ ધાનાણી, દૂધાતની અટકાયત
અમરેલી લેટરકાંડમાં ધરણા કરે તે પહેલા જ ધાનાણી, દૂધાતની અટકાયત
અમરેલી લેટરકાંડની તપાસ પૂર્વ જિલ્લા SP નિર્લિપ્ત રાયને સોંપાઈ
અમરેલી લેટરકાંડની તપાસ પૂર્વ જિલ્લા SP નિર્લિપ્ત રાયને સોંપાઈ
સુરતમાં ઉધના રેલવે સ્ટેશન પર અકસ્માત, પાણીની ટાંકીમાં ડૂબ્યો બાળક
સુરતમાં ઉધના રેલવે સ્ટેશન પર અકસ્માત, પાણીની ટાંકીમાં ડૂબ્યો બાળક
g clip-path="url(#clip0_868_265)">