AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: કર્તવ્યનિષ્ઠ પીઆઇની બદલી થતા સ્થાનિકોએ કંઇક આ રીતે વરસાવ્યો પ્રેમ, જુઓ વીડિયો

પોલીસ પ્રજાની મિત્ર બને તો તેની એક આગવી જ અસર જોવા મળતી હોય છે સતત લોકોની ફરિયાદના નિવારણ માટે તત્પર રહેતા આ પોલીસ અધિકારીની વિદાય સમયે સુરતવાસીઓએ તેમને પ્રેમથી વિદાય આપી હતી અને નવા સ્થળની  બદલીઓ માટે શુભેચ્છા પાઠવી હતી. 

Surat: કર્તવ્યનિષ્ઠ પીઆઇની બદલી થતા સ્થાનિકોએ કંઇક આ રીતે વરસાવ્યો પ્રેમ, જુઓ વીડિયો
સલાબતપુરાના પી.આઇની બદલી થતા સ્થાનિકોએ આપી ભાવભીની વિદાય
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 18, 2022 | 9:07 AM
Share

પોલીસની  (Police) છાપ કડક અધિકારીની હોય છે, પરંતુ અમુક પોલીસ અધિકારી લોકોની સેવા કરીને લોકોનો પ્રેમ મેળવવામાં સફળ રહે છે, સુરતના  (Surat) સલાબતપુરા પીઆઇ એ.એ.ચૌધરીની છાપ પણ કંઈક આવી જ છે. પી.આઈ. ચૌધરીની બદલી થતા સુરતના સ્થાનિક લોકોએ  તેમને અશ્રુભીની આંખે વિદાય આપી હતી. લોકોએ ફુલહારથી સત્કારી વિદાય આપી હતી અને ફરી સુરતમાં બદલી થઈ વહેલા આવે તેવી લોકોએ ચાહના વ્યક્ત કરી હતી.

પોલીસ પ્રજાની મિત્ર બને તો તેની એક આગવી જ અસર જોવા મળતી હોય છે સતત લોકોની ફરિયાદના નિવારણ માટે તત્પર રહેતા આ પોલીસ અધિકારીની વિદાય સમયે સુરતવાસીઓએ તેમને પ્રેમથી વિદાય આપી હતી અને નવા સ્થળની  બદલીઓ માટે શુભેચ્છા પાઠવી હતી. પીઆઇ ચૌધરીની  વિદાય સમયે  સલાબત પુરાના સ્થાનિક લોકોએ  જણાવ્યું હતું કે આવા પોલીસ અધિકારી પાછા બદલી  થઇને સુરતમાં આવશે તો અમને ખૂબ જ આનંદ થશે.

ગુજરાતમાં ચૂંટણી અગાઉ 23 આઇપીએસ અને 82  ડીવાયએસપીની બદલી

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022)  પૂર્વે ગૃહ વિભાગે 23 આઇપીએસ(IPS) અને 82 ડીવાયએસપીના (DYSP)   બદલીના (Transfer)  આદેશ કર્યા છે. જેમાં શનિવારની રાત્રે કુલ 82 DySPની બદલી કરાઇ છે. જ્યારે રાજ્યના 23 આઇપીએસ અધિકારીના બદલીના પણ આદેશ કરવામાં આવ્યા છે. જેમાં આજે આઇપીએસ ADGP આર.બી.બ્રહ્મભટ્ટની CID ક્રાઈમમાં બદલી, M.D જાનીને સાબરકાંઠામાં મુકાયા છે, શફિન હસન અમદાવાદ DCP ટ્રાફિકમાં બદલી કરાઈ છે.સાગર બાગમારી સુરત ઝોન-4માં બદલી અને એસ.વી. પરમાર રાજકોટ સીટી ઝોન-1માં બદલી કરાઇ છે.  ઉષા રાડા ડે.પોલિસ કમિશનર ઝોન-3 સુરતમાં બદલી કરાઇ છે. અજીત રાજીયાનની સાઈબર ક્રાઈમ અમદાવાદ ખાતે બદલી કરાઇ છે.

જ્યારે આઇપીએસ પ્રવીણ કુમારને રાજકોટથી આણંદ ખાતે એસપી તરીકે નિમણૂક આપવામાં આવી છે. બી આર પટેલને સુરત ડીસીપી થી સુરતમાં જ ઝોન 6માં મૂકવામાં આવ્યા છે. ભાવનગરના એએસપી સફિન હસનને ડીસીપી ટ્રાફિક તરીકે અમદાવાદ મુકવામાં આવ્યા છે. વિજયસિંહ ગુર્જર ને બઢતી સાથે કમાન્ડંડ તરીકે એસઆરપી ગ્રુપ 14 વલસાડ ખાતે મુકવામાં આવ્યા છે.

સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
g clip-path="url(#clip0_868_265)">