AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: પાલ ઉમરા બ્રિજના એપ્રોચ રોડ પર ભંગાણ પડ્યું હોવાની વાતથી અધિકારીઓ થયા દોડતા

સુરતના અતિ મહત્વકાંક્ષી પાલ ઉમરા બ્રિજ (Pal Umra Bridge)નું કામ અંતિમ તબક્કામાં ચાલી રહ્યું છે અને જુલાઈ મહિનામાં આ બ્રિજને લોકો માટે ખુલ્લો મૂકાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

Surat: પાલ ઉમરા બ્રિજના એપ્રોચ રોડ પર ભંગાણ પડ્યું હોવાની વાતથી અધિકારીઓ થયા દોડતા
Parul Mahadik
| Edited By: | Updated on: Jun 23, 2021 | 11:55 PM
Share

Surat: સુરતના અતિ મહત્વકાંક્ષી પાલ ઉમરા બ્રિજ (Pal Umra Bridge)નું કામ અંતિમ તબક્કામાં ચાલી રહ્યું છે અને જુલાઈ મહિનામાં આ બ્રિજને લોકો માટે ખુલ્લો મૂકાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. ત્યારે ઉમરા પાલ વિસ્તારને જોડતા નદીના બ્રીજનું લોકાર્પણ થાય તે પહેલાં જ એપ્રોચ રોડ પર એકાએક ભંગાણ સર્જાયું હોવાની વાત વહેતી થઈ હતી. જોકે બાદમાં રાંદેર ઝોન દ્વારા આ મામલે સ્પષ્ટતા કરવામાં આવી હતી. જુલાઈ મહિનામાં આ બ્રીજને ખુલ્લો મૂકવાની તૈયારી થઈ રહી છે.

ત્યારે નિર્માણના આખરી તબક્કામાં જ ઉમરા ગામના એપ્રોચ રોડ પર એકાએક ભંગાણ સર્જાયુ છે અને તૂટી પડેલા રસ્તાની ફરતે મનપા દ્વારા બેરીકેટ ગોઠવી દેવામાં આવ્યું હોવાના સમાચાર વહેતા થયા હતા. નિર્માણધીન બ્રિજના લોકાર્પણ પહેલા જ એપ્રોચ રોડમાં ભંગાણ સર્જાવાની વાતથી સુરત મહાનગર પાલિકાના બ્રિજ સેલના અધિકારીઓ તથા કર્મચારીઓ દોડતા થઈ ગયા હતા.

એપ્રોચ રોડ નજીકનું ઢાંકણું રહેતું હતું તેવું જોતા મેનહોલ તોડીને એપ્રોચ ચાર રસ્તા પર નવા મેનહોલ રાખવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. પરંતુ આ કામગીરી દરમિયાન બ્રિજના એપ્રોચમાં ગાબડું પડ્યું હતું, તે પછી ઝોન દ્વારા strainનું ઢાંકણું તોડવા માટે બ્રેકિંગ મશીનનો ઉપયોગ કરીને કામગીરી હાથ ધરાઈ હતી. જોકે આ ભંગાણ બાબતે રાંદેર ઝોનના અધિકારીએ સ્પષ્ટતા કરી હતી કે બ્રિજ કે રોડમાં કોઈપણ પ્રકારના ગાબડા પડયા નથી.

પરંતુ બે મેનહોલ કરેલા છે, આ બંને મેનહોલ પરથી મોટી ટ્રક કે મોટા વાહન જાય તો ભવિષ્યમાં સ્ટ્રોમ ડ્રેઈનમાં ડેમેજ થવાની શક્યતા રહેલી છે. આ ઉપરાંત બોક્સ સિમેન્ટ કોંક્રીટ બનાવવામાં આવ્યું છે તો તેના પર ઢાંકણા મૂકવામાં આવે તો તેનાથી ઢાંકણાની ઉંચાઈ વધી શકે છે અને વાહનચાલકોને વધુ મુશ્કેલી પડી શકે છે. જેના કારણે મેનહોલની સમસ્યા ન આવે તે માટે આ કામગીરી કરવામાં આવી છે.

આ પણ વાંચો: Dang: ડાંગ જિલ્લામાં ફરવા જતા પહેલાં જાણો આ નિયમ નહીં તો થશે કાયદેસર કાર્યવાહી!

આ પણ વાંચો: Ahmedabad: મનરેગા હેઠળ સિંચાઈ માટેના કૂવા, ખેત તલાવડી, ખેતરના બંધપાળા અને કૂવા રિચાર્જની કામગીરી હાથ ધરાઈ

અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
g clip-path="url(#clip0_868_265)">