AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : લેણદારોની પઠાણી ઉઘરાણીથી ત્રાસીને વરાછાના જવેલર્સે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

લેણદારો દ્વારા પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હોવાથી તેની ચિંતામાં આવીને તેમણે આપઘાતનું પગલું ભર્યું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. નીતિનભાઈ ને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. બનાવ માટે વરાછા પોલીસ દ્વારા હાલ અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Surat : લેણદારોની પઠાણી ઉઘરાણીથી ત્રાસીને વરાછાના જવેલર્સે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું
Surat (File Image)
Parul Mahadik
| Edited By: | Updated on: Feb 03, 2022 | 7:11 AM
Share

સુરતમાં(Surat)માથે દેવું થઈ જતાં લેણદારો દ્વારા થતી પઠાણી ઉઘરાણી થી કંટાળીને વરાછાના જ્વેલર્સે(Jewellars)પોતાની દુકાનમાં ઝેરી દવા પી આત્મહત્યા(Suiside)કરી જીવન ટૂંકાવી લીધું હતું. જ્વેલર્સ એ ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. પરિવારજનોના જણાવ્યા પ્રમાણે તેના માથે દોઢથી બે કરોડનું દેવું હતું, જેની ઉઘરાણી કરવામાં આવતા જવલેર્સે આપઘાત કરી લીધો છે.તેમના આપઘાતની જાણ થતાં પરિવારજનોએ તેમને સારવાર માટે તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું મોડી રાત્રે મોત નીપજ્યું હતું.વરાછા વિસ્તારમાં ભગવતી કૃપા સોસાયટીમાં રહેતા 45 વર્ષીય નીતિનભાઈ મોહનભાઈ ઉડવિયા ક્રિષ્ના જ્વેલર્સ ના નામથી જ્વેલર્સની દુકાન ચલાવતા હતા.

સોમવારે સાંજે તેઓએ તેમની દુકાનના પહેલા માળે આવેલી દુકાનમાં જ્યારે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. નીતિનભાઈએ તેમની દુકાનમાં ઝેરી દવા પી લીધી હોવાની જાણ તેમના ભાઈને કરવામાં આવતા તેઓ ત્યાં દોડી ગયા હતા અને તેમને તાત્કાલિક સારવાર માટે પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ મોડી રાત્રે તેમનું મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતા વરાછા પોલીસ હોસ્પિટલ દોડી ગઈ હતી અને નિવેદનો લઈને તપાસ શરૂ કરી હતી.

જેમાં જાણવા મળ્યું હતું કે લોકડાઉન દરમિયાન નીતિનભાઈએ અલગ અલગ વ્યક્તિઓ પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા અને તેમના માથે દોઢથી બે કરોડ જેટલું દેવું પણ થઈ ગયું હતું.

લેણદારો દ્વારા પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હોવાથી તેની ચિંતામાં આવીને તેમણે આપઘાતનું પગલું ભર્યું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. નીતિનભાઈ ને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. બનાવ માટે વરાછા પોલીસ દ્વારા હાલ અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ  વાંચો : KUTCH : ખાનગી કંપનીના વાયરો ચોરી વેચવાના ફીરાકમાં હતા, પણ 9 શખ્સોને LCB એ ઝડપી લીધા !

આ પણ  વાંચો : ગુજરાતમાં આજે કોરોનાના કુલ 8,934 કેસ નોંધાયા, 34ના મોત

Follow Us
બાબા બાગેશ્વરને ચેલેન્જ કરનાર પુરુષોત્તમ પીપળીયાની રાજકોટમાં અટકાયત
બાબા બાગેશ્વરને ચેલેન્જ કરનાર પુરુષોત્તમ પીપળીયાની રાજકોટમાં અટકાયત
ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............
ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
g clip-path="url(#clip0_868_265)">