Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: મંત્રીમંડળમાં કુમાર કાનાણીનું પત્તુ કપાય તેવી સંભાવના, હર્ષ સંઘવી અથવા અરવિંદ રાણા મંત્રીપદની રેસમાં

જો સુરતમાંથી પસંદગી કરવાની થાય તો સી.આર.પાટીલની નજીકના ગણાતા હર્ષ સંઘવી (Harsh Sanghvi) અથવા તો મૂળ સુરતી અને અભ્યાસુ અરવિંદ રાણા (Arvind Rana) પર પસંદગીનો કળશ ઢોળાય તેમ છે.

Surat: મંત્રીમંડળમાં કુમાર કાનાણીનું પત્તુ કપાય તેવી સંભાવના, હર્ષ સંઘવી અથવા અરવિંદ રાણા મંત્રીપદની રેસમાં
File Image
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Sep 14, 2021 | 6:54 PM

Surat: સિનિયર અને ચર્ચાસ્પદ નામોને બદલે ભુપેન્દ્ર પટેલની મુખ્યમંત્રી (CM Bhupendra Patel) પદ માટે પસંદગી કરનાર ભાજપ આ ટર્મમાં ગુજરાતના મંત્રીમંડળમાં પણ ધરમૂળથી ફેરફાર કરે તેવી શક્યતા જોવાઈ રહી છે.

આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને નબળી કામગીરીનો રેકોર્ડ ધરાવતા તેમજ વિવાદાસ્પદ બની રહેનાર મંત્રીઓની હકાલપટ્ટી નિશ્ચિત છે. તેવામાં સુરતમાંથી વરાછા વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનાણી(Kumar Kanani)નું પત્તું પણ કપાઈ જવાની પૂરેપૂરી સંભાવના દેખાઈ રહી છે.

Vitamin B12: શરીરમાં વિટામિન B12 નું લેવલ કેટલું હોવું જોઈએ?
પાણિયારે દીવો કેમ કરવામાં આવે છે? જાણો વાસ્તુ શાસ્ત્ર શું કહે છે
પ્રીતિ ઝિન્ટા જેટલી જ સુંદર છે તેની ભત્રીજી, 12 વર્ષ પહેલા કર્યું હતું ડેબ્યૂ
Health Tips : ઉનાળામાં ગુંદ ખાવાથી આટલા રોગ થશે છૂમંતર !
માત્ર 189માં મળી રહ્યો 28 દિવસનો પ્લાન ! Jioની ધમાકેદાર ઓફર
ત્વાચા પરથી ટેનિંગ દૂર કરવાના 5 અસરકારક ઘરેલુ ઉપાય

ત્યારે સુરતમાં પાટીદારોએ મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને સપોર્ટ કર્યો હોવાથી પાટીદારને ધારાસભ્ય અને મંત્રી પદ મળે તેવી શક્યતા ધૂંધળી દેખાઈ રહી છે. બીજી તરફ મૂળ સુરતી ધારાસભ્યોનો અન્યાય દૂર કરવા અને જ્ઞાતિના સમીકરણોને ધ્યાનમાં રાખીને અરવિંદ રાણાની પસંદગી થઈ શકે તેવી પણ ચર્ચાઓ ચાલી રહી છે.

ગણપત વસાવા જાતિવાદના સમીકરણને આધારે પોતાનું મંત્રીપદ જાળવી રાખવામાં સફળ થશે તેવું જણાઈ રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રી મંડળમાં આગામી વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને જ્ઞાતિવાદ, જાતિવાદ અને વિસ્તારવાદના સમીકરણોને ધ્યાનમાં લેવામાં આવશે તે નક્કી છે.

દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને સુરતની વાત કરવામાં આવે તો હાલમાં માત્ર કિશોર કાનાણી જ મંત્રીમંડળમાં છે. પરંતુ કિશોર કાનાણી રાજ્ય સરકારનો હિસ્સો હોવા છતાં વિરોધ પક્ષની ભૂમિકા ભજવી છે. તાજેતરમાં જ તેમણે ટ્રાફિક વિભાગના નાયબ પોલીસ કમિશનરને પત્ર લખીને રસ્તા ઉપર આંદોલન કરવાની ચીમકી પણ આપી હતી.

આરોગ્યમંત્રી હોવા છતાં કોરોનાકાળમાં પણ તેમની કામગીરી સાવ નબળી જોવા મળી હતી. વરાછા, કતારગામમાં સૌરાષ્ટ્રનું પ્રભુત્વ છતાં મંત્રી તરીકે કુમાર કાનાણી સરકારની કામગીરીનો પૂરતો પ્રચાર અને પ્રસાર નહીં કરી શકતા મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો દેખાવ અત્યંત પ્રભાવશાળી રહ્યો હતો.

