AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: પહેલાં કોરોના અને હવે મેટ્રો રેલની કામગીરીથી સુરત ભાગળ વિસ્તારના વેપારીઓ સામે આર્થિક સંકટ

શહેરના વિકાસ અને શહેરીજનોને માસ ટ્રાન્સપોર્ટેશનના વિકલ્પ માટે આ મેટ્રો પ્રોજેકટ જરૂરી છે, પરંતુ આ કામગીરીથી સુરતના ભાગળ વિસ્તારના વેપારીઓને આર્થિક સંકટનો સામનો કરવો પડી રહ્યો છે.

Surat: પહેલાં કોરોના અને હવે મેટ્રો રેલની કામગીરીથી સુરત ભાગળ વિસ્તારના વેપારીઓ સામે આર્થિક સંકટ
Surat
Parul Mahadik
| Edited By: | Updated on: Jun 09, 2021 | 6:07 PM
Share

સુરતમાં હાલ મેટ્રો રેલની (Metro Rail) કામગીરી ચાલી રહી છે. શહેરના વિકાસ અને શહેરીજનોને માસ ટ્રાન્સપોર્ટેશનના વિકલ્પ માટે આ મેટ્રો પ્રોજેકટ જરૂરી છે, એ વાતમાં પણ શંકા નથી. પરંતુ આ કામગીરીથી સુરતના ભાગળ વિસ્તારના વેપારીઓને આર્થિક સંકટનો સામનો કરવો પડી રહ્યો છે.

આજે સુરત મનપા કચેરી બહાર ટાવર રોડ વેપારી એસોસિયેશનના વેપારીઓ દ્વારા બેનરો સાથે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, મેટ્રો રેલની કામગીરી સામે તેમને કોઈ વિરોધ નથી. પરંતુ તેના કારણે તેમને આર્થિક સંકટ ઉભું થયું છે. કોરોનાના કારણે પહેલાંથી જ વેપારીઓના ધંધા રોજગાર પર મોટી અસર પડી હતી. રોજીરોટી ગુમાવવાનો વારો આવ્યો હતો.

મેટ્રોની કામગીરી દુકાન આગળ જ ચાલતી હોવાથી તેઓ પોતાના વાહન લઈને આવી શકતા નથી કે કોઈ ગ્રાહક આવવા તૈયાર થાય છે. ટ્રાફિકજામની પરિસ્થિતિ રહેતા વેપાર ધંધો ખાલી દુકાન ખોલવા પૂરતો જ રહ્યો છે. ત્યારે આજે વેપારીઓએ પાલિકા કચેરી પર રજુઆત કરી હતી. વેપારી એસોસિએશનના આગેવાન પ્રગનેશભાઈએ જણાવ્યું હતું કે, તેઓને મેટ્રો કામગીરી સામે વિરોધ નથી. પરંતુ કોરોનાની મારથી વેપારીઓ માંડ બેઠા થયા છે. ત્યાં મેટ્રોને કારણે ધંધો ઠપ્પ થઈ ગયો છે.

અન્ય એક વેપારીએ ઉમેર્યું હતું કે, આવા 250 જેટલા વેપારીઓ છે જેમને મેટ્રોને કારણે નુકશાન ભોગવવું પડી રહ્યું છે. તેઓ મેટ્રો રેલ સામે વિરોધ નથી દર્શાવતા પરંતુ તંત્રએ થોડો સમય આપવો જોઈએ જેથી તેઓ આર્થિક રીતે બેઠા થઈ શકે.

કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">