Surat : કોરોનાના કેસો વધતા અઠવા-રાંદેર વિસ્તારની કન્ટેન્ટમેન્ટ સોસાયટીમાં નવરાત્રી નહીં યોજવા આદેશ

અઠવાની આવી 41 સોસાયટીઓ છે અને રાંદેર વિસ્તારની કન્ટેન્ટમેન્ટ એરિયામાં આવતી 30 સોસાયટી એવી છે જ્યાં કોરોનાના કેસો વધ્યા છે. જેથી હવે ફરી અહીં સક્રમણ ન વધે તેના માટે પાલિકાએ નવરાત્રી નહીં યોજવા સૂચના આપી છે.

Surat : કોરોનાના કેસો વધતા અઠવા-રાંદેર વિસ્તારની કન્ટેન્ટમેન્ટ સોસાયટીમાં નવરાત્રી નહીં યોજવા આદેશ
Surat: Navratri ordered not to be held in Contentment Society of Athwa Rander area due to increasing cases of Corona
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 05, 2021 | 8:10 AM

Navratri નવરાત્રી શરૂ થાય તે પહેલા જ સુરતના રાંદેર (rander) અને અઠવા (athwa) વિસ્તારમાં કોરોનાના (corona cases) કેસો પણ વધવા લાગ્યા છે. જેથી હવે સુરત મહાનગર પાલિકા દ્વારા પણ અગમચેતીના ભાગરૂપે તમામ પગલાં ભરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને જે સોસાયટીઓમાં કેસ વધ્યા છે તે સોસાયટીઓમાં આરોગ્ય વિભાગે નવરાત્રી નહીં યોજવા આદેશ આપ્યા છે. 

અઠવાની આવી 41 સોસાયટીઓ છે અને રાંદેર વિસ્તારની કન્ટેન્ટમેન્ટ એરિયામાં આવતી 30 સોસાયટી એવી છે જ્યાં કોરોનાના કેસો વધ્યા છે. જેથી હવે ફરી અહીં સક્રમણ ન વધે તેના માટે પાલિકાએ નવરાત્રી નહીં યોજવા સૂચના આપી છે. જો ક્લસ્ટર એરિયાની આજુબાજુ એકાદ બે કેસ પણ નોંધાયા હોય તો કોર્પોરેશન દ્વારા તેવી સોસાયટી અને એપાર્ટમેન્ટના પ્રમુખ સાથે મળીને કોરોનની ગાઈડલાઇનનું પાલન કરીને નવરાત્રી યોજવા જણાવ્યું છે. અને જો કેસ નોંધાશે તો શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે.

પાલિકા દ્વારા જે સોસાયટી કે મહોલ્લામાં નવરાત્રી યોજાવાની છે ત્યાં દૈનિક ધોરણે હેન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ કરવા તાકીદ કરવામાં આવી છે. ફરજીયાત સોશિયલ ડિસ્ટનસિંગનું પાલન થાય, અચૂક માસ્ક પહેરવામાં આવે, તેવી બાબતો પર ધ્યાન આપવા જણાવવામાં આવ્યું છે. જો કોઈ સ્થાનિકને ગળામાં દુખાવો કે કોરોનાના કોઈ લક્ષણો હોય તો તેવા રહીશોને નજીકનુ અર્બન હેલ્થ સેન્ટર ખાતે કોરોના ટેસ્ટિંગ માટે જવા જણાવવામાં આવ્યું છે.

અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો

જોકે સોસાયટી કે એપાર્ટમેન્ટમાં કોરોના પોઝિટિવ કેસ આવશે તો એપિડેમિક ડિસીઝ એક્ટ મુજબ શિક્ષાત્મક કાર્યવાહી કરવાની સૂચના પણ આપવામાં આવી છે. આમ, કોરોનાના કેસ વધતા શહેરના અઠવા અને રાંદેરની કન્ટેન્ટમેન્ટ એરિયામાં આવતી 41 અને 30 જેટલી સોસાયટીઓ આ વખતે નવરાત્રી નહિ કરી શકે.

આ બંને એવા વિસ્તારો છે જ્યાં કોરોનાની બીજી લહેરમાં પણ કેસો વધવાની શરૂઆત આ જ વિસ્તારમાંથી થઇ હતી. જેથી પાલિકા દ્વારા આ વખતે કોઈ પણ રિસ્ક લીધા વગર અગમચેતીના ભાગરુપે લોકોને પણ સલામત રહેવા સૂચના આપવામાં આવી રહી છે. નવરાત્રી અને આવનારા બીજા તહેવારોને ધ્યાનમાં રાખીને કેસ ન વધે તે માટે પાલિકા ચિંતિત દેખાઈ રહી છે.

આ પણ વાંચો : વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે પ્રોજેક્ટ હેઠળ સુરતના ખેડૂતોને સંપાદિત જમીનનું વળતર ચૂકવાયું

આ પણ વાંચો : Surat : નટુકાકાને પસંદ હતી સુરતની રતાળુપુરી, નાટક માટે સુરત આવતા ત્યારે અચૂક સ્વાદ લેતા

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">