Surat : માંડવીમાં અનિયમિત એસટી સેવાથી ભારે હાલાકી, મુસાફરો અને વિદ્યાર્થીઓને ડેપો પર હલ્લાબોલ

|

Jul 27, 2022 | 9:40 AM

તાલુકા (District ) પંચાયતની સભાઓમાં પણ માંડવી ડેપોની બસોનાં રુટોની બાબતે ફરિયાદો ઉઠતા ડેપો મેનેજર પાસે જવાબો માંગવામાં આવ્યા હતા.

Surat : માંડવીમાં અનિયમિત એસટી સેવાથી ભારે હાલાકી, મુસાફરો અને વિદ્યાર્થીઓને ડેપો પર હલ્લાબોલ
Bus irregularity in Mandvi (File Image )

Follow us on

માંડવી (Mandvi ) ડેપો દ્વારા માંડવી-કિમ સુરત રુટ પ૨ની 7.45 વાગ્યે ઉપડતી બસ (Bus ) લાંબા સમયથી અનિયમીત થઇ ગઈ છે. જેના કારણે મુસાફરોને (Passengers ) હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. બસની આ નિયમિતતાને કારણે રોજીંદા મુસાફરી પાસ ઘારકોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો. અને તેમના દ્વારા  ડેપો પર હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. વહેલી સવારની બસ મોડી પડે છે જેના કારણે આ બસમાં સફર કરતા રોજીંદા મુસાફર, પાસધારકો નોકરી પર મોડા પડે છે.

જેના કારણે તેઓને અડઘી હાજરીને કારણે અડઘા પગારનુ નુકશાન પણ ઘણી વખત વેઠવાનો વારો આવતો હોય છે. મહિનાની એડવાન્સ રકમ ભરી માસિક પાસ લીઘો હોવા છતા ડેપોનાં વાંકે આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવતા આખરે પાસ ઘારકોનો ગુસ્સો ફાટી નીકળતા મુસાફરો અને પાસ ધારકો દ્વારા ડેપો પર હલ્લાબોલ કરાયો હતો.

છેલ્લા લાંબા સમયથી માંડવી ડેપોની વિવિઘ રુટોની બસો માટે અવાર નવાર ફરિયાદો ઉઠી રહે છે. ઉપરાંત લગભગ માંડવી તાલુકાના દરેક ગામ પંચાયતોના સરપંચો દ્વારા, સામાજીક સંસ્થાઓને પણ આ મામલે સ્થાનિકો દ્વારા આવેદનો અપાયા છે. ઘારાસભ્ય આનંદભાઇ ચૌઘરીએ થોડા જ મહિનાઓ પહેલા આ જ મુદ્દે આંદોલન પણ કરેલ હતું. તાલુકા પંચાયતની સભાઓમાં પણ માંડવી ડેપોની બસોનાં રુટોની બાબતે ફરિયાદો ઉઠતા ડેપો મેનેજર પાસે જવાબો માંગવામાં આવ્યા હતા.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

માંડવી-માંગરોળઉમરપાડા આમ ત્રણ તાલુકાઓ વચ્ચે શિક્ષણ, વેપાર ઘંઘા માટે રોજીંદી અવરજવર કરતા લોકો માટે તમામ રુટે પરથી દરેક સ્તરેથી અરજીઓ, ફરિયાદો, આવેદનો, તથા ટી.ડી.ઓ ઉપરાંત પ્રાંત અઘીકારીના સૂચનો હોવા છતા ડેપો સંચાલકો આ બાબતે ગંભીરતા બતાવવામાં આવી ન હોવાનુ મુસાફરોએ જણાવ્યું છે. ઉપરાંત ઘારાસભ્ય, સાંસદ તથા પૂર્વ કેબીનેટ મંત્રીઓનાં સૂચનો, ભલામણો છતા માંડવી એસ.ટી ડેપો સંચાલકો ગણકારતા ન હોવાનું લોક ચર્ચા ઉઠી છે.

મુસાફરોએ ડેપો ખાતે હલ્લાબોલ કરીને આ મામલાનું કાયમી નિરાકરણ લાવવા અપીલ કરી હતી. રોજિંદી ઉપડતી બસનો સમય નિયમિત કરવામાં આવે અને મુસાફરોને પડતી હાલાકી તાકીદે દૂર કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. જો તેમ ન થાય તો આગામી દિવસોમાં આ મામલે ઉગ્ર રજૂઆતો કરવામાં આવશે તેવી મુસાફરો જણાવી રહ્યા છે.

Input Credit Jignesh Mehta (Bardoli )

Next Article