Surat : નીલકંઠ મહાદેવ મંદિરમાં આરતી સમયે ત્રણ શ્વાનની નિયમિત હાજરીથી લોકોમાં કુતુહલ

શરૂઆતમાં તો આરતી સમયે શ્વાનની હાજરીની ઘટનાને કોઈએ ધ્યાને લીધી ન હતી પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી નિયમિત સમયે આરતી વખતે જ આ શ્વાન મંદિર પરિસરમાં પહોંચી જતા હવે આ ઘટનાની ચર્ચાએ આસપાસના વિસ્તારમાં જોર પકડ્યું છે.

Surat : નીલકંઠ મહાદેવ મંદિરમાં આરતી સમયે ત્રણ શ્વાનની નિયમિત હાજરીથી લોકોમાં કુતુહલ
Regular presence of three dogs during Aarti in Neelkanth Mahadev temple (File Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 23, 2022 | 1:31 PM

શહેરના (Surat ) અશ્વનીકુમાર ખાતે આવેલ મહાદેવનું મંદિર (Temple )આજકાલ આસપાસના વિસ્તારમાં ચર્ચાનું કેન્દ્ર બનવા પામ્યું છે. નિલકંઠ મહાદેવ મંદિરમાં સવાર – સાંજ આરતીના સમયે શ્વાનોની નિયમિત હાજરીથી શ્રદ્ધાળુઓમાં પણ કૌતુહલ જોવા મળી રહ્યું છે. આખો દિવસ સોસાયટીઓમાં ફરતા આ શ્વાન મંદિરમાં આરતી પૂર્વે શંખનાદ સાંભળીને જ જ્યાં હોય ત્યાંથી મંદિર પરિસરમાં પહોંચી જતા હોય છે. જોકે, આરતી દરમ્યાન હાજર રહેલા શ્રદ્ધાળુઓની વચ્ચે જ આ શ્વાન જ્યાં સુધી આરતી પૂર્ણ ન થાય ત્યાં સુધી મંદિરમાં ઉભા રહે છે.

અશ્વનીકુમાર ખાતે આવેલ લક્ષ્મીનારાયણ સોસાયટી પાસેનું ઐતિહાસિક નિલકંઠ મહાદેવ શ્રદ્ધાળુઓમાં અદકેરૂં સ્થાન ધરાવે છે. મહાદેવના આ મંદિરમાં નિયમિત આરતી કરતાં પ્રવિણભાઈ વઘાસિયાએ શ્વાનની નિયમિત હાજરી સંદર્ભે જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા ત્રણેક વર્ષથી મહાદેવની પુજા અર્ચના સાથે આરતી કરે છે અને આ દરમ્યાન નિયમિતપણે ત્રણ શ્વાન આરતી સમયે મંદિરના ઓટલા પર આવી જતાં હોય છે.

આરતીના શંખનાદ સાથે જ આસપાસની સોસાયટીમાં ગમે ત્યાં હોય પરંતુ આ શ્વાન દોડીને મંદિર પરિસરમાં પહોંચી જતા હોય છે. એટલું જ નહીં પરંતુ જ્યાં સુધી આરતી પુરી ન થાય ત્યાં સુધી આ ત્રણેય શ્વાન ઉંચા ઉંચા અવાજે આરતીના સૂરમાં જાણે સૂર પુરાવતાં હોય તેમ સ્પષ્ટ નજરે પડે છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

મંદિરમાં આરતી સમયે હાજર રહેતા શ્રદ્ધાળુઓએ પણ આ સંદર્ભે વધુમાં જણાવ્યું હતું કે, શરૂઆતમાં તો આરતી સમયે શ્વાનની હાજરીની ઘટનાને કોઈએ ધ્યાને લીધી ન હતી પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી નિયમિત સમયે આરતી વખતે જ આ શ્વાન મંદિર પરિસરમાં પહોંચી જતા હવે આ ઘટનાની ચર્ચાએ આસપાસના વિસ્તારમાં જોર પકડ્યું છે. આરતી દરમ્યાન મહાદેવનો પ્રસાદ લીધા બાદ આ શ્વાન પુનઃ આસપાસની સોસાયટીમાં રવાના થઈ જતા હોય છે. અહિંયા આવતી મહિલા શ્રદ્ધાળુઓએ પણ જણાવ્યું હતું કે, પહેલા તો આરતી દરમ્યાન શ્વાનની હાજરીને પગલે ડર લાગતો હતો પરંતુ આજ દિન સુધી આ ત્રણેય શ્વાન દ્વારા કોઈ પણ શ્રદ્ધાળુને કનડગત કરવામાં આવી નથી.

તાપી પુરાણમાં પણ મંદિરનો ઉલ્લેખ

લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા અને વર્ષોથી નિલકંઠ મહાદેવ મંદિરમાં દર્શન માટે આવતાં ઠાકરશીભાઈએ જણાવ્યું હતું કે, આ મંદિરનો ઉલ્લેખ તાપી પુરાણમાં પણ જોવા મળે છે. અંદાજે 400 વર્ષ કરતાં પણ જુનું આ નિલકંઠ મહાદેવનું મંદિર આસપાસના વિસ્તારના નાગરિકોમાં શ્રદ્ધાનું કેન્દ્ર છે. ખાસ કરીને શ્રાવણ મહિનામાં તો આ મંદિરમાં દર્શનાર્થે સેંકડો લોકોની ભીડ ઉમટી પડતી હોય છે.

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">