Surat: નવરાત્રીના ધંધાદારી આયોજનો પર બ્રેક લાગતા ઓર્કેસ્ટ્રા સાથે જોડાયેલા અસંખ્ય લોકો મજૂરી કરવા મજબુર

જેમાં ખાસ કરીને નવરાત્રિના ધંધાદારી આયોજનમાં ઓરકેસ્ટ્રા માટે જતા કલાકારોની હાલત કફોડી બની છે. આવા લોકોએ ઘર ચલાવવા છૂટક મજૂરી કરવી પડી રહી છે.

Surat: નવરાત્રીના ધંધાદારી આયોજનો પર બ્રેક લાગતા ઓર્કેસ્ટ્રા સાથે જોડાયેલા અસંખ્ય લોકો મજૂરી કરવા મજબુર
File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 05, 2021 | 8:11 PM

કોરોના (Corona) બાદ પ્રથમવાર નવરાત્રીની (Navratri 2021) ઉજવણીની છૂટ સરકાર દ્વારા આપવામાં આવી છે .પરંતુ આ છૂટ માત્ર શેરી ગરબા પૂરતી આપવામાં આવી છે. શહેરમાં આ વખતે કોઈપણ જાતના નવરાત્રીના ધંધાદારી આયોજનો થશે નહીં જેના કારણે નવરાત્રીના તહેવારની સાથે સંકળાયેલા લોકોની હાલત કફોડી બની છે. જેમાં ઓરકેસ્ટ્રાના કલાકારોએ પરિવારનું ગુજરાન ચલાવવા માટે હાલ છૂટક મજૂરી કરવાનો વારો આવ્યો છે.

શેરી ગરબાની છૂટ મળવાથી ખેલૈયાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે તો બીજી તરફ એવા ઘણા લોકો છે જે નવરાત્રી સાથે જોડાયેલા છે. જેઓની કમાણીનું સાધન માત્ર નવરાત્રીના આ નવ દિવસ હોય છે. આ લોકોએ હાલ પરિવારનું ગુજરાન માટે ફાંફા પડી રહ્યા છે. જેમાં ખાસ કરીને નવરાત્રીના ધંધાદારી આયોજનમાં ઓરકેસ્ટ્રા માટે જતા કલાકારોની હાલત કફોડી બની છે. આવા લોકો એ ઘર ચલાવવા છૂટક મજૂરી કરવી પડી રહી છે.

ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત

છેલ્લા 30 વર્ષથી ઓરકેસ્ટ્રાના કલાકાર તરીકે કામ કરી રહેલા સંતોષ કાળજે કહે છે કે “તેઓ ઓલરાઉન્ડર કલાકાર છે. તેવો ડ્રમ, કોંગો અને ઢોલક વગાડતા હતા. પરંતુ છેલ્લા એક વર્ષથી કોરોનાના કારણે નવરાત્રી થઈ ન હતી .આ વખતે કેસ ઘટી જતાં નવરાત્રીની આશા હતી. પરંતુ સરકારે છૂટ નહીં આપતા મારે પરિવારના આઠ લોકોનું ભરણપોષણ કરવું ખૂબ જ અઘરું થઈ ગયું છે.

હું અને મારો દીકરો બન્ને જ ઓરકેસ્ટ્રામાં કામ કરીએ છીએ. પરંતુ અમે બંને હવે કઈ રીતે કામ કરીએ. મારે હવે છૂટક મજૂરી કરવી પડે છે. જેમાં ક્યારેક કામ મળે છે અને ક્યારેક કામ નથી મળતું .મજૂરીના પણ 500થી 600 રૂપિયા મળતા હોય છે. પરિવારનું ગુજરાન ચલાવું અત્યારે ખૂબ જ અઘરું થઈ પડ્યું છે.

બીજી તરફ ઓજસભાઈ જરીવાલા કહે છે કે હું પણ ઓરકેસ્ટ્રામાં 30 વર્ષથી કામ કરી રહ્યો છું. મારી સાથે મારી પત્ની પણ સિંગર છે. પરંતુ નવરાત્રીમાં આ વખતે ધંધાદારી આયોજનો થવાના નથી. જેના કારણે અમે જે નવ દિવસમાં 25,000થી 30,000 કમાઈ લેતા હતા. તે હવે શક્ય નથી.

નવરાત્રીની કમાણી પર જ અમારી આખી ઘરની દિવાળી નિર્ભર હોય છે. અમને કોઈ કામ પણ નથી આપતું. કારણકે અમને બીજો કોઈ અનુભવ નથી. તે લોકો અમારો અનુભવ માંગતા હોય છે. અમે ઘરના અને ઈન્સ્ટ્રુમેન્ટ માટે જે લોન લીધી હોય તેના પણ હપ્તા ચાલતા હોય છે. તે પણ હવે નથી ભરાતા.

આ પણ વાંચો : Surat: એવું તો શું છે આ લેડીઝ પાર્લરમાં કે મહિલાઓ ત્યાં જતા ડરે છે!

આ પણ વાંચો : Surat : પૂર્વ આરોગ્યમંત્રી ફરી આવ્યા વિપક્ષની ભૂમિકામાં, જર્જરિત રસ્તા મુદ્દે કહ્યું કે કોર્પોરેટરો, અધિકારીઓને રસ્તા રીપેર કરવામાં કોઈ રસ નથી

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">