AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : કોરોનાના કેસ વધતા સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં ઇમરજન્સી સિવાયની તમામ સર્જરી બે મહિના સુધી બંધ

નોંધનીય છે કે કોરોનાની લહેર પીક પર છે ત્યારે સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં સારવાર માટે આવી રહેલા દર્દીઓના રિપોર્ટ પણ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા વધી હતી. જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Surat : કોરોનાના કેસ વધતા સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં ઇમરજન્સી સિવાયની તમામ સર્જરી બે મહિના સુધી બંધ
All surgeries except emergency at Civil and Smimmer Hospital will be started after two months(File Image )
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 22, 2022 | 3:00 PM
Share

કોરોનાની(Corona )  વધતી જતી મહામારી વચ્ચે સિવિલ(New Civil Hospital )  અને સ્મીમેરમાં(Smimmer Hospital )  પ્લાન્ડ સર્જરી બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. ઇમરજન્સી સિવાયની બીજી તમામ સર્જરીને હવે બે મહિના બાદ જ શરૂ કરવામાં આવશે તેવી માહિતી મળી છે. પ્રાપ્ત વિગતો મુજબ હાલમાં કોરોનાની ત્રીજી લહેર શરૂ થઇ છે, સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં કોરોનાના કેસોમાં પણ ધરખમ વધારો ઘટાડો થઇ રહ્યો છે.

આ સમયે હોસ્પિટલમાં દાખલ તેમજ અન્ય સર્જરી માટે આવતા દર્દીઓને કોરોના થવાની પણ શક્યતા રહે છે . ઓપરેશન કરવા માટે દર્દીને બે – ત્રણ દિવસ હોસ્પિટલમાં રાખવા પડે છે. અને તેમના જરૂરી ટેસ્ટ કરીને ત્યારબાદ ઓપરેશન કરવાનું હોય છે. પરંતુ હાલના સમયમાં જો દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે તો તેઓને કોવિડનો ચેપી રોગ લાગે તેવી શક્યતા છે.

જેના કારણે હાલમાં સિવિલના તંત્રએ ઓપરેશનના દર્દીઓને દાખલ કરવાનું બંધ કર્યું છે. જે દર્દીઓને ઇમરજન્સી ઓપરેશન કરવાનું હોય તેઓને જ દાખલ કરવાનો નિર્ણય લેવાયો છે , આ ઉપરાંત દર્દીઓને જેઓને જરૂર ન હોય તેઓને મહિના બાદ જ્યારે બે કોરોનાની સ્થિતિ શાંત પડી જાય ત્યારે આવવા માટેનું સૂચન કરવામાં આવ્યું છે. સ્મીમેર હોસ્પિટલમાં તો ઉત્તરાયણના તહેવારથી જ પ્લાન્ડ સર્જરી બંધ કરી દેવાઇ હતી , ત્યાં હવે સિવિલમાં પણ દર્દીઓની સુરક્ષાને ધ્યાને રાખીને સર્જરી બંધ કરવામાં આવી છે.

નોંધનીય છે કે કોરોનાની લહેર પીક પર છે ત્યારે સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં સારવાર માટે આવી રહેલા દર્દીઓના રિપોર્ટ પણ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા વધી હતી. જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોના સંક્ર્મણ એ હદે વધ્યું હતું કે સિવિલ હોસ્પિટલનો સ્ટાફ પણ તેમાંથી બાકાત રહ્યો નથી.

સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ, આરએમઓ સહીત 20 થી વધુ ડોકટરો નો સ્ટાફ પણ કોરોના સંક્રમણની ચપેટમાં આવી ચુક્યો છે. હાલની પરિસ્થિતિને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ઇમરજન્સી સિવાયની તમામ સર્જરી કોરોનાની આ લહેર શાંત પડે તે પછી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો :

સુરતનું ગૌરવ: સિવિલ હોસ્પિટલની સરકારી નર્સીંગ કોલેજના 6 વિદ્યાર્થીઓની AIIMSમાં પસંદગી

Corona Effect: સુરતમાં કાપડ ઉત્પાદન પર કોરોના લહેરની અસર, ગ્રેનો ઉપાડ 30 ટકા ઘટી ગયો

Follow Us
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
g clip-path="url(#clip0_868_265)">