AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: હજીરા-ગોથાણ રેલવે ટ્રેક જમીન સંપાદનના વિરોધમાં મોટી સંખ્યામાં ખેડૂતો દ્વારા રેલી યોજી કલેકટરેને રજુઆત કરાઇ

ખેડૂતોની વાત માનીએ તો ગામની અંદર અલગ અલગ કારણોસર અનેક વખત જમીન સંપાદન કરવામાં આવી છે. હવે પણ જો જમીન લેવામાં આવશે. તો ખેડૂતો જમીન વિહોણા થઈ જાય તે પ્રકારની સ્થિતિ ઊભી થશે.

Surat:  હજીરા-ગોથાણ રેલવે ટ્રેક જમીન સંપાદનના વિરોધમાં મોટી સંખ્યામાં ખેડૂતો દ્વારા રેલી યોજી કલેકટરેને રજુઆત કરાઇ
Surat: A large number of farmers rallied against the acquisition of Hazira-Gothan railway track land
Baldev Suthar
| Edited By: | Updated on: Mar 11, 2022 | 2:14 PM
Share

સુરતમાં (SURAT) ગોથાણથી હજીરા સુધીના નવા રેલવે ટ્રેકને લઇને છેલ્લા કેટલાક દિવસથી 14 જેટલા ગામોના ખેડૂતો (FARMERS) સતત લડી રહ્યા છે અને મિટિંગ કરી રહ્યા છે. જે જાહેરનામુ સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. જેને કારણે હજીરા સ્થિત કંપનીઓને લાભ થાય તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહ્યા છે. સાથે નવા ટ્રેક માટે જમીન સંપાદનની (Land acquisition) કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જે બાબતે આજે જહાંગીરપુરા ખેડૂત સમાજ ગુજરાતની ઓફિસ ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો એકત્રિત થયા હતા. ત્યારબાદ કલેક્ટર કચેરી સુધી રેલી કાઢવામાં આવી હતી. રેલીમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા. જેમાં જાન દેંગે પણ જમીન નહીંના નારા લગાવ્યા હતા. જિલ્લા કલેક્ટર (District Collector)સમક્ષ 14 જેટલા વાંધા ખેડૂતો દ્વારા રજૂ કરવામાં આવી છે.

આ જાહેરનામા અન્વયે જે ખેડૂતોની જમીન સંપાદન કરવામાં આવનાર છે. તેવા તમામ ખેડૂતો તેમજ ગામલોકો પણ તેનો વિરોધ નોંધાવી રહ્યા છે. ખેડૂતોની વાત માનીએ તો ગામની અંદર અલગ અલગ કારણોસર અનેક વખત જમીન સંપાદન કરવામાં આવી છે. હવે પણ જો જમીન લેવામાં આવશે. તો ખેડૂતો જમીન વિહોણા થઈ જાય તે પ્રકારની સ્થિતિ ઊભી થશે. સરકારની નીતિ મુજબ લાગી રહ્યું છે કે ખેડૂતોને જમીન વિહોણા થઈ જશે. 200 કરતા વધારે ખેડૂતોને આ જમીન સંપાદનથી મુશ્કેલી થઈ રહી છે. ગોથાણથી હજીરા સુધીનો 34 કિલોમીટરનો રૂટ છે. જેને આવનારા દિવસોમાં આ વિરોધ ઉગ્ર પણ સ્વરૂપ ધારણ કરે તો નવાઈ નહિ.

જ્યારે દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ રમેશ પટેલે જણાવ્યું કે સરકાર ખોટી રીતે જાહેરનામુ બહાર પાડીને ખેડૂતોની જમીન સંપાદન કરી રહી છે. સાથે કોઈ પણ ભોગે જાન આપીશું, પરંતુ જમીન નહીં આપીશું એવા મૂડ સાથે આગળ વધી રહ્યા છે. આજે સુરતત જિલ્લા કલેક્ટરને અમારા જે વાંધા છે તે રજૂ કરવામાં આવી છે . હજીરા સ્થિત કંપનીઓ છે એ પૈકી કોઈ સરકારી કંપની નથી કે જેને આ સંપાદનથી ફાયદો થશે. ત્યારે ડેપોનો જે હયાત ટ્રેક છે તેના ઉપર જ વધારેની ગાડી પણ દોડાવવામાં આવ્યા અને એ જ રૂટને એક્સ્ટેંશન આપી દેવું જોઈએ. જેથી કરીને ખેડૂતોની જમીન સંપાદન કરવાનો કોઈ પ્રશ્ન ઊભો થશે નહીં.

