Surat : છેલ્લા પાંચ વર્ષમાં બીઆરટીએસ રૂટમાં અકસ્માતમાં 39 વ્યક્તિઓના મોત

લોકોને સતર્ક કરવા માટે 2018માં જ્યાં ટ્રાફિક સિગ્નલ લાગવાના હતા ત્યાં ફક્ત થાંભલા જ લગાવવામાં આવ્યા છે. જેના કારણે બીઆરટીએસ કોરિડોરમાં પાંચ વર્ષમાં 109 એક્સિડન્ટ થયા છે, જેમાં 39 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

Surat : છેલ્લા પાંચ વર્ષમાં બીઆરટીએસ રૂટમાં અકસ્માતમાં 39 વ્યક્તિઓના મોત
Surat BRTS Bus
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 23, 2021 | 6:32 PM

સુરતમાં બીઆરટીએસ કોરિડોરના (BRTS Corridor) અલગ અલગ રૂટ પર પાછલા પાંચ વર્ષમાં 70 એક્સીડ્ન્ટ (Accident) થયા છે. જેમાંથી 39 વ્યક્તિઓના મોત (Death) થયા છે. સુરતને સ્માર્ટ સીટી (Smart City) બનાવવા માટે ઘણા પ્રોજેક્ટો લાવવામાં આવ્યા હતા. જેમાંથી એક પ્રોજેક્ટ ઇન્ટીગ્રેટેડ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ (Project Integrated Traffic Control System) પણ હતું. જેમાં વ્હીકલ ડિટેક્ટર, સિગ્નલ કંટ્રોલર, સ્ટ્રીટ લાઈટના થાંભલા, પાવર સપ્લાય અને કેબલના કામોનો સમાવેશ થયો હતો. જેથી આ પ્રોજેક્ટની સિસ્ટમને ઓપરેટ કરવામાં આવે. 

પાંચ વર્ષ વીતવા પછી પણ શહેરના એવા ઘણા બીઆરટીએસ સ્ટેશન એવા છે, જ્યાં હજી પણ ફક્ત થાંભલા જ છે, ટ્રાફિક સિગ્નલ લગાવવામાં નથી આવ્યા, જેનાથી રૂટ પસાર કરનારા લોકોને ખબર જ નથી પડતી કે બસ આવી રહી છે કે નહીં. તેના કારણે પણ એક્સિડન્ટ વધી ગયા છે. ટ્રાફિક સિગ્નલ લગાવવાનો આશય જ એ હતો કે રૂટ પાર કરી રહેલા લોકોને માહિતી મળી શકે કે કેટલી વારમાં બસ આવનારી છે. જેનાથી થનારા અકસ્માતોને રોકી શકાય.

આ યોજના અમલમાં આવ્યા પછી પાંચ વર્ષમાં અત્યાર સુધી 70 એક્સીડન્ટ અને 39 વ્યક્તિઓના મોત નિપજ્યા છે. સુરત મહાનગરપાલિકાના સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે વર્ષ 2018માં આ યોજના પૂર્ણ થઇ ગઈ હતી. તે પૂર્ણ થયા બાદ બીઆરટીએસ કોરીડોરમાં 25 એક્સિડન્ટ અને 15 વ્યક્તિઓના મોત થયા હતા. ત્યાંજ 2018ના પહેલાના આંકડા પર નજર કરીએ તો 2017માં 15 એક્સિડન્ટ અને 10 લોકોના મોત થયા હતા. જયારે 2018માં 30 એક્સિડન્ટ અને 14 મોત ના બનાવ સામે આવ્યા હતા.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

આંકડા પર પણ નજર કરીએ તો

વર્ષ                  એક્સિડન્ટ                    મોત 2017                  15                              10 2018                  30                            14 2019                  16                             10 2020                  05                            03 2021                   04                           02 કુલ                      70                           39

આઈટીએસ પરિયોજના ઇન્ટેલીજન્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સેક્ટર હેઠળ આ સમગ્ર પ્રોજેક્ટ હતો. જેનો કુલ ખર્ચ 132 કરોડ રૂપિયા સુધીનો હતો. તેના માટે 103 કરોડ રૂપિયા મંજુર થયા હતા અને ખર્ચ પણ થઇ ચુક્યા છે. તેમ છતાં બીઆરટીએસ કોરિડોરના હજી પણ કેટલાક રૂટ એવા જ છે જ્યાં હજી સુધી ફક્ત થાંભલા જ લગાવવામાં આવ્યા છે અને ટ્રાફિક સિગ્નલ લગાવવામાં નથી આવ્યા.

આમ, લોકોને સતર્ક કરવા માટે 2018માં જ્યાં ટ્રાફિક સિગ્નલ લાગવાના હતા ત્યાં ફક્ત થાંભલા જ લગાવવામાં આવ્યા છે. જેના કારણે બીઆરટીએસ કોરિડોરમાં પાંચ વર્ષમાં 70 એક્સિડન્ટ થયા છે. જેમાં 39 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

આ પણ વાંચો : PORBANDAR : ડ્રગ્સ કેસમાં ગુજરાત ATSના પોરબંદરમાં ધામા, એક શંકાસ્પદ શખ્સને ઝડપી પાડ્યો

આ પણ વાંચો : LPG ભરેલું મોટું ટેન્કર રોડ પર પલટી મારી જતા અફડાતફડી, 12 કલાક સુધી ટેન્કરમાંથી નીકળ્યો ગેસ

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">