Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: સિવિલમાં હોસ્ટેલનો સ્લેબ ધરાશાયી થયા બાદ 100 વિદ્યાર્થીઓના સ્થળાંતરનો સિવિલના તંત્ર દ્વારા નિર્ણય

સિવિલ હોસ્પિટલના ડીન ડો. ઋતંભરા મહેતાએ જણાવ્યું હતું કે, બોય્ઝ - ગર્લ્સ અને યુજી હોસ્ટેલ છેલ્લા ઘણા સમયથી જર્જરિત થઈ ચુકી છે. અલબત્ત, આ સંદર્ભે વર્ષોથી રાજ્ય સરકાર સમક્ષ રજુઆત કરવામાં આવી હતી અને જેને પગલે હાલમાં જ ગ્રાન્ટ મંજુર થઈ ચુકી છે.

Surat: સિવિલમાં હોસ્ટેલનો સ્લેબ ધરાશાયી થયા બાદ 100 વિદ્યાર્થીઓના સ્થળાંતરનો સિવિલના તંત્ર દ્વારા નિર્ણય
સિવિલમાં હોસ્ટેલનો સ્લેબ ધરાશાયી થયા બાદ 100 વિદ્યાર્થીઓનું સ્થળાંતર
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Mar 21, 2022 | 3:52 PM

સુરત (Surat)  સિવિલ હોસ્પિટલ (Civil hospital) માં જીવના જોખમે બોયઝ હોસ્ટેલ (hostel) માં વસવાટ કરતાં વિદ્યાર્થીઓ (students) ના સ્થળાંતરની કામગીરી આજે તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. હોસ્ટેલની બાલ્કનીનો ભાગ ધરાશાયી થતાં વહીવટી તંત્રના માથે માછલાં ધોવાયા બાદ આજે આ વિદ્યાર્થીઓના સ્થળાંતરની કામગીરી હાથ ધરવામાં આવતાં વિદ્યાર્થીઓએ પણ રાહતનો શ્વાસ લીધો હતો. આ સંદર્ભે વધુ માહિતી આપતાં સિવિલ હોસ્પિટલના ડીન ડો. ઋતંભરા મહેતાએ જણાવ્યું હતું કે, બોય્ઝ – ગર્લ્સ અને યુજી હોસ્ટેલ છેલ્લા ઘણા સમયથી જર્જરિત થઈ ચુકી છે. અલબત્ત, આ સંદર્ભે વર્ષોથી રાજ્ય સરકાર (State Government) સમક્ષ રજુઆત કરવામાં આવી હતી અને જેને પગલે હાલમાં જ ગ્રાન્ટ મંજુર થઈ ચુકી છે.

નવી હોસ્ટલો માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે અને 29મી માર્ચ ટેન્ડરની અંતિમ તારીખ હોવાને કારણે આગામી મહિનાથી સંભવતઃ નવા હોસ્ટેલની કામગીરીનો પ્રારંભ થઈ જશે. સિવિલ હોસ્પિટલમાં સર્જાયેલી દુર્ઘટનાને પગલે મોડે મોડેથી સિવિલના વહીવટી તંત્ર દ્વારા જર્જરિત હોસ્ટેલમાં વસવાટ કરવા માટે મજબૂર બનેલા વિદ્યાર્થીઓને આજે સવારે સિવિલ કેમ્પસમાં જ આવેલ રેસિડેન્ટ ક્વાર્ટસમાં સ્થળાંતરની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેને પગલે અત્યાર સુધી ભયના ઓથાર હેઠળ હોસ્ટેલમાં રહેવા માટે મજબૂર બનેલા વિદ્યાર્થીઓએ પણ રાહતનો શ્વાસ લીધો છે.

