Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરતમાં ખુલ્લી ગટરમાં પડેલા બાળકનો 24 કલાકે મળ્યો મૃતદેહ, હિબકે ચડ્યો પરિવાર, તંત્ર પર બેદરકારીનો આરોપ

24 કલાક બાદ એ 2 વર્ષનું બાળક જિંદગીનો જંગ હારી ગયું છે. સુરતમાં છેલ્લા 24 કલાકથી ગટરમાં પડેલ માસૂમની ભાળ મળી અને આખા વિસ્તારમાં આક્રંદ છવાઈ ગયો. ખુલ્લી ગટરે કોઈ એક પરિવારને આજીવન આક્રંદના અંધકારમાં ધકેલી દીધો છે અને પાલિકાને પોતાની ભૂલનું કોઈ ભાન ડ નથી. સુરતમાં એક ખુલ્લી ગટર મોતનો દ્વાર બની છે.

Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 06, 2025 | 8:45 PM

સુરતની એ માતાનું આક્રંદ સાંભળીને કોઈપણનું કાળજુ કંપી જાય, તે નહોંતી જાણતી કે 24 કલાક બાદ કોર્પોરેશનના સત્તાધિશોના પાપે તેનો વ્હાલસોયો આ દુનિયામાં હયાત જ નહીં હોય. કલ્પના પણ ન કરી શકાય એવી યાતના અને પીડા પરિવાર પર આવી છે. પરિવારની આ પીડા માટે જો કોઈ જવાબદાર હોય તો તે SMCના ખાઈબદેલા સત્તાધિશો છે. જેમને લોકો પીડાની કંઈ પડી નથી. SMCની બેદરકારીના પારે ખુલ્લી ગટરમાં ગરક થયેલુ એ 2 વર્ષનું માસૂમ બાળક 24 કલાક બાદ જિંદગીનો જંગ હારી ગયો. મહાનગરપાલિકાની ખુલ્લી ગટર તેના માટે મોતની ગટર સાબિત થઈ અને એક પરિવારે પોતાના વ્હાલસોયાને ગુમાવવાનો વારો આવ્યો છે.

બુધવારની સાંજે અમરોલી-વરિયાવ રોડ પર રાધિકા પોઈન્ટ પાસે આ બાળક ખુલ્લી ગટરમાં પડી ગયું હતું. 24 કલાક બાદ ગુરૂવારની સાંજે બાળકનો મૃતદેહ મળતા જ આખા વિસ્તારમાં શોક છવાઈ ગયો હતો. સુરત મહાનગરપાલિકા માસૂમનો જીવ બચાવવામાં પણ નિષ્ફળ રહી. સતત 24 કલાકથી ફાયર વિભાગ સહિતની ટીમો દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પરંતુ અફસોસ એ વાતનો કે એક પરિવારનો દિપ બુજાઈ ગયો. હવે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકો મેયર હાજર નથી તે બાબતને લઈને મેયરનું રાજીનામું માંગી રહ્યા છે.

જોકે અહિં શાસક પક્ષના જ એક કોર્પોરેટર જણાવી રહ્યા છે તે આ પાલિકાની ગંભીર બેદરકારી છે અને આ અંગે પગલા લેવા જ પડશે. આ તરફ વિપક્ષે પણ કોર્પોરેશન તંત્રની બેદરકારી મામલે આકરા પ્રહાર કર્યા હતા. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે એક તરફ ઘટના ઘટી છે ત્યારે સ્થાનિક કોર્પોરેટર કહી રહ્યા છે કે આમાં પાલિકાની કોઈ બેદરકારી જ નથી. જવાબદારીમાંથી છટકી રહેલા આ કોર્પોરેટરે માનવતા પણ નેવે મુકી નિર્લજ્જ રીતે હસી પણ રહ્યા છે. ત્યારે સવાલ એ છે કે જો આમ શહેરમાં ખુલ્લી ગટરો હોય અને પાલિકાના કોર્પોરેટરને તે ભૂલ નથી લાગતી ? કોઈ કહેવાતા મોટા માણસનું બાળક હોત તો ?

