Surat: પીએમ મોદીના કાર્યક્રમને લઈને 20 સભ્યોની સમિતિની રચના કરાઇ

Surat: 29મી સપ્ટેમ્બરે પીએમ મોદી સુરત આવી રહ્યા છે, અહીં તેઓ જંગી જનસભા સંબોધવાના છે. આ સાથે પીએમનો 2 કિલોમીટરનો એક રોડ શો પણ યોજાવાનો છે જેને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. પીએમની સુરત મુલાકાતને લઈને પાલિકા અને સરકારના અધિકારીઓની 20 સભ્યોની એક સમિતિની પણ રચના કરવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 22, 2022 | 10:42 PM

આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણીને(Gujarat Assembly Election 2022)   લઈને રાજકીય પાર્ટીઓએ પ્રચારની શરૂઆત કરી દીધી છે. ત્યારે આ જ સિલસિલામાં પીએમ નરેન્દ્ર મોદી (PM Modi) પણ સુરત આવી રહ્યા છે. આગામી 29મી સપ્ટેમ્બરે PM મોદી સુરત (Surat)ના લિંબાયત આવી રહ્યા છે. અહીં PMના કાર્યક્રમને લઈને સમિતિની રચના કરવામાં આવી છે. પાલિકા અને સરકારના અધિકારીઓની 20 સભ્યોની સમિતિની (Committee) રચના કરવામાં આવી છે. આ સમિતિ PMના કાર્યક્રમને સફળ બનાવવા માટે કામગીરી કરશે. મહત્વપૂર્ણ છે કે 29મી સપ્ટેમ્બરે લિંબાયતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જાહેર કાર્યક્રમ યોજાવાનો છે. જેમા લિંબાયતના નીલગીરી મેદાનમાં PM મોદી જંગી જાહેરસભાને સંબોધિત કરશે. અહીં તેઓ 3300 કરોડથી વધુના પ્રકલ્પોનુ ખાતમુહુર્ત અને લોકાર્પણ પણ કરવાના છે. સાથે સાથે વડાપ્રધાન મોદી ગોડાદરાથી લિંબાયત સુધીનો 2 કિલોમીટરનો રોડ શો પણ કરશે.

29મીએ વડાપ્રધાન બનશે સુરતના મહેમાન

29મી સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદી સુરતના મહેમાન બનવાના છે ત્યારે લિંબાયતમાં આવેલા નીલગીરી ગ્રાઉન્ડમાં તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. અહીં અંદાજે બે લાખ લોકો વડા પ્રધાન મોદીની સભામાં હાજર રહે, તેવી શક્યતાને પગલે તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. મનપાના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, જાહેરસભા માટેના મુખ્ય અપગ્રાઉન્ડમાં સંપૂર્ણ ડોમ તૈયાર કરાશે જેથી કદાચ વરસાદ પડે તો પણ જાહેર સભાના આયોજનમાં મુશ્કેલી પડી શકે નહીં. જાહેરસભાના મુખ્ય ગ્રાઉન્ડની બાજુમાં આવેલ અન્ય ખુલ્લા પ્લોટમાં પણ વડા પ્રધાનને સાંભળવા આવનાર પ્રજાજનો માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવી શકે છે. આ મેદાનમાં લોકો માટે ટીવીઓ પણ ગોઠવવામાં આવશે.

ત્રણ હેલિપેડ બનાવવાની તૈયારી

વોર્ડ દીઠ બસની વ્યવસ્થા હેલીપેડથી સભા સ્થળ માટે બે રૂટો નક્કી કરાયા લાખ લોકો માટેની બંને  મેદાનની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. વોર્ડ દીઠ ભાજપના કોર્પોરેટરો અને વોર્ડ સંગઠનને 10 હજાર લોકોને વડા પ્રધાન મોદીની જાહેર સભામાં લાવવા માટેનો લક્ષ્યાંક અપાયો હતો. અને વોર્ડ દીઠ તંત્ર દ્વારા બસ માટેની વ્યવસ્થા કરવામાં આવશે. ગોડાદરા સ્થિત મહર્ષિ આસ્તિક શાળાના ગ્રાઉન્ડમાં વડા પ્રધાનના સ્પેશિયલ ચોપર માટે ત્રણ હેલીપેડ બનાવવાની કામગીરી યુદ્ધસ્તરે થઈ રહી છે. હેલીપેડથી સભા સ્થળે આવવા માટે બે રૂટો પર હાલ વિચારણા ચાલી રહી છે.

ઈનપુટ ક્રેડિટ- બલદેવ સુથાર- સુરત 

Follow Us:
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">