AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: ગણપતિ આગમનમાં ભક્તો ભૂલ્યા કોરોનાને, આગમન યાત્રામાં ઉમટી ભારે ભીડ

સુરતમાં મોડી રાત્રે પણ અલગ-અલગ વિસ્તારમાં ગણપતિની આગમન યાત્રા જોવા મળી હતી. ડીજેના તાલ અને ફટાકડા સાથે ગણેશભક્તોએ બાપાને આવકાર્યા હતા.

Surat: ગણપતિ આગમનમાં ભક્તો ભૂલ્યા કોરોનાને, આગમન યાત્રામાં ઉમટી ભારે ભીડ
Parul Mahadik
| Edited By: | Updated on: Sep 09, 2021 | 11:32 PM
Share

ગયા વર્ષે કોરોનાના(Corona) કારણે ગણપતિ ઉત્સવ (Ganesh Festival) ઉજવાઈ શક્યો ન હતો. પરંતુ આ વર્ષે જ્યારે સરકારે મોડે મોડે પણ ગાઈડલાઈન નક્કી કરીને અને ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને ગણેશ ઉત્સવ ઉજવવા પરવાનગી આપી છે. ત્યારે ગણપતિ મંડળોનો ઉત્સાહ સાતમા આસમાને જોવા મળ્યો હતો. શુક્રવારે ગણેશ ચતુર્થી છે, ત્યારે આજે સવારથી જ સુરતના અલગ-અલગ વિસ્તારમાં ગણપતિ આગમનને લઈને ભક્તો દ્વારા આગમન યાત્રા કાઢવામાં આવી હતી.

જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. જોકે આ આગમન યાત્રામાં કોરોનાની ગાઈડલાઈનનો ભંગ થયો હોય તેવું ચોક્કસથી દેખાયું હતું. સુરતમાં મોડી રાત્રે પણ અલગ-અલગ વિસ્તારમાં ગણપતિની આગમન યાત્રા જોવા મળી હતી. ડીજેના તાલ અને ફટાકડા સાથે ગણેશભક્તોએ બાપાને આવકાર્યા હતા.

જોકે સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ એક પણ નિયમનું પાલન આ ગણપતિની આગમન યાત્રામાં જોવા મળ્યું ન હતું. અડાજણ વિસ્તારમાં નીકળેલી યાત્રામાં પણ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. જેમાં અસંખ્ય લોકો માસ્ક વગર જોવા મળ્યા હતા. જયારે સોશિયલ ડિસ્ટનસીંગનો પણ ભંગ જોવા મળ્યો હતો. બાપ્પાને જોવા આવેલા ભક્તો પણ માસ્ક વગર જોવા મળ્યા હતા.

નોંધનીય છે કે ગયા વર્ષે કોરોનાના કારણે ગણપતિ ઉત્સવ ઉજવી ન શકેલા ગણેશ ભક્તો આ વખતે ગણપતિ ઉત્સવની લઈને ખુબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે. કોરોનાના કેસો ઓછા થતાં આ ઉત્સાહ બમણો પણ દેખાઈ રહ્યો છે. જ્યાં સુધી કોરોના સંક્રમણની વાત છે, ત્યાં હવે ભક્તોમાં કોરોનાનો ડર ઓછો એટલા માટે પણ જોવા મળી રહ્યો છે. કારણ કે મોટાભાગના લોકોએ વેક્સીનનો પહેલો ડોઝ લઈ લીધો છે.

સુરતમાં 84 ટકા લોકોએ વેક્સિનેશનનો લાભ લીધો છે. તેવામાં કોરોનાનો ડર પણ લોકોમાં ઓછો જોવા મળ્યો છે અને આજ કારણ છે કે સાર્વજનિક ગણેશોત્સવમાં લોકોની ભારે ભીડ પણ જોવા મળી રહી છે. નોંધનીય છે કે સરકાર દ્વારા ગણપતિ ઉત્સવને ધ્યાનમાં રાખીને બહાર પાડવામાં આવેલી ગાઈડલાઈનમાં આગમન યાત્રા અને વિસર્જન યાત્રામાં માત્ર 15 વ્યક્તિઓને જ પરવાનગી આપવામાં આવી હતી. જોકે તેનું પાલન થયું હોય તેવું દેખાયું ન હતું. ગણપતિ આગમનને લઈને બજારોમાં અને રસ્તા પર પણ લોકોની ભારે ભીડ જોવા મળી હતી.

પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
g clip-path="url(#clip0_868_265)">