AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : અકસ્માતમાં પરિવારની છત્રછાયા ગુમાવનાર ત્રણ દીકરીઓ માટે ગુજરાત બન્યો એક પરિવાર, સોશિયલ મીડિયાના અભિયાનથી 22 લાખ અને સીએમ ફંડમાંથી 24 લાખની સહાય

માત્ર રાજકીય નહીં પણ સામાજિક આ દુઃખદ ઘટનામાં સંવેદનશીલતા પ્રગટી હતી . જેની ચારે તરફથી પ્રાર્થના લોકોએ કરી છે . ત્રણેય દિકરીના ભવિષ્યની ચિંતા કરી સંવેદનતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પુરું પાડ્યું છે . 22 લાખ રૂપિયા પ્રફુલભાઈ અને તેમની ટીમ દ્વારા એકઠા કરવામાં આવેલ છે .

Surat : અકસ્માતમાં પરિવારની છત્રછાયા ગુમાવનાર ત્રણ દીકરીઓ માટે ગુજરાત બન્યો એક પરિવાર, સોશિયલ મીડિયાના અભિયાનથી 22 લાખ અને સીએમ ફંડમાંથી 24 લાખની સહાય
અનાથ દિકરીઓને ગુજરાતજનોની સહાય
Parul Mahadik
| Edited By: | Updated on: Dec 11, 2021 | 5:46 PM
Share

Surat : ગત તારીખ 23 નવેમ્બરના રોજ રાજકોટ ગોંડલ પાસે ગોજારા અકસ્માતમાં વરાછાથી ગોંડલ સામાજિક પ્રસંગે જતા એક જ પરિવારના 7 વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો . જેમાં ગઢીયા પરિવારના ચાર વ્યક્તિ અને બાંભરોલિયા પરિવારના બે વ્યક્તિનું સ્થળ પર જ મોત થયું હતું . જેમાં 6 વર્ષની કુ.જેની નો આબાદ બચાવ થયો હતો. બે દિકરીઓ બંસરી અને દષ્ટિ ઘરે હતી.

જેથી આખા પરિવારમાં માત્ર ત્રણ જ દિકરીઓ બચી હતી. જેની , બંસરી અને દૃષ્ટિ ઉપર દુઃખનું આભ ફાટ્યું હતું. પરિવારની 6 વ્યક્તિઓના અગ્નિસંસ્કાર આ દિકરીઓએ જ કર્યા હતા .

આ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય પ્રફુલ પાનશેરીયાએ આ દિકરીઓ માટેની જવાબદારી લઈ ચિંતા વ્યક્ત કરી હતી . પ્રફુલ પાનશેરીયાએ કુ.બંસરીના ઘરે રાત્રે આજુ – બાજુની સોસાયટીઓના અગ્રણીઓને બોલાવી આ દિકરીઓના અભ્યાસ અને આગળ તેમના પ્રસંગ માટે આર્થિક વ્યવસ્થા માટેની આગેવાની લીધી હતી . પ્રફુલ પાનશેરીયાએ આ વિસ્તારમાં ભાજપના કાર્યકર્તા હિતેશ લાઠિયા , સામાજિક અગ્રણી મનસુખ કાસોદરીયા અને મહેશ ભુવા ની યુવા ટીમ દ્વારા સોશીયલ મીડિયાના માધ્યમ થકી લોકોને અપીલ કરતા આજે આ દિકરીઓના બેંક ખાતામાં 22 લાખ રૂપયા જમા કરાવ્યા છે . અને શિક્ષણની જવાબદારી મહેશભાઈ રામાણીને સોંપવામાં આવી છે .

પરંતુ એક્સિડન્ટ થતા રાજકોટ વિસ્તારના પાટીદાર સમાજના અગ્રણી અને ભાજપના ઉપાધ્યક્ષ ભરતભાઈ બોઘરા દ્વારા સી.એમ. ફંડમાંથી 4-4 લાખ રૂપિયા માટે મૃતક દિઠ જાહેર કરવા માટે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલને જાણ કરતા તેઓએ તુરંત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને ટેલિફોનીક જાણ કરતા સી.એમ. મિટીંગમાં હોવા છતાં તેઓએ શરૂ મિટીંગમાં બહાર આવી મૃતકોના પરિવારની બચેલી ત્રણેય દિકરીઓ માટે 24 લાખની સહાયની જાહેરાત કરેલ આજે આ ત્રણેય દિકરીઓ માટે સી.આર.પાટીલે ત્રણેય દિકરીઓને 25,000 + 25,000 + 25,000 = એમ કુલ 75,000 ની રોકડ સહાય કરેલ છે અને તેમને કંઈપણ કામ માટે મદદ કરવાની તત્પર્તા દર્શાવી હતી .

માત્ર રાજકીય નહીં પણ સામાજિક આ દુઃખદ ઘટનામાં સંવેદનશીલતા પ્રગટી હતી . જેની ચારે તરફથી પ્રાર્થના લોકોએ કરી છે . ત્રણેય દિકરીના ભવિષ્યની ચિંતા કરી સંવેદનતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પુરું પાડ્યું છે . 22 લાખ રૂપિયા પ્રફુલભાઈ અને તેમની ટીમ દ્વારા એકઠા કરવામાં આવેલ છે . 24 લાખ રૂપિયા સી.એમ. ફંડમાંથી સી.આર. પાટીલની ભલામણથી એકઠા કરવામાં આવેલ છે.

આ પણ વાંચો : Surat : તમિલનાડુના વેપારીએ સુરતના 11 વેપારીઓને 16.24 લાખનો ચૂનો ચોપડ્યો

Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
g clip-path="url(#clip0_868_265)">