AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : સિવિલના તબીબોએ નિભાવ્યોએ માનવ ધર્મ, આદિવાસી મહિલાનું ઓપરેશન ફ્રીમાં કરી મહિલાને આપ્યું નવજીવન

ગોધરાની ખાનગી હોસ્પિટલના તબીબોએ રૂ. 3.50 લાખના ઓપરેશનનો અંદાજ આપ્યો હતો.

Surat : સિવિલના તબીબોએ નિભાવ્યોએ માનવ ધર્મ, આદિવાસી મહિલાનું ઓપરેશન ફ્રીમાં કરી મહિલાને આપ્યું નવજીવન
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 29, 2021 | 8:13 AM
Share

કોરોના વાયરસ(corona ) રોગચાળા દરમિયાન શ્રેષ્ઠ તબીબી સેવાઓ આપ્યા પછી, નવી સિવિલ હોસ્પિટલ (NCH) ના ડોકટરો અને નર્સિંગ સ્ટાફે તેમની કલગીમાં વધુ એક પીંછો ઉમેર્યું છે.

સુરત સિવિલ હોસ્પિટલના ​​ના ગાયનેકોલોજી અને સર્જરી વિભાગના ડોક્ટરોએ આદિવાસી મહિલાના ગર્ભાશયમાંથી 8 કિલો ગાંઠ અને અંડાશયમાંથી 3 કિલો ગાંઠ કાઢવા માટે માટે બે કલાક લાંબુ ઓપરેશન કર્યું હતું.

આદિવાસી મહિલાના ગર્ભાશય અને અંડાશયમાંથી કુલ 11 કિલોગ્રામ ગાંઠ કાઢવાનું ઓપરેશન સુરત સિવિલ હોસ્પિટલ ના તબીબો દ્વારા વિનામૂલ્યે કરવામાં આવ્યું હતું. સુરતના ઉમરપાડા તાલુકાની 40 વર્ષીય અપરિણીત આદિવાસી મહિલા લલિતા શંકર વસાવા છેલ્લા છ મહિનાથી પેટમાં અસહ્ય પીડાથી પીડાતી હતી. તેનું પેટ ફૂલેલું રહેતું હતું અને તે ખાવા, બેસવા, સૂવા સહિતની દૈનિક પ્રવૃત્તિઓ કરી શકતી નથી.

લલિતા ગોધરામાં તેની બહેનના ઘરે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ગઈ હતી જ્યાં ડોક્ટરોએ તેના ગર્ભાશય અને અંડાશયમાં ગાંઠ હોવાનું નિદાન કર્યું હતું. ગોધરાની ખાનગી હોસ્પિટલના તબીબોએ રૂ. 3.50 લાખના ઓપરેશનનો અંદાજ આપ્યો હતો.

જો કે, લલિતાના પરિવારે તેને સુરત લાવવાનું નક્કી કર્યું અને 6 સપ્ટેમ્બરે ગાયનેકોલોજી વિભાગમાં નિદાન માટે સુરત સિવિલ ની મુલાકાત લીધી. લલિતાના પરિવારે ડોક્ટરોને તેમની આર્થિક સ્થિતિ વિશે જાણ કરી. ડોક્ટરોએ સોનોગ્રાફી અને એમઆરઆઈ કર્યું ત્યારે તેણીના ગર્ભાશયમાં 8 કિલો અને અંડાશયમાં 3 કિલોની જમ્બો ગાંઠ જોવા મળી હતી .

સિવિલ હોસ્પિટલના ગાયનેકોલોજી વિભાગના તબીબોએ આદિવાસી મહિલાનું સફળતાપૂર્વક ઓપરેશન કર્યું અને બંને ગાંઠોને દૂર કરી. સર્જરી દરમિયાન તેણીને કુલ ચાર બોટલ લોહી આપવામાં આવ્યું હતું. સિવિલ હોસ્પિટલના તબીબોએ જણાવ્યું હતું કે “અમારી ટીમ આદિવાસી મહિલાની આ પડકારરૂપ સર્જરી કરીને ખુશ  છે. લલિતાના શરીરમાં એક જ સમયે બે મોટી ગાંઠો હતી, જે ગર્ભાશય, અંડાશય, સ્વાદુપિંડ અને રક્તવાહિનીઓ સહિત આંતરડા પર દબાણ લાવી રહી હતી. જો 11 કિલોની ગાંઠ કાઢવામાં  ન આવી હોત તો દર્દીને પછીના તબક્કામાં કેન્સર અને મૃત્યુનું જોખમ રહેત.

ડોક્ટરોએ ઉમેર્યું હતું કે “અસહ્ય પીડાને કારણે, તે ઊંઘી અને ખાઈ શકતી ન હતી અને તેણે લગભગ 15 કિલો વજન ઘટાડ્યું હતું. તેના શરીરમાં લોહીનું પ્રમાણ ઘણું ઓછું હતું અને તેનું હિમોગ્લોબિન ઘટીને 7.5 ના સ્તરે આવી ગયું હતું. હવે લલિતા સ્વસ્થ અને સામાન્ય જીવન જીવી શકે છે.

લલિતાના સંબંધીએ કહ્યું હતું , “લલિતા અપરિણીત છે અને તેણે થોડા વર્ષો પહેલા તેના પિતાને ગુમાવ્યા હતા. તેઓ ત્રણ બહેનો છે. તેઓ મફત સર્જરી કરવા અને તેણીને નવું જીવન આપવા માટે  સિવિલના ના ડોકટરોના ઋણી છીએ. ”

આ પણ વાંચો :

Garba: ક્યાં રમાયા હતા સુરતના પહેલા શેરી ગરબા? શું છે તેનો ઈતિહાસ? જાણો

આ પણ વાંચો :

કોરોના ઈફેક્ટ: ફાર્મસી કોર્સ વિદ્યાર્થીઓમાં બન્યો હોટ ફેવરિટ, પહેલા રાઉન્ડમાં એકપણ બેઠક ખાલી નહીં

Follow Us
g clip-path="url(#clip0_868_265)">