Surat : સુરતના પહેલા ઓડિટોરિયમ ગાંધી સ્મૃતિ ભવનનું 31 કરોડના ખર્ચે કરવામાં આવશે રીનોવેશન

ગાંધી સ્મૃતિ ભવન સુરતનું પહેલું ઓડિટોરિયમ છે. અહીં વર્ષોથી ઘણી નાટ્ય સંસ્થાઓ દ્વારા નાટકો ભજવવામાં આવે છે. નાટ્યપ્રેમીઓ અને કલાકારો માટે ગાંધી સ્મૃતિ ભવન ખુબ મનપસંદ માનવામાં આવે છે. સુરત શહેરની વસ્તીમાં વધારો થવાની સાથે સાથે નાટ્ય રસિકોની સંખ્યામાં પણ વધારો થતો ગયો હતો.

Surat : સુરતના પહેલા ઓડિટોરિયમ ગાંધી સ્મૃતિ ભવનનું 31 કરોડના ખર્ચે કરવામાં આવશે રીનોવેશન
Gandhi Smriti Bhavan to be renovated at a cost of Rs 31 crore(File Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 31, 2022 | 3:18 PM

સુરતના નાનપુરા વિસ્તારમાં આવેલા ગાંધી સ્મૃતિ ભવનનુ(Gandhi Smruti Bhavan ) નવ નિર્માણ કરવાનું આયોજન સુરત મહાનગરપાલિકા(SMC) દ્વારા કરવામાં આવ્યું છે. અને અંદાજે 31 કરોડના ખર્ચે ગાંધી સ્મૃતિ ભવનનું રીનોવેશન કરવામાં આવવાનું છે. સુરતની મધ્યમાં આવેલા આ ખંડમાં બેઠકની વ્યવસ્થા પણ વધારવામાં આવનાર છે. સાથે જ અન્ય સુવિધાઓ પણ અહીં ઉભી કરવામાં આવશે.

સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રાથમિક સુવિધાની સાથે સાથે શહેરીજનોને અન્ય સુવિધા પણ પુરી પાડવામાં આવે છે. શહેરીજનોને મનોરંજન પૂરું પાડવા માટે મહાનગરપાલિકા દ્વારા શહેરભરમાં આનંદ પ્રમોદના સાધનો પણ વિકસાવવામાં આવ્યા છે. વર્ષો પહેલા સુરત મનપાના સેન્ટ્રલ ઝોનમાં નાનપુરા વિસ્તારમાં આવેલા ગાંધી સ્મૃતિ ભવન તૈયાર કરવામાં આવ્યું હતું.

ગાંધી સ્મૃતિ ભવન સુરતનું પહેલું ઓડિટોરિયમ છે. અહીં વર્ષોથી ઘણી નાટ્ય સંસ્થાઓ દ્વારા નાટકો ભજવવામાં આવે છે. નાટ્યપ્રેમીઓ અને કલાકારો માટે ગાંધી સ્મૃતિ ભવન ખુબ મનપસંદ માનવામાં આવે છે. સુરત શહેરની વસ્તીમાં વધારો થવાની સાથે સાથે નાટ્ય રસિકોની સંખ્યામાં પણ વધારો થતો ગયો હતો.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

અને ગાંધી સ્મૃતિ ભવનની બેઠકની ક્ષમતા પણ સમયની સાથે ઓછી પડવા લાગી હતી. તેમજ સમય જતા આ ભવન પણ અત્યંત જર્જરિત થઇ ગયું હતું. જેથી ગાંધી સ્મૃતિ ભવનનું રીનોવેશન જરૂરી બની ગયું છે. સુરત મહાનગરપાલિકા દ્વારા હવે તેના નવનિર્માણનું આયોજન કરવામાં આવ્યું છે.

અને હવે અંદાજે 31 કરોડના ખર્ચે ગાંધી સ્મૃતિ ભવનનું નવીનીકરણ કરવામાં આવનાર છે. નવા ગાંધી સ્મૃતિ ભવનમાં બેઠકની વ્યવસ્થા વધારવાની સાથે ફૂડ કોર્ટની સુવિધા ઉભી કરવામાં આવનાર છે. સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં વનોની પાર્કિંગની સમસ્યા હોય ગાંધી સ્મૃતિ ભવનને અડીને મનપા દ્વારા મલ્ટીલેવલ પાર્કિંગ પણ તૈયાર કરવામાં આવ્યું છે.

ગાંધી સ્મૃતિ ભવનના રિનોવેશનમાં મલ્ટીલેવલ પાર્કિંગને પણ આવરી લેવામાં આવનાર છે. સુરત મનપાના તમામ ઝોનમાં અદ્યતન કક્ષાનું ઓડિટોરિયમ પણ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. રાંદેર ઝોનના પાલ વિસ્તારમાં સંજીવકુમાર ઓડિટોરિયમ બનાવ્યા બાદ સેન્ટ્રલ ઝોન સહિતના વિસ્તારોમાં પણ સંજીવ કુમાર ઓડિટોરિયમ જેવા જ ઓડિટોરિયમ બનાવવા માંગણી ઉઠવા પામી છે.   ત્યારે હવે મનપા દ્વારા તે દિશામાં પણ કામ આગળ વધારવામાં આવનાર છે.

આ પણ વાંચો : સુરતના પોશ ગણાતા વેસુ વિસ્તારમાં વિધર્મીઓ દ્વારા મિલકત ખરિદવાની હિલચાલને પગલે સ્થાનિકો દ્વારા વિરોધ

આ પણ વાંચો : કિશન ભરવાડ હત્યા કેસમાં સુરતમાં પણ વિરોધ, રેલી કાઢી પ્રાર્થના કરવામાં આવી, હત્યારા સામે સખત કાર્યવાહીની માગ

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">