AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SURAT: ઉધના-પાંડેસરામાં દૂષિત અને પીળા કલરનું પાણી આવતા રહીશોમાં રોષ

સુરતમાં ઉનાળાની આકરી ગરમીની શરુઆત સાથે જ પીવાના પાણીનો કકળાટ યથાવત છે. શહેરના ઉધના, પાંડેસરા સહિતના વિસ્તારમાં પીવાનું પાણી લાલ અને વાસ મારતું હોવાની ફરિયાદ ઉઠી છે.

SURAT: ઉધના-પાંડેસરામાં દૂષિત અને પીળા કલરનું પાણી આવતા રહીશોમાં રોષ
Baldev Suthar
| Edited By: | Updated on: Apr 23, 2023 | 9:41 PM
Share

સુરતમાં ગંદુ પાણીની ફરિયાદ યથાવત છે. ઉધના, પાંડેસરમાં ગંદુ પીવાનું પાણી આવી રહ્યું છે. પીવાનું પાણી લાલ કલરનું, વાસ મારતું હોવાની ફરિયાદો ઉઠી છે. સાથે પીવાના પાણીમાં જીવાત પણ જોવા મળી રહી છે. તંત્ર દ્વારા વાસ મારતા પાણીની ફરિયાદ આવતા ઉકાઈમાંથી તાપી નદીમાં પાણી પણ છોડવામાં આવ્યું હતું. તેમ છતાં પીવાનું પાણી લાલ કલરનું, વાસ મારતું હોવાની ફરિયાદ યથાવત છે.

સુરતમાં ઉનાળાની આકરી ગરમીની શરુઆત સાથે જ પીવાના પાણીનો કકળાટ યથાવત છે. શહેરના ઉધના, પાંડેસરા સહિતના વિસ્તારમાં પીવાનું પાણી લાલ અને વાસ મારતું હોવાની ફરિયાદ ઉઠી છે. આ એક દિવસની ફરિયાદ નથી. પરંતુ છેલ્લા 15 દિવસથી પીવાનું પાણી લાલ અને વાસ મારતું ખરાબ આવ્યું રહ્યું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.

થોડા દિવસો પહેલાં સુરત પાલિકાના કતારગામ, વરાછા અને ઉધના ઝોનમાં પીવાના પાણીની મોટી ફરિયાદ હતી. પીવાના પાણીમાં જીવાત આવતી હોવાની ફરિયાદ બાદ સુરત પાલિકાના હાઇડ્રોલિક વિભાગ સાથે મેયર અને સ્થાયી સમિતિ અધ્યક્ષે બેઠક પણ કરી હતી. તેમજ હાઈડ્રોલિક વિભાગે અનેક જગ્યાએ ખોદાણ કરીને કામગીરી કરી હતી. ત્યાં હવે ઉધના ઝોનમાં પીવાના પાણીનું લાલ અને ગંદુ આવતા હોવાની ફરિયાદ વધી ગઈ છે.

સ્થાનિક રહેવાસી સંગીતાબેન ઢીવરે જણાવ્યું હતું કે પાંડેસરા નાગસેન નગરમાં 15 દિવસથી ગંદુ અને લાલ કલરનું પાણી આવી રહ્યું છે. આ દુષિત પાણી પીવાથી લોકો બીમાર પણ પડી રહ્યા છે. અમારી માગ છે કે આ સમસ્યાનો હલ થાય અને અમને સારું અને ચોખ્ખું પાણી આપવામાં આવે.

મહત્વનું છે કે પાણીનું લેવલ નીચું જવાની શક્યતાના કારણે આ સમસ્યા સર્જાઈ હોવાનું તંત્ર દ્વારા જણાવી ઉકાઈ ડેમમાંથી 01 હજાર કયુસેક પાણી પણ છોડવામાં આવ્યું હતું. પરંતુ તેમ છતાં ગંદા પાણીની સમસ્યા યથાવત જોવા મળી રહી છે.

આ પણ વાંચો: Gujarati Video: સુરતમાં યોજાયેલી સાડી વૉકેથોનની PM મોદીએ કરી પ્રશંસા- કહ્યુ ભારતની કાપડ પરંપરાને લોકપ્રિય બનાવવાનો પ્રશંસનીય પ્રયાસ

સુરતમાં ઉનાળાની શરૂઆત થતા જ કેટલાક વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા ઉભી થઈ છે. થોડા દિવસો અગાઉ વરાછા, કતારગામ, ઉધના અને પછી રાંદેરા ઝોનમાંથી પીવાના પાણીને લઈને ફરિયાદ ઉઠી હતી. જેના પગલે મેયરે હાઈડ્રોલિક વિભાગ સાથે બેઠક કરી હતી. સ્થાયી સમિતિ અધ્યક્ષ પરેશ પટેલે પણ હાઈડ્રોલિક વિભાગના અધિકારીઓ સાથે પાણીની સમસ્યા બાબતે બેઠક કરી હતી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us
યુવકે 'છોકરી' શોધવા માટે અપનાવ્યો એવો રસ્તો કે, લોકો 'ચોંકી' ગયા
યુવકે 'છોકરી' શોધવા માટે અપનાવ્યો એવો રસ્તો કે, લોકો 'ચોંકી' ગયા
વડોદરામાં શંકાસ્પદ ખાદ્યતેલ જપ્ત: આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી
વડોદરામાં શંકાસ્પદ ખાદ્યતેલ જપ્ત: આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી
સુરતમાં પૂરથી અસરગ્રસ્ત થયેલા નાગરિકો માટે સરકારે જાહેર કર્યુ રાહત પેક
સુરતમાં પૂરથી અસરગ્રસ્ત થયેલા નાગરિકો માટે સરકારે જાહેર કર્યુ રાહત પેક
ભગવાન જગન્નાથજીના ત્રણેય રથનું મંદિર પરિસરમાં આગમન
ભગવાન જગન્નાથજીના ત્રણેય રથનું મંદિર પરિસરમાં આગમન
જો પાકિસ્તાનમાં હોત તો તારું અપહરણ કરી લેત..., જુઓ Video
જો પાકિસ્તાનમાં હોત તો તારું અપહરણ કરી લેત..., જુઓ Video
વેજ બિરીયાનીને બદલે રેસ્ટોરન્ટે નોન વેજ બિરીયાની મોકલ્યાનો આક્ષેપ
વેજ બિરીયાનીને બદલે રેસ્ટોરન્ટે નોન વેજ બિરીયાની મોકલ્યાનો આક્ષેપ
આજનું રાશિફળ: 15 જુલાઈએ કઈ રાશિએ રાખવી પડશે સાવધાની?
આજનું રાશિફળ: 15 જુલાઈએ કઈ રાશિએ રાખવી પડશે સાવધાની?
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
g clip-path="url(#clip0_868_265)">