AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : આ વર્ષે સુરતીઓના મનપસંદ ઈન્ડોર સ્ટેડીયમમાં નહી યોજાય નવરાત્રી, જાણો કેમ ?

એક સમયે ઇન્ડોર સ્ટેડિયમ નવરાત્રી માટે ભાડેથી લેવા માટે આયોજકોમાં પડાપડી થતી હતી. પણ છેલ્લા કેટલાક વર્ષોથી ઇન્ડોર સ્ટેડિયમ માટે આયોજકોમાં કોઈ ખાસ ઉત્સાહ દેખાતો નથી.

Surat : આ વર્ષે સુરતીઓના મનપસંદ ઈન્ડોર સ્ટેડીયમમાં નહી યોજાય નવરાત્રી, જાણો કેમ ?
Navratri in Indoor Stadium (File Image )
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 12, 2022 | 9:13 AM
Share

તહેવારોની (Festivals ) સીઝન શરૂ થઇ ગઈ છે. દસ દિવસ સુધી વિઘ્નહર્તા ગણેશજી ની પૂજા અર્ચના કર્યા બાદ હવે યુવાહૈયાઓના માનીતા તહેવાર નવરાત્રીનું (Navratri ) કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. ત્યારે સુરતમાં પણ વિવિધ પાર્ટી પ્લોટો અને ઇન્ડોર હોલમાં નવરાત્રીના આયોજનો માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પરંતુ સુરતીઓ માટે ગરબા રમવા માટે જાણીતા સ્થળ ઇન્ડોર સ્ટેડિયમમાં આ વર્ષે નવરાત્રી નહીં યોજાઈ શકે.

શહેરમાં આવનારા દિવસોમાં નેશનલ ગેમ્સનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેથી આ વર્ષે સુરત મહાનગરપાલિકા દ્વારા ઇન્ડોર સ્ટેડિયમ ભાડે આપવામાં નહીં આવે. જોકે આ પહેલા સુરત મહાનગરપાલિકા દ્વારા ઇન્ડોર સ્ટેડિયમને દસ દિવસ સુધી ભાડેથી ફાળવવા માટે ઓફર મંગાવવામાં આવી હતી. જોકે તે સમયે કોઈપણ આયોજકોએ રસ દાખવ્યો ન હતો. તો બીજી તરફ સુરતમાં આવનાર દિવસોમાં ઇન્ડોર સ્ટેડિયમ ખાતે 36મી નેશનલ ગેમ્સ પણ યોજાવા જઈ રહી છે. નેશનલ ગેમ્સ અંતર્ગત બે ગેમ્સ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજવામાં આવે તેવી શક્યતા છે.

આ કારણથી પણ કોર્પોરેશન દ્વારા હવે નવરાત્રી માટે ઇન્ડોર સ્ટેડિયમને ભાડે ન આપવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે અત્યારસુધી ઇન્ડોર સ્ટેડિયમ ખેલૈયાઓ અને આયોજકો માટે ખુબ હોટ ફેવરિટ માનવામાં આવતું હતું. શહેરની વચ્ચોવચ્ચ આવેલા ઇન્ડોર સ્ટેડિયમ એસી ડોમ હોવાથી ખેલૈયાઓને અહીં ગરબા રમવાનું ખુબ અનુકૂળ પણ રહેતું હતું.

એક સમયે ઇન્ડોર સ્ટેડિયમ નવરાત્રી માટે ભાડેથી લેવા માટે આયોજકોમાં પડાપડી થતી હતી. પણ છેલ્લા કેટલાક વર્ષોથી ઇન્ડોર સ્ટેડિયમ માટે આયોજકોમાં કોઈ ખાસ ઉત્સાહ દેખાતો નથી. જેના કારણે ખુબ ઓછા ભાડામાં ઇન્ડોર સ્ટેડિયમ આયોજકોને ફાળવવામાં આવતું હતું. જોકે આ વર્ષે એક પણ આયોજકે ઇન્ડોર માં નવરાત્રી યોજવા માટે રસ ન દાખવતા આ વર્ષે અહીં નવરાત્રી નહીં થાય એ નક્કી છે. તો બીજી તરફ ખુલ્લા પાર્ટી પ્લોટ અને સરસાણા એસી ડોમમાં નવરાત્રી માટે તૈયારીઓ પુરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે.

Follow Us
વિવાદમાં ‘લાલો’ ફેમ કરણ જોશી: યુવતીના આરોપ પર અભિનેતાએ આપી સ્પષ્ટતા
વિવાદમાં ‘લાલો’ ફેમ કરણ જોશી: યુવતીના આરોપ પર અભિનેતાએ આપી સ્પષ્ટતા
જૂનાગઢ: પ્રી-મોન્સૂન કામગીરી વિવાદમાં, મનપાના દાવા સામે લોકો નારાજ
જૂનાગઢ: પ્રી-મોન્સૂન કામગીરી વિવાદમાં, મનપાના દાવા સામે લોકો નારાજ
અમદાવાદ મેયર-સ્ટેન્ડિંગ ચેરમેનને લઈને 26 તારીખે થઈ શકે છે 'જાહેરાત'
અમદાવાદ મેયર-સ્ટેન્ડિંગ ચેરમેનને લઈને 26 તારીખે થઈ શકે છે 'જાહેરાત'
આણંદ: અમુલ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10 વધાર્યા
આણંદ: અમુલ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10 વધાર્યા
નવા નેતાઓને નીતિન પટેલની કડક શિખામણ, કામ કરીને પ્રજાનો વિશ્વાસ જીતો
નવા નેતાઓને નીતિન પટેલની કડક શિખામણ, કામ કરીને પ્રજાનો વિશ્વાસ જીતો
હવે 'ભાજપ' વિરુદ્ધ 'ભાજપ'! BJP ના બે જૂથ જાહેરમાં મારામારી
હવે 'ભાજપ' વિરુદ્ધ 'ભાજપ'! BJP ના બે જૂથ જાહેરમાં મારામારી
જામનગરના રણમલ લેકમાં પક્ષીઘરમાં પાણીના ફુવારા કાર્યરત કરાયા
જામનગરના રણમલ લેકમાં પક્ષીઘરમાં પાણીના ફુવારા કાર્યરત કરાયા
જુનાગઢમાં ઇંધણની કટોકટી: ડીઝલ અછત અને લાંબી કતારોથી વાહનચાલકોમાં રોષ
જુનાગઢમાં ઇંધણની કટોકટી: ડીઝલ અછત અને લાંબી કતારોથી વાહનચાલકોમાં રોષ
TMCના ઉમેદવાર જહાંગીરે ફલતા બેઠક પરથી ચૂંટણી લડવા કર્યો ઈન્કાર-Video
TMCના ઉમેદવાર જહાંગીરે ફલતા બેઠક પરથી ચૂંટણી લડવા કર્યો ઈન્કાર-Video
રાજકોટમાં ડીઝલ લેવા માટે ખેડૂતોની લાઈન, ઇંધણ ન મળતા ખેતીકામ પર અસર
રાજકોટમાં ડીઝલ લેવા માટે ખેડૂતોની લાઈન, ઇંધણ ન મળતા ખેતીકામ પર અસર
g clip-path="url(#clip0_868_265)">