AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : ખાડી પૂરથી બચવા 180 કરોડના ખર્ચે ચાર ઝોનની ખાડીઓને ડ્રેજીંગ કરી પેક કરી દેવાશે

આ કામ બે મહિનામાં પૂર્ણ થવાનો દાવો કરાયો છે. મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે વરાછા, લિંબાયત, ઉધના અને અઠવા ઝોનની ખાડીઓમાં ડ્રેજિંગ માટે 25 કરોડનો ખર્ચ કરવામાં આવશે. જેનાથી પૂર જેવી પરિસ્થિતિમાંથી છુટકારો મળશે

Surat : ખાડી પૂરથી બચવા 180 કરોડના ખર્ચે ચાર ઝોનની ખાડીઓને ડ્રેજીંગ કરી પેક કરી દેવાશે
Four zonal creeks to be dredged and packed at a cost of Rs 180 crore to avoid flooding(File Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 31, 2022 | 3:05 PM
Share

એક વાયકા પ્રમાણે સુરત દર ચાર વર્ષે તાપી પુરનો(Flood ) સામનો કરે છે. પણ છેલ્લા કેટલાક વર્ષોથી શહેરના માથે ખાડી પૂરનું પણ સંકટ તોળાઈ રહ્યું છે. જયારે પણ ધોધમાર વરસાદ (Rain ) વરસે ત્યારે ખાડીઓમાં પૂરની સ્થિતિ જોવા મળી છે. ખાસ કરીને તેનાથી શહેરના સાત ઝોન પૈકી ચાર ઝોન સૌથી વધારે પ્રભાવિત થાય છે. જેના કારણે ચોમાસાની સીઝન દરમ્યાન વહીવટીતંત્રને ખાડી કાંઠે વસતા લોકો માટે પણ ખાસ ધ્યાન રાખવાની જરૂર પડે છે.

સુરતના વરાછા, લિંબાયત અને ઉધના અને અઠવા ઝોનની ખાડીઓ લોકો માટે જોખમી બની છે. વરસાદની મોસમમાં ખાડીઓમાં 4 થી 5 વખત ખાડી પૂર આવે છે. 2021ના વરસાદમાં 4 વખત પૂરની સ્થિતિ જોવા મળી હતી. તે જોતા મહાનગરપાલિકા દ્વારા ખાડીઓના ડ્રેજીંગ અને બોક્સ પેકિંગની કામગીરી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

રૂ. 25 કરોડથી ડ્રેજીંગ અને રૂ. 155 કરોડ સાથે બોક્સ પેકનો દાવો: કોયલી ખાડીના રિમોડેલિંગ અને રિસ્ટ્રક્ચરિંગ માટે રૂ. 85 કરોડ અને મીઠી ખાડી અને લિંબાયત ઝોન પર પર્વત ગામ બ્રિજ માટે બે મહિનામાં રૂ. 117.16 કરોડના કામો પૂર્ણ કરવામાં આવશે. 32 કરોડ 13 લાખ 117.16 કરોડમાંથી કાર્યાલય નજીક પાળા બાંધવા- આરસીસી સ્ટ્રક્ચર પ્રકારના અભિગમ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે.

આ કામ બે મહિનામાં પૂર્ણ થવાનો દાવો કરાયો છે. મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે વરાછા, લિંબાયત, ઉધના અને અઠવા ઝોનની ખાડીઓમાં ડ્રેજિંગ માટે 25 કરોડનો ખર્ચ કરવામાં આવશે. જેનાથી પૂર જેવી પરિસ્થિતિમાંથી છુટકારો મળશે. 5 કરવામાં આવશે. આનાથી દુર્ગંધ અને મચ્છરોથી છુટકારો મળશે તેમજ ખાડીમાં ડ્રેજીંગ કરીને પેકિંગ બોક્સની જૂની માંગણી સ્વીકારવામાં આવશે.

વરસાદમાં લોકોને અવર-જવર કરવાની જરૂર નહીં પડે વર્ષ 2021માં 116 કરોડના ખર્ચે ખાડીના 7 કામો પૂર્ણ કરવામાં આવ્યા છે. મમતા પાર્ક સોસાયટીથી કરંજ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી અને સાકેતધામ સોસાયટીથી મમતા પાર્ક બ્રિજ સુધી, મમતા પાર્ક સોસાયટીથી લક્ષ્મણનગરથી કોયલી ખાડી સુધીના બોક્સ પેકિંગની કામગીરી મંજૂર કરવામાં આવી છે. આ ઉપરાંત વોર્ડ નંબર 16ની ખાડીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : ગુજરાત યુનિવર્સિટીનો 70મો પદવીદાન સમારોહ સંપન્ન, રાજ્યપાલ-મુખ્યમંત્રી-શિક્ષણમંત્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં 49 હજાર છાત્રોને પદવી એનાયત

આ પણ વાંચો : રાજકોટમાં કોમી એકતા જળવાઇ રહે તે માટે પોલીસે સર્વ ધર્મના આગેવાનોની બેઠક બોલાવી

સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
g clip-path="url(#clip0_868_265)">