બે દિવસ પહેલાં કતાગામમાં સ્લેબ ધરાશાયી થતાં બે મોત થયાં હતાં

શહેરના કતારગામ વિસ્તારમાં આવેલ કિરણ હોસ્પિટલની બાજુમાં જરીવાલા કમ્પાઉન્ડન જર્જરિત હાલતમાં હોય તેનું ડિમોલિશન કરવામાં આવતું હતું તે વખત દરમિયાન જ લાઇન દોરીની ઉપરની દિવાલ અચાનક ધરાશાયી થતા નીચે ઉભા કેટલાક લોકો દબાઈ ગયા હતા. જોકે પ્રાથમિક માહિતી મુજબ નીચે બે લોકો ઊભા હતા અને અન્ય લોકોનો ચમત્કારિક બચાવ થયો હતો. તેમાં બે લોકો દબાઈ ગયા હતા જેને લઇને સ્થાનિક લોકો એ ફાયર વિભાગને જાણ કરતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી બે લોકોને બહાર કાઢી 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડાયો હતો. હજી પણ અન્ય ત્રણ લોકો અંદર ફસાયા હોવાની આશંકા જોવા મળી રહી છે.

આજનું રાશિફળ તારીખ 19-03-2025
ભારતીય ક્રિકેટ ટીમના વર્લ્ડ ચેમ્પિયન ખેલાડીઓને હીરા જડિત સોનાની વીંટીથી નવાજવામાં આવ્યા
વિરાટ કોહલીએ IPLમાં 'પ્લેયર ઓફ ધ મેચ' બની કેટલી કમાણી કરી ?
અભિનેતાએ પત્ની સામે કહ્યું મને 4 વખત લગ્ન કરવાની છૂટ છે, જુઓ ફોટો
IPLમાં ચીયરલીડર્સને કેટલો પગાર મળે છે ?
રાત્રે આ લક્ષણો દેખાય તો સમજી જાઓ વધી રહ્યુ છે BP

આ પણ વાંચોઃ અમદાવાદમાં સપ્તાહમાં 4 હત્યા, મારી દીકરી ચોર સાથે નહિ રહે, બસ આટલી વાત લાગી આવતા જમાઈએ કરી સાસુની હત્યા

આ પણ વાંચોઃ Kutch: ગુજરાતના વધુ એક લોકગાયકે વિદેશમાં લોકોને ડોલાવ્યા, ચાહકોએ કર્યો ડોલરનો વરસાદ! જુઓ વીડિયો

જાણો તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન, ક્યાં વરશસે અગન ગોળા
જાણો તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન, ક્યાં વરશસે અગન ગોળા
પ્રતિબંધિત કેમિકલ વિદેશમાં નિકાસ કરનાર મહિલા સહીત 2 આરોપી રિમાન્ડ પર
પ્રતિબંધિત કેમિકલ વિદેશમાં નિકાસ કરનાર મહિલા સહીત 2 આરોપી રિમાન્ડ પર
વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
સુરતમાં પ્રથમવાર આરોપીના ઘર પર ફરી વળ્યું ‘દાદા’નું બુલડોઝર
સુરતમાં પ્રથમવાર આરોપીના ઘર પર ફરી વળ્યું ‘દાદા’નું બુલડોઝર
ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા બનાસકાંઠા પોલીસ એકશનમાં
ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા બનાસકાંઠા પોલીસ એકશનમાં
કારના ચોરખાનામાંથી મળ્યો 30 લાખની ચાંદીનો જથ્થો, 2 લોકોની અટકાયત
કારના ચોરખાનામાંથી મળ્યો 30 લાખની ચાંદીનો જથ્થો, 2 લોકોની અટકાયત
વાઘોડિયામાં સ્ક્રેપના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
વાઘોડિયામાં સ્ક્રેપના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
આ 5 રાશિના જાતકોની વિદેશ જવાની તકો બનશે
આ 5 રાશિના જાતકોની વિદેશ જવાની તકો બનશે
ગુજરાતીઓને મળશે ગરમીથી આંશિક રાહત ! જાણો તમારા જિલ્લાનું તાપમાન
ગુજરાતીઓને મળશે ગરમીથી આંશિક રાહત ! જાણો તમારા જિલ્લાનું તાપમાન
રાજકોટમાં વિધર્મીને મિલકત વેચતા હોવાથી અશાંત ધારો લાગુ પાડવા માંગ
રાજકોટમાં વિધર્મીને મિલકત વેચતા હોવાથી અશાંત ધારો લાગુ પાડવા માંગ
g clip-path="url(#clip0_868_265)">