IPL વચ્ચે ખુશખબર, આથિયા શેટ્ટી માતા બની, નાની પરીને આપ્યો જન્મ
અત્યાર સુધીમાં કેટલા ઓટો-રિક્ષા ચાલકના પુત્રોએ IPLમાં નામના મેળવી છે?
Jioનું સૌથી સસ્તું રિચાર્જ, માત્ર 11 રૂપિયામાં મળી રહ્યો છે મોટો લાભ
આ 5 ભૂલ તમારા હાડકાંને કરી દેશે પોલા,યુવાનીમાં આવી જશે ઘડપણ
હરભજન સિંહ પર IPLમાંથી પ્રતિબંધ મુકવાની માંગ ઉઠી
લગ્નની કંકોત્રી પર દેવી-દેવતાઓના ફોટા છાપવા યોગ્ય છે કે અયોગ્ય ? પ્રેમાનંદ મહારાજે આપ્યો સચોટ જવાબ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

મોરારી બાપુએ સુનિતા વિલિયમ્સની કરી પ્રશંસા, જુઓ Video
મોરારી બાપુએ સુનિતા વિલિયમ્સની કરી પ્રશંસા, જુઓ Video
NEET રજીસ્ટ્રેશનની તારીખ લંબાવવા વાલીઓએ NTA સમક્ષ કરી માગ
NEET રજીસ્ટ્રેશનની તારીખ લંબાવવા વાલીઓએ NTA સમક્ષ કરી માગ
ધોરાજીમાં કાચા રસ્તે ડાયવર્ઝન અપાતા વાહનચાલકો થયા પારાવાર પરેશાન
ધોરાજીમાં કાચા રસ્તે ડાયવર્ઝન અપાતા વાહનચાલકો થયા પારાવાર પરેશાન
બોડેલીમાં બનશે ગુજરાતનો સૌપ્રથમ રબર ડેમ, ખેડૂતોને સમસ્યાનો આવશે અંત
બોડેલીમાં બનશે ગુજરાતનો સૌપ્રથમ રબર ડેમ, ખેડૂતોને સમસ્યાનો આવશે અંત
અમદાવાદ ઍરપોર્ટ પરથી ઝડપાયુ ₹2.76 કરોડની કિંમતનું દાણચોરીનું સોનુ
અમદાવાદ ઍરપોર્ટ પરથી ઝડપાયુ ₹2.76 કરોડની કિંમતનું દાણચોરીનું સોનુ
ગુજરાતમાં RSSનો વધ્યો વ્યાપ, રોજ મળતી શાખામાં થયો નોંધપાત્ર વધારો
ગુજરાતમાં RSSનો વધ્યો વ્યાપ, રોજ મળતી શાખામાં થયો નોંધપાત્ર વધારો
શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ ભગવાન શ્રીકૃષ્ણ અંગે ટિપ્પણીને વખોડી
શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ ભગવાન શ્રીકૃષ્ણ અંગે ટિપ્પણીને વખોડી
સ્વામીનારાયણ સંપ્રદાયના વધુ એક સાહિત્યએ સર્જ્યો વિવાદ
સ્વામીનારાયણ સંપ્રદાયના વધુ એક સાહિત્યએ સર્જ્યો વિવાદ
ગીરના રિસોર્ટમાં ઝડપાયો જુગારનો મોટો અડ્ડો, 55 શખ્સો ઝડપાયા
ગીરના રિસોર્ટમાં ઝડપાયો જુગારનો મોટો અડ્ડો, 55 શખ્સો ઝડપાયા
ગુજરાતમાં કાળઝાળ ગરમી, 43 ડિગ્રીથી વધુ તાપમાનની આગાહી
ગુજરાતમાં કાળઝાળ ગરમી, 43 ડિગ્રીથી વધુ તાપમાનની આગાહી
g clip-path="url(#clip0_868_265)">