એટલું જ નહીં કોરોનાકાળમાં આમ આદમી પાર્ટીના આગેવાનોએ કુમાર કાનાણીના ઘરનો ઘેરો ઘાલીને ઉગ્ર વિરોધ પણ કર્યો હતો. હવે કુમાર કાનાણીને મંત્રીમંડળમાંથી મુકાય તેવી પૂરેપૂરી સંભાવના દેખાઈ રહી છે. જો સુરતમાંથી પસંદગી કરવાની થાય તો સી.આર.પાટીલ નજીકના ગણાતા હર્ષ સંઘવી (Harsh Sanghvi )અથવા તો મૂળ સુરતી અને અભ્યાસુ અરવિંદ રાણા(Arvind Rana ) પર પસંદગીનો કળશ ઢોળાય તેમ છે.

પૂર્ણેશ મોદી સી.આર.પાટીલ વિરોધી જૂથના હોવાથી તેમનું પત્તું કપાઈ શકે છે તે સ્વાભાવિક બાબત છે. રાજ્યના અન્ય પાટીદારોને વધારે મહત્વ આપ્યું હોવાથી સુરતના પાટીદાર ધારાસભ્યોની નામોની વિચારણા થવાની સંભાવના ઓછી દેખાઈ રહી છે.

આ પણ વાંચો : Surat : ગણેશભક્તિની સાથે દેશભક્તિ : મંડપમાં છવાયો ઓલિમ્પિક વિજેતા ખેલાડીઓનો જાદુ

આ પણ વાંચો : Surat : ઉકાઇમાંથી છોડવામાં આવેલા પાણીના કારણે તાપી બંને કાંઠે, સર્જાયો આહલાદક નજારો

અંકલેશ્વરના પાનોલીની કેમિકલ કંપનીમાં લાગેલી આગ અન્ય કંપનીમાં પણ ફેલાઈ
અંકલેશ્વરના પાનોલીની કેમિકલ કંપનીમાં લાગેલી આગ અન્ય કંપનીમાં પણ ફેલાઈ
પોરબંદર નજીક મધદરિયે 1800 કરોડની કિંમતનુ 300 કિલો ડ્રગ્સ ઝડપાયુ
પોરબંદર નજીક મધદરિયે 1800 કરોડની કિંમતનુ 300 કિલો ડ્રગ્સ ઝડપાયુ
રાજ્યના શિક્ષણ પર ગરમાઈ રાજનીતિ, અખીલેશની પોસ્ટ પર વિફર્યા પાનસેરિયા
રાજ્યના શિક્ષણ પર ગરમાઈ રાજનીતિ, અખીલેશની પોસ્ટ પર વિફર્યા પાનસેરિયા
ગુજરાતીઓ કાળઝાળ ગરમી માટે થઈ જજો તૈયાર, ફરી ગરમીનો પારો ઊંચકાશે
ગુજરાતીઓ કાળઝાળ ગરમી માટે થઈ જજો તૈયાર, ફરી ગરમીનો પારો ઊંચકાશે
રાહુલ ગાંધીના 2 દિવસનો કાર્યક્રમ નક્કી, મોડાસામાં કરશે બેઠક
રાહુલ ગાંધીના 2 દિવસનો કાર્યક્રમ નક્કી, મોડાસામાં કરશે બેઠક
નિકોલમાં રસ્તા પર પાણી ભરાવાની સમસ્યાથી ત્રાહિમામ સ્થાનિકો
નિકોલમાં રસ્તા પર પાણી ભરાવાની સમસ્યાથી ત્રાહિમામ સ્થાનિકો
કૃષ્ણનગરીમાં વર્ષો જૂનું હનુમાનજીનું મંદિર ફરી ખુલ્યું
કૃષ્ણનગરીમાં વર્ષો જૂનું હનુમાનજીનું મંદિર ફરી ખુલ્યું
ગુજરાત PSI ભરતી માટે લેખિત પરીક્ષાનું આયોજન
ગુજરાત PSI ભરતી માટે લેખિત પરીક્ષાનું આયોજન
આ રાશિના જાતકોની આજે પ્રતિષ્ઠામાં વધારો થશે, જાણો આજનું રાશિફળ
આ રાશિના જાતકોની આજે પ્રતિષ્ઠામાં વધારો થશે, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં વાવાઝોડાનું સંકટ ! ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં વાવાઝોડાનું સંકટ ! ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">