AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: હજીરા-ગોથાણ રેલવે ટ્રેક જમીન સંપાદનના વિરોધમાં મોટી સંખ્યામાં ખેડૂતો દ્વારા રેલી યોજી કલેકટરેને રજુઆત કરાઇ

ખેડૂતોની વાત માનીએ તો ગામની અંદર અલગ અલગ કારણોસર અનેક વખત જમીન સંપાદન કરવામાં આવી છે. હવે પણ જો જમીન લેવામાં આવશે. તો ખેડૂતો જમીન વિહોણા થઈ જાય તે પ્રકારની સ્થિતિ ઊભી થશે.

Surat:  હજીરા-ગોથાણ રેલવે ટ્રેક જમીન સંપાદનના વિરોધમાં મોટી સંખ્યામાં ખેડૂતો દ્વારા રેલી યોજી કલેકટરેને રજુઆત કરાઇ
Surat: A large number of farmers rallied against the acquisition of Hazira-Gothan railway track land
Baldev Suthar
| Edited By: | Updated on: Mar 11, 2022 | 2:14 PM
Share

સુરતમાં (SURAT) ગોથાણથી હજીરા સુધીના નવા રેલવે ટ્રેકને લઇને છેલ્લા કેટલાક દિવસથી 14 જેટલા ગામોના ખેડૂતો (FARMERS) સતત લડી રહ્યા છે અને મિટિંગ કરી રહ્યા છે. જે જાહેરનામુ સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. જેને કારણે હજીરા સ્થિત કંપનીઓને લાભ થાય તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહ્યા છે. સાથે નવા ટ્રેક માટે જમીન સંપાદનની (Land acquisition) કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જે બાબતે આજે જહાંગીરપુરા ખેડૂત સમાજ ગુજરાતની ઓફિસ ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો એકત્રિત થયા હતા. ત્યારબાદ કલેક્ટર કચેરી સુધી રેલી કાઢવામાં આવી હતી. રેલીમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા. જેમાં જાન દેંગે પણ જમીન નહીંના નારા લગાવ્યા હતા. જિલ્લા કલેક્ટર (District Collector)સમક્ષ 14 જેટલા વાંધા ખેડૂતો દ્વારા રજૂ કરવામાં આવી છે.

આ જાહેરનામા અન્વયે જે ખેડૂતોની જમીન સંપાદન કરવામાં આવનાર છે. તેવા તમામ ખેડૂતો તેમજ ગામલોકો પણ તેનો વિરોધ નોંધાવી રહ્યા છે. ખેડૂતોની વાત માનીએ તો ગામની અંદર અલગ અલગ કારણોસર અનેક વખત જમીન સંપાદન કરવામાં આવી છે. હવે પણ જો જમીન લેવામાં આવશે. તો ખેડૂતો જમીન વિહોણા થઈ જાય તે પ્રકારની સ્થિતિ ઊભી થશે. સરકારની નીતિ મુજબ લાગી રહ્યું છે કે ખેડૂતોને જમીન વિહોણા થઈ જશે. 200 કરતા વધારે ખેડૂતોને આ જમીન સંપાદનથી મુશ્કેલી થઈ રહી છે. ગોથાણથી હજીરા સુધીનો 34 કિલોમીટરનો રૂટ છે. જેને આવનારા દિવસોમાં આ વિરોધ ઉગ્ર પણ સ્વરૂપ ધારણ કરે તો નવાઈ નહિ.

જ્યારે દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ રમેશ પટેલે જણાવ્યું કે સરકાર ખોટી રીતે જાહેરનામુ બહાર પાડીને ખેડૂતોની જમીન સંપાદન કરી રહી છે. સાથે કોઈ પણ ભોગે જાન આપીશું, પરંતુ જમીન નહીં આપીશું એવા મૂડ સાથે આગળ વધી રહ્યા છે. આજે સુરતત જિલ્લા કલેક્ટરને અમારા જે વાંધા છે તે રજૂ કરવામાં આવી છે . હજીરા સ્થિત કંપનીઓ છે એ પૈકી કોઈ સરકારી કંપની નથી કે જેને આ સંપાદનથી ફાયદો થશે. ત્યારે ડેપોનો જે હયાત ટ્રેક છે તેના ઉપર જ વધારેની ગાડી પણ દોડાવવામાં આવ્યા અને એ જ રૂટને એક્સ્ટેંશન આપી દેવું જોઈએ. જેથી કરીને ખેડૂતોની જમીન સંપાદન કરવાનો કોઈ પ્રશ્ન ઊભો થશે નહીં.

છતાં પણ જો સરકાર જમીન સંપાદનનો આગ્રહ રાખશે. તો આગામી દિવસોમાં અમે વધુ ઉગ્ર આંદોલન કરીશું. પોલીસ દ્વારા રેલી રોકવા માટે પ્રયાસો કર્યા હતા. પણ થોડા થોડા ખેડૂતો નીકળીને રેલી સ્વરૂપે ભેગા થયા હતા. અને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. જો સરકાર આ બાબતે કોઈ નોંધ નહિ લેતો કદાચ આ મુદ્દો ગુજરાતમાં ગરમાયા તો નવાઈ નહિ.

આ પણ વાંચો : PM MODI નો ભવ્ય રોડ-શૉ પૂર્ણ, PM MODI ભાજપ કાર્યાલય કમલમ પહોંચ્યા, કમલમમાં ધારાસભ્યો-મંત્રીઓ-નેતાઓ સહિત 432 આગેવાનોની ઉપસ્થિત

આ પણ વાંચો : PM Modi in Gujarat: કોરોનાકાળ બાદ પહેલી વાર ખુલ્લી જીપમાં વડાપ્રધાનનો રોડ શો, લોકોનું અભિવાદન ઝીલતા દેખાયા

Follow Us
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">