AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: કોરોનાના કેસો ઘટ્યા બાદ ટીબીના કેસોમાં થયો વધારો, રાજ્યના ટીબી અધિકારીએ દક્ષિણ ગુજરાતના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી

ગુજરાત સરકારની ક્ષય નિયંત્રણ યોજના હેઠળ દરેક ટીબી દર્દીને 500 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. તેમણે જણાવ્યું છે કે કોરોના અને ટીબીના લક્ષણ સમાન છે. જો કોરોના પરીક્ષણમાં રિપોર્ટ નેગેટિવ આવે તો સાથે ટીબીનો ટેસ્ટ કરવા સૂચના આપવામાં આવી છે.

Surat: કોરોનાના કેસો ઘટ્યા બાદ ટીબીના કેસોમાં થયો વધારો, રાજ્યના ટીબી અધિકારીએ દક્ષિણ ગુજરાતના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી
Parul Mahadik
| Edited By: | Updated on: Jul 24, 2021 | 3:03 PM
Share

Surat: ટીબીને જડમૂળમાંથી નાબૂદ કરવા માટે રાજ્યના ટીબી અધિકારીએ નવી સિવિલ હોસ્પિટલમાં (New Civil Hospital) દક્ષિણ ગુજરાતના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. કોરોનાના કેસોમાં ઘટાડો થયા બાદ ટીબીના વધુ કેસો જોવા મળી રહ્યા છે. સુરતમાં ટીબીના 1,400 દર્દીઓ છે, જો દર્દીઓનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવે છે તો તેની સાથે ટીબીનો ટેસ્ટ કરવા સૂચના આપવામાં આવી છે. જેથી ટીબીના વધુ કેસ શોધવા અને તેમની સારવાર શરૂ કરવામાં મદદ કરશે.

સિવિલ હોસ્પિટલની સરકારી મેડીકલ કોલેજમાં સ્ટેટ ટીબી ઓફિસર સતીશ મકવાણા, દક્ષિણ ગુજરાતમાંથી સુરત, નવસારી જુદા જુદા જિલ્લાઓના સિવિલ સુપ્રિટેન્ડેન્ટ અને સ્મીમેર હોસ્પિટલના સિનિયર ડો.ઋતંભરા મહેતા સહિતના ઉચ્ચ તબીબી સ્ટાફની એક સમીક્ષા બેઠક મળી હતી.

ડોક્ટર પારુલ વડગામાએ જણાવ્યું હતું કે આ બેઠકમાં ટીબીના દર્દીઓની ઓળખ અને સારવારમાં વધારો કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. સુરત જિલ્લા ટીબી અધિકારી ડોક્ટર દિનેશ વસાવાએ જણાવ્યું છે કે કેન્દ્ર સરકારે 2025 સુધીમાં ટીબીના રોગને જડમૂળમાંથી દૂર કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. તે સમયે ગુજરાત સરકાર 2022 સુધીમાં ટીબીને દૂર કરવા પ્રયાસ કરી રહી છે.

ગુજરાત સરકારની ક્ષય નિયંત્રણ યોજના હેઠળ દરેક ટીબી દર્દીને 500 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. તેમણે જણાવ્યું છે કે કોરોના અને ટીબીના લક્ષણ સમાન છે. જો કોરોના પરીક્ષણમાં રિપોર્ટ નેગેટિવ આવે તો સાથે ટીબીનો ટેસ્ટ કરવા સૂચના આપવામાં આવી છે.

આ સાથે ટીબીના(TB) દર્દીઓએ Radiology વિભાગમાં કરવામાં આવેલા એક્સરે, એચઆરસીટીમાં ઓળખ મળે તો તેઓને સારવાર માટે રીફર કરવા પણ કહેવામાં આવ્યું છે. સુરત શહેર અને જિલ્લામાં કુલ 1,43,438 પોઝિટિવ કેસ મળી આવ્યા છે, જેમાં સુરતમાં અંદાજે 1,400 દર્દીઓને પણ ટી.બીનો ચેપ લાગ્યો છે.

ટીબીના રોગ અંગે અંધશ્રદ્ધા દૂર કરવા અને દર્દીની સારવાર શરૂ કરવા માટે જાગૃતિ કાર્યક્રમ (Awareness ) વધારવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. ટીબીએ ચેપી રોગ છે, યોગ્ય સમયે સરકારી હોસ્પિટલમાંથી મફત સારવાર શરૂ કરીને દર્દીઓ સ્વસ્થ થાય છે. કોરોનાથી ફેફસાને સૌથી વધુ નુકસાન થયું છે. પોસ્ટ કોવિડ દર્દીઓ વિવિધ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. તેવામાં એક વખત તેઓએ ટીબીનું પરીક્ષણ કરાવવું જોઈએ.

આ પણ વાંચો: Rajkot : શહેરમાં ધોધમાર વરસાદ પડયો, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

Follow Us
સિંહના હુમલા રોકવા ગુજરાત સરકારનો મોટો નિર્ણય
સિંહના હુમલા રોકવા ગુજરાત સરકારનો મોટો નિર્ણય
બાંધકામ ખર્ચ વધતા ભાવનગરના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં 'મંદીનો માહોલ'
બાંધકામ ખર્ચ વધતા ભાવનગરના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં 'મંદીનો માહોલ'
'લાઈસન્સ' વગર શાળાએ ટુ-વ્હીલર લાવવા પર પ્રતિબંધ મૂકવા અપીલ
'લાઈસન્સ' વગર શાળાએ ટુ-વ્હીલર લાવવા પર પ્રતિબંધ મૂકવા અપીલ
મહેસાણાના ઊંઝામાં નકલી જીરું બનાવતી ફેક્ટરી પર SOGના દરોડા
મહેસાણાના ઊંઝામાં નકલી જીરું બનાવતી ફેક્ટરી પર SOGના દરોડા
ઝાપટપરાથી ઈસ્લામપુરા નામ બદલાતા હારીજમાં વિવાદ, રહીશોમાં આક્રોશ
ઝાપટપરાથી ઈસ્લામપુરા નામ બદલાતા હારીજમાં વિવાદ, રહીશોમાં આક્રોશ
RMCના અધિકારીએ શોર્ટ ટેન્ડરથી ખરીદી કરવાનો નિર્ણય કર્યો
RMCના અધિકારીએ શોર્ટ ટેન્ડરથી ખરીદી કરવાનો નિર્ણય કર્યો
મકર અને ધન રાશિના જાતકો માટે આકસ્મિક ધનલાભના પ્રબળ યોગ
મકર અને ધન રાશિના જાતકો માટે આકસ્મિક ધનલાભના પ્રબળ યોગ
ગીર સોમનાથ: મગરોનો આતંક થી ભયના ઓથાર હેઠળ જીવવા મજબુર ગ્રામીણો- Video
ગીર સોમનાથ: મગરોનો આતંક થી ભયના ઓથાર હેઠળ જીવવા મજબુર ગ્રામીણો- Video
સુરતમાં પૂરનું પાણી હવે ધીમે-ધીમે ઓસરી રહ્યું છે, જુઓ Video
સુરતમાં પૂરનું પાણી હવે ધીમે-ધીમે ઓસરી રહ્યું છે, જુઓ Video
ભાવનગરમાં 80 લાખના ખર્ચે કરાયેલી પ્રિમોન્સુન કામગીરીનું વળી ગયુ પડીકુ
ભાવનગરમાં 80 લાખના ખર્ચે કરાયેલી પ્રિમોન્સુન કામગીરીનું વળી ગયુ પડીકુ
g clip-path="url(#clip0_868_265)">