AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat માં આજથી બે દિવસ બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર, લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઇ, જુઓ Video

સુરતના બાગેશ્વર ધામના દિવ્ય દરબારમાં સુરક્ષાનો લોખંડી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. લિંબાયતના નીલગીરી ગ્રાઉન્ડમાં 400થી વધુ પોલીસ જવાનો અને 700 હોમગાર્ડના જવાનો તૈનાત રહેશે. આ ઉપરાંત અંદાજે બે લાખ ભક્તોના આગમનને લઈ TRB સહિત ટ્રાફિક પોલીસનો પણ ખાસ બંદોબસ્ત જોડાશે

TV9 Gujarati
| Edited By: | Updated on: May 26, 2023 | 7:47 AM
Share

Surat : સુરતમાં(Surat) બાબા બાગેશ્વર(Baba Bageshwar)  ધામ સરકારના આજથી બે દિવસના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.લિંબાયત વિસ્તારના નીલગીરી ગ્રાઉન્ડમાં આજે બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર યોજાશે. આ સમારોહ માટે વિશાળ મંચ, ભવ્ય મંડપ તૈયાર કરવામાં આવ્યો છે.બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં બે લાખથી વધુ લોકો જોડાય તેવો આયોજકોનો દાવો છે. સાંજે બાબાનો દિવ્ય દરબાર શરૂ થશે.

હિંદુ રાષ્ટ્ર અને સનાતન સંસ્કૃતિની એકતા અંગે સંબોધન કરશે

આ દિવ્ય દરબારમાં બાબા બાગેશ્વર હિંદુ રાષ્ટ્ર અને સનાતન સંસ્કૃતિની એકતા અંગે સંબોધન કરશે. બાબા બાગેશ્વરે અયોધ્યા મંદિર બાદ મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિને લઈ હુંકાર કર્યો છે. તો 27મેએ બાબા બાગેશ્વરની કથા અને ભભૂતી વિતરણનો કાર્યક્રમ થવાનો છે.

બાબાની વાય કેટેગરીની સુરક્ષાને જોતા મંચ આસપાસ પોલીસનો ખાસ સુરક્ષા બંદોબસ્ત ગોઠવાશે

આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારના સ્થળ અને તેની આસપાસ સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. હિંદુ સંગઠનોના હજારો સ્વયંસેવકો કાર્યક્રમ સ્થળની અંદર અને બહાર ટ્રાફિકથી લઈ અન્ય વ્યવસ્થાઓમાં સહકાર આપશે. તો બાબાની વાય કેટેગરીની સુરક્ષાને જોતા મંચ આસપાસ પોલીસનો ખાસ સુરક્ષા બંદોબસ્ત ગોઠવાશે. દક્ષિણ ઝોન અને સુરતના વરિષ્ઠ અધિકારીઓ સતત વ્યવસ્થાઓ પર ચાંપતી નજર રાખશે. બાબાના દિવ્ય દરબારમાં રાજકીય અને ઉદ્યોગ જગતની મોટી હસ્તિઓ પણ હાજરી આપવાની છે.

આ ઉપરાંત અંદાજે બે લાખ ભક્તોના આગમનને લઈ TRB સહિત ટ્રાફિક પોલીસનો પણ ખાસ બંદોબસ્ત

સુરતના બાગેશ્વર ધામના દિવ્ય દરબારમાં સુરક્ષાનો લોખંડી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. લિંબાયતના નીલગીરી ગ્રાઉન્ડમાં 400થી વધુ પોલીસ જવાનો અને 700 હોમગાર્ડના જવાનો તૈનાત રહેશે. આ ઉપરાંત અંદાજે બે લાખ ભક્તોના આગમનને લઈ TRB સહિત ટ્રાફિક પોલીસનો પણ ખાસ બંદોબસ્ત જોડાશે. બાબાના દિવ્ય દરબારમાં એક JCP, બે DCP, 4 ACP સહિતના વરિષ્ઠ અધિકારીઓ દેખરેખ રાખશે. દિવ્ય દરબાર પહેલા બાગેશ્વર ધામના મહારાજ ધીરેન્દ્ર શાસ્ત્રી રોડ શો યોજે તેવી શક્યતા છે. આ રોડ-શોમાં પણ સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાશે

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">