Surat : મક્કાઇપુલ પરથી 12 વર્ષીય બાળક પડ્યો ન હતો, તેના પિતાએ ફેંકી દીધો હતો

દોઢ વર્ષ પહેલા પણ આ જ પુત્રને આવાસના માળ પરથી નીચે ફેંકી દીધો હતો. પણ નીચે ખાટલીવર્ક કરતા પરિવારના કપડાના જથ્થા પર પડતા તેને ફક્ત નાની મોટી ઈજાઓ જ પહોંચી હતી. અને જાકીર બચી ગયો હતો. જે તે વખતે પત્ની હીનાએ પોલીસ ફરિયાદ નોંધાવી ન હતી. 

Surat : મક્કાઇપુલ પરથી 12 વર્ષીય બાળક પડ્યો ન હતો, તેના પિતાએ ફેંકી દીધો હતો
Surat: A 12-year-old boy did not fall off a bridge, his father threw him
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 03, 2021 | 9:09 AM

Surat કોસાડ આવાસના 12 વર્ષીય વિદ્યાર્થી જાકીર શેખને ફટાકડાના બહાને લઇ જઈ ને તેના જ સગા પિતાએ તેને નદીમાં(river ) ફેંકી દઈ હત્યા કરી દીધી હતી. છેલ્લા પાંચ વર્ષથી પતિ પત્ની વચ્ચે ચાલતા ખટરાગને પગલે મૃતક જાકીર દોઢ વર્ષથી માતા સાથે મહારાષ્ટ્ર નાનીને ત્યાં રહેતો હતો. પાંચ દિવસ પહેલા જ જાકીરની માતા તેનું લિવિંગ સર્ટિફિકેટ કઢાવવા માટે આવી હતી. 

ત્યારબાદ પીછો કરીને સાસરીમાં જઈ  જાકીરને જબરજસ્તી સુરત પરત લાવી પત્ની સાથેના ઝઘડાને કારણે પુત્રની હત્યા કરી નાંખી હોવાનું ખુલ્યું છે. બનાવ અંગે પત્ની દ્વારા ફરિયાદ નોંધાવતા રાંદેર પોલીસે હત્યાનો ગુનો નોંધીને મૃતકના પિતાની અટકાયત કરી છે. કોસાડમાં રહેતા 31 વર્ષીય સઈદ ઇલ્યાસ શેખ છૂટક ભંગારનું કામ કરતો હતો.

જેના ગત તારીખ 31 ઓક્ટોબરના રોજ તેનો ચોથા ધોરણમાં અભ્યાસ કરતા પુત્ર જાકીરનું તાપી નદીમાં પડી જતા મોત થયુ હતું. ત્યારે સઈદે એવું નિવેદન આપ્યું હતું કે તે ફટાકડા અપાવવા ગયો હતો, અને ચાલતા ચાલતા અચાનક જ તે તાપીમાં પડી ગયો હતો. દરમ્યાન મૃતક જાકીરની માતાએ રાંદેર પોલીસમાં જઈને સાચી હકીકત જણાવી હતી.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

લગ્ન બાદ બંને પતિ પત્ની વચ્ચે ખટરાગ થતા અવારનવાર ઝઘડો ચાલતો રહેતો હતો. દોઢ વર્ષ પહેલા પણ આ જ પુત્રને આવાસના માળ પરથી નીચે ફેંકી દીધો હતો. પણ નીચે ખાટલીવરક કરતા પરિવારના કપડાના જથ્થા પર પડતા તેને ફક્ત નાની મોટી ઈજાઓ જ પહોંચી હતી. અને જાકીર બચી ગયો હતો. જે તે વખતે પત્ની હીનાએ પોલીસ ફરિયાદ નોંધાવી ન હતી.

પતિ સઈદે પત્નીના અનૈતિક સબંધ હોવાનો વહેમ રાખીને તે પત્નીની મારઝૂડ કરતો હતો. જેથી હિના મોટા પુત્રને પતિ પાસે રાખીને નાના પુત્રને લઈને મહારાષ્ટ્ર પિયર જતી રહી હતી. દરમ્યાન પાંચ દિવસ પહેલા જ હિના પોતાના પુત્ર જાકીરને લઈને વતનમાં અભ્યાસ માટે જરૂરી લિવિંગ સર્ટિફિકેટ લેવા આવી હતી. જે લઈને પરત થઇ ત્યારે સઈદ પણ સાસરીમાં પહોંચ્યો હતો.

અને ઝઘડો કરીને જાકીરને પોતાની બાઈક પર લઈને ફટાકડા આપવાના બહાને લઈને નીકળ્યો હતો. અને તાપી નદીમાં ફેંકી દીધો હતો. બનાવ મામલે રાંદેર પોલીસે પત્નીની ફરિયાદ લઈને પતિ વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો : Surat : રાજ્યની એકમાત્ર જૂની અને જર્જરિત સુરત સિવિલ હોસ્પિટલનું નવીનીકરણ કરવામાં આવશે

આ પણ વાંચો : Surat : રાંદેર ઝોનના છ વિસ્તારોમાં 24 કલાક પાણી પુરવઠાની કોર્પોરેશનની યોજના અંતિમ તબક્કામાં

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">