Surat: ગણપતિ આગમનમાં ભક્તો ભૂલ્યા કોરોનાને, આગમન યાત્રામાં ઉમટી ભારે ભીડ

સુરતમાં મોડી રાત્રે પણ અલગ-અલગ વિસ્તારમાં ગણપતિની આગમન યાત્રા જોવા મળી હતી. ડીજેના તાલ અને ફટાકડા સાથે ગણેશભક્તોએ બાપાને આવકાર્યા હતા.

Surat: ગણપતિ આગમનમાં ભક્તો ભૂલ્યા કોરોનાને, આગમન યાત્રામાં ઉમટી ભારે ભીડ
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Sep 09, 2021 | 11:32 PM

ગયા વર્ષે કોરોનાના(Corona) કારણે ગણપતિ ઉત્સવ (Ganesh Festival) ઉજવાઈ શક્યો ન હતો. પરંતુ આ વર્ષે જ્યારે સરકારે મોડે મોડે પણ ગાઈડલાઈન નક્કી કરીને અને ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને ગણેશ ઉત્સવ ઉજવવા પરવાનગી આપી છે. ત્યારે ગણપતિ મંડળોનો ઉત્સાહ સાતમા આસમાને જોવા મળ્યો હતો. શુક્રવારે ગણેશ ચતુર્થી છે, ત્યારે આજે સવારથી જ સુરતના અલગ-અલગ વિસ્તારમાં ગણપતિ આગમનને લઈને ભક્તો દ્વારા આગમન યાત્રા કાઢવામાં આવી હતી.

જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. જોકે આ આગમન યાત્રામાં કોરોનાની ગાઈડલાઈનનો ભંગ થયો હોય તેવું ચોક્કસથી દેખાયું હતું. સુરતમાં મોડી રાત્રે પણ અલગ-અલગ વિસ્તારમાં ગણપતિની આગમન યાત્રા જોવા મળી હતી. ડીજેના તાલ અને ફટાકડા સાથે ગણેશભક્તોએ બાપાને આવકાર્યા હતા.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

જોકે સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ એક પણ નિયમનું પાલન આ ગણપતિની આગમન યાત્રામાં જોવા મળ્યું ન હતું. અડાજણ વિસ્તારમાં નીકળેલી યાત્રામાં પણ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. જેમાં અસંખ્ય લોકો માસ્ક વગર જોવા મળ્યા હતા. જયારે સોશિયલ ડિસ્ટનસીંગનો પણ ભંગ જોવા મળ્યો હતો. બાપ્પાને જોવા આવેલા ભક્તો પણ માસ્ક વગર જોવા મળ્યા હતા.

નોંધનીય છે કે ગયા વર્ષે કોરોનાના કારણે ગણપતિ ઉત્સવ ઉજવી ન શકેલા ગણેશ ભક્તો આ વખતે ગણપતિ ઉત્સવની લઈને ખુબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે. કોરોનાના કેસો ઓછા થતાં આ ઉત્સાહ બમણો પણ દેખાઈ રહ્યો છે. જ્યાં સુધી કોરોના સંક્રમણની વાત છે, ત્યાં હવે ભક્તોમાં કોરોનાનો ડર ઓછો એટલા માટે પણ જોવા મળી રહ્યો છે. કારણ કે મોટાભાગના લોકોએ વેક્સીનનો પહેલો ડોઝ લઈ લીધો છે.

સુરતમાં 84 ટકા લોકોએ વેક્સિનેશનનો લાભ લીધો છે. તેવામાં કોરોનાનો ડર પણ લોકોમાં ઓછો જોવા મળ્યો છે અને આજ કારણ છે કે સાર્વજનિક ગણેશોત્સવમાં લોકોની ભારે ભીડ પણ જોવા મળી રહી છે. નોંધનીય છે કે સરકાર દ્વારા ગણપતિ ઉત્સવને ધ્યાનમાં રાખીને બહાર પાડવામાં આવેલી ગાઈડલાઈનમાં આગમન યાત્રા અને વિસર્જન યાત્રામાં માત્ર 15 વ્યક્તિઓને જ પરવાનગી આપવામાં આવી હતી. જોકે તેનું પાલન થયું હોય તેવું દેખાયું ન હતું. ગણપતિ આગમનને લઈને બજારોમાં અને રસ્તા પર પણ લોકોની ભારે ભીડ જોવા મળી હતી.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">