Surat Airport: દેશના સૌથી વ્યસ્ત એરપોર્ટમાં સુરત એરપોર્ટને 32મું સ્થાન, જાણો અમદાવાદ એરપોર્ટ કયા નંબરે છે

Surat Airport: એપ્રિલથી(April ) જૂન દરમિયાન કોરોનાની બીજી લહેરનો ભયંકર પ્રકોપ જોવા મળ્યો હતો. જેના કારણે આ સમયગાળા દરમિયાન સુરત એરપોર્ટ પર નિર્ધારિત ફ્લાઈટ્સ લગભગ બંધ થઈ ગઈ હતી. આમ છતાં સુરત એરપોર્ટ પાછલા વર્ષના રેન્કિંગથી બે રેન્ક ઉપર આગળ વધીને 32મા ક્રમે પહોંચ્યું છે

Surat Airport: દેશના સૌથી વ્યસ્ત એરપોર્ટમાં સુરત એરપોર્ટને 32મું સ્થાન, જાણો અમદાવાદ એરપોર્ટ કયા નંબરે છે
Surat becomes busiest airport in India (File Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 23, 2022 | 1:04 PM

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ(AAI)  નાણાકીય વર્ષ 2021-22માં દેશભરના સૌથી વ્યસ્ત એરપોર્ટની યાદી બહાર પાડી છે. જેમાં સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટને (Surat Airport )32મું સ્થાન મળ્યું છે. જ્યારે દિલ્હી પ્રથમ સ્થાને, મુંબઈ બીજા અને પોર્ટ ત્રીજા સ્થાને છે. ગુજરાતનું અમદાવાદ એરપોર્ટ દેશમાં સાતમા ક્રમે છે. તે જ સમયે સુરત એરપોર્ટનો સ્કોર ગત વર્ષની સરખામણીમાં ઉપર આવ્યો છે. અગાઉ સુરત એરપોર્ટ દેશભરના સૌથી વ્યસ્ત એરપોર્ટની યાદીમાં 34મા ક્રમે હતું. વર્ષ દરમિયાન સુરત એરપોર્ટ પરથી કુલ 9,33,817 મુસાફરોએ મુસાફરી કરી હતી. જેના કારણે સુરતને 32મું સ્થાન મળ્યું છે.

ટોપ 10 એરપોર્ટમાં અમદાવાદનો સમાવેશ

  1. પ્રથમ ક્રમે દિલ્હી
  2. બીજા ક્રમે મુંબઈ
  3. ત્રીજા ક્રમે બેંગ્લુરુ
  4. ચોથા ક્રમે હૈદરાબાદ
  5. આજનું રાશિફળ તારીખ : 30-04-2024
    Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
    ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
    ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
    તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
    જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
  6. પાંચમા ક્રમે કોલકાતા
  7. છઠા ક્રમે ચેન્નાઇ
  8. સાતમા ક્રમે અમદાવાદ

ટોપ 3માં સમાવેશ એરપોર્ટ પર વર્ષ 2021-22માં આટલા મુસાફરોની અવરજવર રહી

  1. દિલ્હી – 3,93,39,998
  2. મુંબઈ – 2,17,47,892
  3. બેંગ્લુરુ – 1, 62,87,097

જો કોરોના ન હોત તો રેન્કિંગમાં વધુ સુધારો થયો હોત

વર્ષ 2021માં એપ્રિલથી જૂન દરમિયાન કોરોનાની બીજી લહેરનો ભયંકર પ્રકોપ જોવા મળ્યો હતો. જેના કારણે આ સમયગાળા દરમિયાન સુરત એરપોર્ટ પર નિર્ધારિત ફ્લાઈટ્સ લગભગ બંધ થઈ ગઈ હતી. આમ છતાં સુરત એરપોર્ટ પાછલા વર્ષના રેન્કિંગથી બે રેન્ક ઉપર આગળ વધીને 32મા ક્રમે પહોંચ્યું છે. WWAS સભ્ય સંજય જૈને જણાવ્યું હતું કે જો સુરત એરપોર્ટ પર ફ્લાઈટની સંખ્યા વધે તો સુરત રેન્કિંગમાં વધુ આગળ વધી શકે છે. અમારો પ્રયાસ છે કે આવનારા બે વર્ષમાં ટોપ 15માં આવે. કારણ કે હજી વારાણસી એરપોર્ટનું આ રેન્કિંગમાં 20મો ક્રમાંક છે. અહીં કુલ 17,23,237 મુસાફરોએ અવરજવર કરી હતી.

સુરત એરપોર્ટ પર હાલ ટર્મિનલ વિસ્તરણનું કામ ચાલી રહ્યું છે. જેના કારણે આવનારા દિવસોમાં હજી ફ્લાઈટ્સની સંખ્યા વધશે અને પેસેન્જર ગ્રોથમાં પણ સુધારો આવશે. તેના કારણે આવતા વર્ષે આ રેન્કિંગમાં સુરતનું સ્થાન હજી વધારે આગળ આવશે એ નક્કી છે.

આ પણ વાંચો: મુંબઈના ઉદ્યોગકારને જિપ્સમની ડીલના બહાને બોલાવી અપહરણ કરાયું, અપહરણકારોએ 15 લાખ તફડાવી મુક્ત કર્યો

આ પણ વાંચો: નરેશ પટેલ કોંગ્રેસ હાઈકમાન્ડને મળીને રાજકોટ આવવા રવાના, મે મહિનામાં રાજકારણમાં જોડવાની શક્યતા

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Latest News Updates

પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
g clip-path="url(#clip0_868_265)">