Surat : કોરોનાની ચિંતા લોકો કરે, કોર્પોરેશનને કોઈ ડર નથી : સફાઈ કર્મચારીઓના સન્માનમાં પાલિકા દ્વારા મોટું આયોજન

આ કાર્યક્રમ સુરતના અઠવા વિસ્તારમાં આવેલા ઇન્ડોર સ્ટેડિયમ અથવા અઠવા પાર્ટી પ્લોટ ખાતે યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ એ જ ઝોન છે જ્યાં હાલમાં કોરોનાના સૌથી વધારે કેસો સામે આવી રહ્યા છે.

Surat : કોરોનાની ચિંતા લોકો કરે, કોર્પોરેશનને કોઈ ડર નથી : સફાઈ કર્મચારીઓના સન્માનમાં પાલિકા દ્વારા મોટું આયોજન
File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 15, 2021 | 3:13 PM

ભારતના પુર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીના(Atal Bihari Vajpeyee ) જન્મ દિવસના એક દિવસ પહેલાં એટલે કે 24 ડિસેમ્બરે સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા સુશાસન દિવસની ઉજવણી કરવા માટેનું આયોજન કરી રહી છે . સુરતને સ્વચ્છતામાં બીજો ક્રમ મેળવનારા સુરત મહાનગરપાલિકાના  સફાઈ કર્મચારીઓના સન્માન માટેનો કાર્યક્રમ યોજી રહી છે .

અઠવા પાર્ટી પ્લોટ અથવા ઈન્ડોર સ્ટેડિયમમાં કર્મચારીઓ સાથે વિદ્યાર્થીઓને એકત્ર કરીને સમારોહ યોજવા તૈયારી લોકોને જાહે૨ માં વધુ સંખ્યામાં ભેગા ન થવા તથા નવા વર્ષની ઉજવણી નહી કરવા માટેની સલાહ આપનાર સુરત મહાનગરપાલિકા પોતે જ આઠ હજાર સફાઈ કર્મચારી અને વિદ્યાર્થીના સન્માન કરવા માટેનો કાર્યક્રમ યોજવા માટે કવાયત કરી રહી છે .

પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મ દિવસને સરકાર દ્વારા સુશાસન દિવસની ઉજવણી કરવા માટેની જાહેરાત કરી છે. નોંધનીય છે કે આ કાર્યક્રમ સુરતના અઠવા વિસ્તારમાં આવેલા ઇન્ડોર સ્ટેડિયમ અથવા અઠવા પાર્ટી પ્લોટ ખાતે યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ એ જ ઝોન છે જ્યાં હાલમાં કોરોનાના સૌથી વધારે કેસો સામે આવી રહ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

નોંધનીય છે કે શહેરમાં કોરોનાના કેસોની સંખ્યા વધતા તંત્ર ની ચિંતા વધી છે. અને હવે તો શહેરમાં ઓમીક્રોન વાયરસે પણ દસ્તક દઈ દીધી છે. લોકોને ભીડભાડવાળી જગ્યાએથી દૂર રહેવા, માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટનસિંગ જાળવવા પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી રહી છે. ત્યાં જ આ પ્રકારના કાર્યક્રમો કરીને ખુદ પાલિકા જ જાણે કોરોનાને આમંત્રણ આપી રહ્યું હોય તેવો ઘાટ સર્જાયો છે.

હાલ સુરતના વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ પર પણ હુનર હાટ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં પણ મોટી સંખ્યામાં લોકો એકત્ર થઇ રહ્યા છે. તેવામાં આ પ્રકારના આયોજનો શહેરની મુશ્કેલીમાં વધારો કરી શકે છે તેમાં કોઈ બેમત નથી. તેવામાં જોવાનું એ રહેશે કે મહાનગરપાલિકા દ્વારા આ કાર્યક્રમનું આયોજન કેવી રીતે કરવામાં આવે છે કે પછી તેના પર બ્રેક લગાવવામાં આવે છે.

નોંધનીય છે કે સુરતના વરાછા વિસ્તારમાં ઓમીક્રોન વાયરસનો પ્રથમ કેસ નોંધાયો છે. આફ્રિકાથી આવેલા મુસાફરીમાં આ રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દ્વારા લોકોને વધારે સતર્ક રહેવા પણ અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો : Surat : કાપડ પર જીએસટીનો દર યથાવત રાખવા વેપારીઓ દિલ્હી દરબારમાં, નાણામંત્રીને કરી રજુઆત

આ પણ વાંચો : Surat : હાલ કમુરતાની અસર પણ મકરસંક્રાંતિ પછી કાપડ માર્કેટમાં ફરી તેજીના અણસાર

Latest News Updates

આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
g clip-path="url(#clip0_868_265)">