છતાં પણ જો સરકાર જમીન સંપાદનનો આગ્રહ રાખશે. તો આગામી દિવસોમાં અમે વધુ ઉગ્ર આંદોલન કરીશું. પોલીસ દ્વારા રેલી રોકવા માટે પ્રયાસો કર્યા હતા. પણ થોડા થોડા ખેડૂતો નીકળીને રેલી સ્વરૂપે ભેગા થયા હતા. અને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. જો સરકાર આ બાબતે કોઈ નોંધ નહિ લેતો કદાચ આ મુદ્દો ગુજરાતમાં ગરમાયા તો નવાઈ નહિ.

આ પણ વાંચો : PM MODI નો ભવ્ય રોડ-શૉ પૂર્ણ, PM MODI ભાજપ કાર્યાલય કમલમ પહોંચ્યા, કમલમમાં ધારાસભ્યો-મંત્રીઓ-નેતાઓ સહિત 432 આગેવાનોની ઉપસ્થિત

આ પણ વાંચો : PM Modi in Gujarat: કોરોનાકાળ બાદ પહેલી વાર ખુલ્લી જીપમાં વડાપ્રધાનનો રોડ શો, લોકોનું અભિવાદન ઝીલતા દેખાયા

Follow Us
તહેવારોની સિઝનમાં ગૃહિણીઓનું બજેટ ખોરવાશે, તેલમાં તીવ્ર વધારો! Video
તહેવારોની સિઝનમાં ગૃહિણીઓનું બજેટ ખોરવાશે, તેલમાં તીવ્ર વધારો! Video
રાજકોટમાં ફરી જળસંકટના ભણકારા, મનપાએ સરકાર પાસે માગી મદદ
રાજકોટમાં ફરી જળસંકટના ભણકારા, મનપાએ સરકાર પાસે માગી મદદ
આજનું રાશિફળ: આજે કઈ રાશિના જાતકો માટે ભાગ્યના દરવાજા ખુલશે?
આજનું રાશિફળ: આજે કઈ રાશિના જાતકો માટે ભાગ્યના દરવાજા ખુલશે?
વડોદરામાં શાળાના વિદ્યાર્થીઓને દુકાનોમાં ભણાવવાની દરખાસ્તથી વિવાદ
વડોદરામાં શાળાના વિદ્યાર્થીઓને દુકાનોમાં ભણાવવાની દરખાસ્તથી વિવાદ
સુરતમાં આવાસ ફાળવણી મુદ્દે જહાંગીરપુરાના રહીશોનો ઉગ્ર વિરોધ
સુરતમાં આવાસ ફાળવણી મુદ્દે જહાંગીરપુરાના રહીશોનો ઉગ્ર વિરોધ
અંબાલાલે ખેડૂતોને આ નક્ષત્ર દરમિયાન પાણીને ઉપયોગ ન કરવાની આપી સલાહ
અંબાલાલે ખેડૂતોને આ નક્ષત્ર દરમિયાન પાણીને ઉપયોગ ન કરવાની આપી સલાહ
તુલસીશ્યામ રોડ પર ચાર સિંહોનો દુર્લભ નજારો
તુલસીશ્યામ રોડ પર ચાર સિંહોનો દુર્લભ નજારો
બેચરાજીમાં તંત્રની બેદરકારી! શાળાએ જતા માસૂમ બાળકોના જીવ જોખમમાં
બેચરાજીમાં તંત્રની બેદરકારી! શાળાએ જતા માસૂમ બાળકોના જીવ જોખમમાં
નારાયણ સાઈને સુપ્રીમ કોર્ટમાંથી રાહત નહીં
નારાયણ સાઈને સુપ્રીમ કોર્ટમાંથી રાહત નહીં
વડોદરા ક્રાઇમ બ્રાન્ચે બાળ તસ્કરી રેકેટનો કર્યો પર્દાફાશ ! Video
વડોદરા ક્રાઇમ બ્રાન્ચે બાળ તસ્કરી રેકેટનો કર્યો પર્દાફાશ ! Video
g clip-path="url(#clip0_868_265)">