Surat : આગામી 45 દિવસ સુરત માટે જોખમી ! કોરોનાને સુરત મ્યુનિસિપલ કમિશનરે આપ્યુ આ નિવેદન

મનપા કમિશનરે ભારપૂર્વક જણાવ્યું હતું કે , આગામી 45 દિવસ સુરત માટે જોખમી છે. આથી લોકોએ વધુમાં વધુ સાવચેત રહેવું અને કોવિડ ગાઇડલાઇનનું પાલન કરે તે જરૂરી છે.

Surat : આગામી 45 દિવસ સુરત માટે જોખમી ! કોરોનાને સુરત મ્યુનિસિપલ કમિશનરે આપ્યુ આ નિવેદન
Municipal commissioner warns Surat's People for corona (File)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 04, 2022 | 9:25 AM

શહેરમાં(Surat ) કોરોનાની ત્રીજી લહેર(Third Wave ) ઝડપથી આગળ વધી રહી છે . ઓમિક્રોનનું (Omicron )સંક્રમણ પણ વધી રહ્યું છે . આમ છતાં શહેરમાં હજુ લોકોમાં જોઇએ તેવી જાગૃતિ દેખાઇ રહી નથી . ત્યારે જો આવી જ સ્થિતિ રહી તો ચાલુ માસના અંત સુધીમાં ફરી એકવાર સુરતમાં સ્થિતિ વણસી જવાની ભીતિ સેવાઇ રહી છે.

જે મુદ્દે મનપા કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે , હમણા કોરોનાના જે દર્દી મળી રહ્યા છે તેમાં માઇલ્ડ સીમટેમ્સ હોવાથી લોકો ત્રીજી લહેરને હજુ ગંભીરતાથી જોતા નથી. જે યોગ્ય નથી. હોસ્પિટલાઇઝેશનની સંખ્યા હમણા ઓછી છે તેથી લોકો બિન્દાસ છે કે , આ વખતે જોખમ નથી. પરંતુ તે માન્યતા ભૂલ ભરેલી છે.

કારણ કે શરૂઆતમાં હોસ્પિટલાઇઝેશનની સંખ્યા ઓછી જ હોય છે. પરંતુ પિક વખતે સંખ્યા અચાનક વધતી હોય છે. અને રોગચાળો ઓછો થયા બાદ પણ સૌથી છેલ્લે હોસ્પિટલાઇઝેશન ઘટે છે. મનપા કમિશનરે ભારપૂર્વક જણાવ્યું હતું કે , આગામી 45 દિવસ સુરત માટે જોખમી છે. આથી લોકોએ વધુમાં વધુ સાવચેત રહેવું અને કોવિડ ગાઇડલાઇનનું પાલન કરે તે જરૂરી છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

સ્કૂલના વિધાર્થીઓને કોવિડ ગાઇડલાઇનનું પાલન કરાવવા અનુરોધ મનપા કમિશનરે સોમવારે 15 થી 18 વર્ષના વિધાર્થીઓને વેક્સિનેશન શરૂ થયું ત્યારે શાળાઓમાં રાઉન્ડ લીધો હતો. ત્યારે અમુક જગ્યાએ વિદ્યાર્થીઓમાં માસ્ક અને અન્ય ગાઇડલાઇનનું યોગ્ય પાલન નહીં થતું હોવાનું જણાતાં તમામ આરોગ્ય અધિકારીઓને તેના વિસ્તારમાં સ્કૂલોમાં ભણવા આવતા વિધાર્થીઓમાં ગાઇડલાઇનના પાલન બાબતે જાગૃતિ આવે તેવી વ્યવસ્થા કરવા તાકીદ કરી છે .

એક મહિનામાં જ 200 વિદ્યાર્થી સંક્રમિત સુરત શહેરમાં છેલ્લા એક મહિનામાં જ શહેરની શાળાઓમાં અભ્યાસ કરતા 200 થી વધુ વિધાર્થીઓ કોરોના સંક્રમણનો ભોગ બની ચૂક્યા એક તરફ શાળાઓ દ્વારા ઓનલાઈન અભ્યાસક્રમ પર પૂર્ણવિરામ મૂકી દેવામાં આવ્યું છે. ત્યારે બીજી તરફ સતત વિધાર્થીઓ સંક્રમણનો ભોગ બની રહ્યા હોવાને કારણે વાલીઓમાં પણ ચિંતાનું મોજું પ્રસરી ગયું છે. જોકે વિધાર્થીઓના વેક્સિનેશનનો પ્રારંભ થતાં જ વાલીઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

પહેલા દિવસે મોટા ભાગની શાળાઓમાં વિદ્યાર્થીઓ હોંશે હોંશે વેક્સિન લેતા નજરે પડ્યા હતા . 500 બાળકોએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. શાળામાં અભ્યાસ કરી રહેલા બાળકોને સ્કૂલમાં જ વેક્સિનેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યાં છે . આ સિવાય ઓનલાઈન પોર્ટલ પર પણ રજિસ્ટ્રેશન કરાવીને 15 થી 18 વર્ષનાં બાળકો માટે વેક્સિનેશનની સુવિધા ઊભી કરવામાં આવી છે.

આ પણ વાંચો : સુરતમાં વીર નર્મદ યુનિવર્સિટીના કુલપતિ થયા કોરોના સંક્રમિત, હોમ આઇસોલોટ થયા

આ પણ વાંચો : સુરતમાં કોંગ્રેસનો અનોખો વિરોધ, નદી ઉત્સવના વિરોધમાં ખાડી ઉત્સવનું આયોજન

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">