AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: મહિધરપુરા પોલીસ 10 મિનિટમાં સ્ટેશન પર પહોંચી આપઘાત કરવા જતાં આંગડિયા કર્મચારીને બચાવ્યો, બાદમાં પરિવાર સાથે કરાવ્યું મિલન

સુરત પોલીસની સ્તકર્તાના કારણે વધુ એક વખત એક વ્યક્તિ આપઘાત કરે તે પહેલા જ મહિધરપુરા પોલીસની ટીમ રેલવે સ્ટેશન ખાતે પહોંચી અને તાત્કાલિક તેમને બચાવી લઈ પોલીસ સ્ટેશન લાવી અને પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.

Surat: મહિધરપુરા પોલીસ 10 મિનિટમાં સ્ટેશન પર પહોંચી આપઘાત કરવા જતાં આંગડિયા કર્મચારીને બચાવ્યો, બાદમાં પરિવાર સાથે કરાવ્યું મિલન
Surat Mahidharpura police
Baldev Suthar
| Edited By: | Updated on: Sep 26, 2022 | 6:51 PM
Share

Surat: સુરત પોલીસની સ્તકર્તાના કારણે વધુ એક વખત એક વ્યક્તિ આપઘાત કરે તે પહેલા જ મહિધરપુરા પોલીસની ટીમ રેલવે સ્ટેશન ખાતે પહોંચી અને તાત્કાલિક તેમને બચાવી લઈ પોલીસ સ્ટેશન લાવી અને પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.

સુરતના ડીંડોલી વિસ્તારમાં રહેતા અને મહેધરપુરા વિસ્તારમાં આવેલી એક આંગડિયા પેઢીની અંદર નોકરી કરતા શૈલેષભાઈ ચમનભાઈ પ્રજાપતિ આજે વહેલી સવારે રૂટિન સમય પ્રમાણે ઘરેથી નીકળી અને ઓફિસ જોવા માટે નીકળ્યા હતા તે દરમિયાન પોતે ઓફિસ પહોંચ્યા ન હતા અને કોઈ કારણસર આત્મહત્યા કરવા માટે રેલવે સ્ટેશન તરફ આગળ વધી રહ્યા હતા. તે દરમિયાન જ્યાં નોકરી કરતા હતા ત્યાંના કર્મચારીને ખબર પડી કે, શૈલેષભાઈ પ્રજાપતિ એક સુસાઇડ નોટ લખીને રેલવે સ્ટેશન ઉપર સુસાઇડ કરવા જઈ રહ્યા છે અને ત્યાં આ બાબતની જાણ તાત્કાલિક મહિધરપુરા પોલીસ સ્ટેશનને કરી હતી.

જાણ થતાની સાથે જ મહિધરપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ ચૌધરી દ્વારા તાત્કાલિક ડિસ્ટર્બના પીએસઆઇ સહિત માણસોને રેલવે સ્ટેશન પર મોકલી આપતા નજરપુરા પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના માણસો તાત્કાલિક શૈલેષભાઈને આટલી મોટી ભીડમાં શોધી લઈ અને સુસાઇડ કરે તે પહેલા પકડી પાડ્યા હતા. તેમને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા અને તેમને પોલીસ દ્વારા પાણી પીવડાવી ચા નાસ્તો કરાવી અને વાત સમજાવી હતી કે આ પગલું ન ભરી શકાય. ત્યારબાદ તેમના પરિવારને જાણ કર્યા બાદ પરિવાર પણ પોલીસ સ્ટેશન પહોંચ્યું હતું અને પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.

સુરત પોલીસ કમિશનર અજય તોમર જ્યારે સુરત શહેરની અંદર ચાર્જ સંભાળ્યો હતો ત્યારે તેમને સૌપ્રથમ કંટ્રોલરૂમની મુલાકાત લીધી હતી અને સહીની તમામની સાથે મીટીંગ કરી અને સુચના આપવામાં આવી હતી કે પીસીઆરને જે રીતે કોલ મળે તેની 7મી મિનિટની અંદર ઘટના સ્થળે પહોંચી જઈ અને તે ઘટના હોય કે કોઈ બનાવ હોય તેનો રિપોર્ટ તાત્કાલિક કરવા માટે સૂચન કર્યું હતું. આ પગલે સુરત શહેરમાં અનેક મોટી દુર્ઘટના અને સુસાઇડ કરતા લોકોને જીવ પોલીસ દ્વારા બચાવવામાં સફળતા મળી છે.

પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">