Surat : હવે સુરતમાં તૈયાર થયા ઓનલાઇન એજ્યુકેશનની થીમ પર ગણપતિ

હાલ જે રીતે શાળાઓ બંધ રહેતા વિદ્યાર્થીઓનું ઓનલાઇન એજ્યુકેશન ચાલી રહ્યું છે. તે જ પ્રમાણે ગણપતિને ટેબલ પર પુસ્તક લઈને બેસેલા બતાવવામાં આવ્યા છે અને અભ્યાસ માટે તેમની સામે સ્ટેન્ડ પર મોબાઈલ મુકવામાં આવ્યો છે.

Surat : હવે સુરતમાં તૈયાર થયા ઓનલાઇન એજ્યુકેશનની થીમ પર ગણપતિ
Surat: Now, Ganapati made on the theme of online education
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 25, 2021 | 11:59 PM

સુરતમાં ગણપતિ મહોત્સવની જોરશોરમાં તૈયારીઓ શરૂ થઇ ગઈ છે. ત્યારે શહેરમાં મૂર્તિકારો દ્વારા ગણેશજીની પ્રતિમાઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. મુંબઈ બાદ સુરતમાં ગણપતિ મહોત્સવ ખુબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. પરંતુ છેલ્લા 2 વર્ષથી કોરોનાના કારણે ગણપતિ મહોત્સવ સાદાઈથી જ ઉજવાયો છે.

જો કે કોરોનાએ બે વર્ષથી જનજીવન ભારે પ્રભાવિત કર્યું છે. ત્યારે સુરતમાં પણ મૂર્તિકારોએ આ થીમ પર ગણપતિની પ્રતિમા બનાવવાનું આયોજન કર્યું છે. આ પહેલા સુરતમાં વેક્સીન આપતા ગણપતિ બનાવવામાં આવ્યા હતા. ત્યારે હવે સુરતમાં એક મૂર્તિકારે ઓનલાઇન એજ્યુકેશનની થીમ પર ગણપતિની પ્રતિમા તૈયાર કરાઈ છે.

આ થીમ પર તૈયાર કરાયેલી ગણેશજીની પ્રતિમામાં ગણપતિ બાપ્પાને વિદ્યાર્થીના સ્વરૂપમાં તૈયાર કરવામાં આવ્યા છે. હાલ જે રીતે શાળાઓ બંધ રહેતા વિદ્યાર્થીઓનું ઓનલાઇન એજ્યુકેશન ચાલી રહ્યું છે તે જ પ્રમાણે ગણપતિને ટેબલ પર પુસ્તક લઈને બેસેલા બતાવવામાં આવ્યા છે અને અભ્યાસ માટે તેમની સામે સ્ટેન્ડ પર મોબાઈલ મુકવામાં આવ્યો છે. અને આ રીતે તેમને ઓનલાઇન અભ્યાસ કરતા દર્શાવવામાં આવ્યા છે. જે હાલના કોરોનાકાળના સમયને અનુરૂપ મૂર્તિ ઘડી છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

આ પહેલા પણ સુરતના એક મૂર્તિકારે વેક્સિનેશન અભિયાનમાં જાગૃતિ લાવવા માટે વેક્સીન લેતા ગણપતિ તૈયાર કરવામાં આવ્યા હતા. અને કોરોના સામે લડવા માટે લોકોને વેક્સિનનો મહત્તમ લાભ લેવા માટે સંદેશો આપવામાં આવ્યો હતો. ત્યારે હવે, કોરોનાને કારણે વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવતુ હોવાથી, મૂર્તિકારે ગણપતિને ઓનલાઈન શિક્ષણ લેતા વિદ્યાર્થી સ્વરૂપમાં બતાવવામાં આવ્યા છે. નોંધનીય છે કે છેલ્લા ઘણા વર્ષોથી સુરતમાં થીમ બેઇઝ ગણપતિની બોલબાલા સુરતમાં ખુબ વધી રહી છે.

આ પહેલા પણ અનેક થીમ જેમ કે કારગિલ વોર, આઇપીએલ, ટિમ ઇન્ડિયા વગેરે થીમ પર ગણપતિ બનાવી લોકોને સંદેશો આપવામાં આવ્યો હતો. થીમ બેઇઝ મૂર્તિ તૈયાર કરતા મૂર્તિકારોનું માનવું છે કે તેનાથી લોકોને સંદેશો પણ મળી જાય છે અને ભક્તિ પણ થઇ જાય છે. ચાલુ વર્ષે ગણેશ આયોજકો તંત્ર પાસે અપેક્ષા રાખી રહ્યા છે કે આ વર્ષે હવે જયારે કોરોનાના કેસો ઓછા થયા છે ત્યારે સાદાઈથી પણ ગણેશ મહોત્સવને ઉજવવાની પરવાનગી આપવામાં આવે.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">